watchgujarat: દિલ્હી-NCRમાં હાલના દિવસોમાં હવાની ગુણવત્તા ખૂબ જ ખરાબ છે, જેના કારણે સામાન્ય લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે, જ્યારે વાયુ પ્રદૂષણને કારણે ઘણા લોકોને હોસ્પિટલ પણ જવું પડી રહ્યું છે. વાયુ પ્રદુષણથી જલ્દી છુટકારો મેળવવા માટે સરકાર પણ ઝડપથી કામ કરી રહી છે. દિલ્હીના પરિવહન મંત્રી કૈલાશ ગેહલોતે 10 વર્ષ જૂના ડીઝલ વાહનનો ઉપયોગ કરવાનો રસ્તો સાફ કરી દીધો છે. ડીઝલ વાહનમાં ઈલેક્ટ્રિક કિટ લગાવ્યા પછી 10 વર્ષ પછી પણ વાહન માલિકો દિલ્હી-NCRમાં તેમના વાહનો ચલાવી શકે છે.
દિલ્હીના વાહનવ્યવહાર મંત્રી કૈલાશ ગહલોતે તેની ટ્વિટર પોસ્ટમાં જણાવ્યું હતું કે, "દિલ્હી હવે ઇન્ટરનલ કમ્બશન એન્જિન (ICE)ના ઇલેક્ટ્રિક રેટ્રોફિટિંગ માટે તૈયાર છે. જો તમારું ડીઝલ વાહન યોગ્ય જણાય તો તેને ઇલેક્ટ્રિક એન્જિનમાં બદલી શકાય છે. ટૂંક સમયમાં વિભાગ ઈલેક્ટ્રિક કિટ બનાવતી કંપનીઓની યાદી શેર કરશે. આના દ્વારા 10 વર્ષ પછી પણ ડીઝલ વાહનોનો ઉપયોગ કરી શકાશે.
આવી હશે પ્રક્રિયા
ઈલેક્ટ્રિક કીટ ત્યારે જ લગાવવામાં મંજૂરી મળશે, જયારે ટેસ્ટિંગ એજન્સી ડીઝલ કારમાં એન્જિનની ફિટનેસ તપાસશે અને તેને મંજૂરી આપશે. મંજુરી મળ્યા બાદ જ વાહન માલિકો પોતાનું એન્જિન બદલી શકશે. જોકે, હજુ સુધી ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા ટેસ્ટિંગ એજન્સીઓની યાદી બહાર પાડવામાં આવી નથી. વિભાગનું કહેવું છે કે ઇલેક્ટ્રિક કિટ બનાવતી કંપનીઓની યાદી ટૂંક સમયમાં શેર કરવામાં આવશે.
શું આવી શકે છે ખર્ચ
ડીઝલ એન્જિનમાં ઇલેક્ટ્રિક રેટ્રોફિટિંગ માટે સત્તાવાર દરો હજુ નક્કી કરવામાં આવ્યા નથી. પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઇલેક્ટ્રિક કિટ લગાવવા માટે વાહન માલિકને અંદાજે 4-6 લાખ રૂપિયા ખર્ચવા પડી શકે છે. એવું કહેવાય છે કે ડીઝલ એન્જીનને કારમાંથી સૌપ્રથમ દૂર કરવામાં આવશે, અને આ જગ્યાનો ઉપયોગ ઇલેક્ટ્રિક મોટર, હાઇ-વોલ્ટેજ વાયરિંગ સર્કિટ અને કંટ્રોલ યુનિટને ફિટ કરવા માટે કરવામાં આવશે, જેનો ઘણો ખર્ચ થઈ શકે છે. જો તમારા વાહનમાં ઈલેક્ટ્રીક એન્જીન ફીટ કરેલ હોય, તો તમારે તમારા ઘરે ચાર્જીંગ સેટઅપ પણ ઈન્સ્ટોલ કરવું પડશે.
તમને જણાવી દઈએ કે, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ 2015 અને સુપ્રીમ કોર્ટ 2018 દ્વારા જારી કરાયેલા આદેશો અનુસાર, 10 વર્ષથી જૂના ડીઝલ વાહનો અને 15 વર્ષથી જૂના પેટ્રોલ વાહનો દિલ્હી-NCRમાં ચાલી શકશે નહીં. હાલમાં દિલ્હીમાં 38 લાખ વપરાયેલા વાહનો છે.
watchgujarat: દિલ્હી-NCRમાં હાલના દિવસોમાં હવાની ગુણવત્તા ખૂબ જ ખરાબ છે, જેના કારણે સામાન્ય લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે, જ્યારે વાયુ પ્રદૂષણને કારણે ઘણા લોકોને હોસ્પિટલ પણ જવું પડી રહ્યું છે. વાયુ પ્રદુષણથી જલ્દી છુટકારો મેળવવા માટે સરકાર પણ ઝડપથી કામ કરી રહી છે. દિલ્હીના પરિવહન મંત્રી કૈલાશ ગેહલોતે 10 વર્ષ જૂના ડીઝલ વાહનનો ઉપયોગ કરવાનો રસ્તો સાફ કરી દીધો છે. ડીઝલ વાહનમાં ઈલેક્ટ્રિક કિટ લગાવ્યા પછી 10 વર્ષ પછી પણ વાહન માલિકો દિલ્હી-NCRમાં તેમના વાહનો ચલાવી શકે છે.
દિલ્હીના વાહનવ્યવહાર મંત્રી કૈલાશ ગહલોતે તેની ટ્વિટર પોસ્ટમાં જણાવ્યું હતું કે, "દિલ્હી હવે ઇન્ટરનલ કમ્બશન એન્જિન (ICE)ના ઇલેક્ટ્રિક રેટ્રોફિટિંગ માટે તૈયાર છે. જો તમારું ડીઝલ વાહન યોગ્ય જણાય તો તેને ઇલેક્ટ્રિક એન્જિનમાં બદલી શકાય છે. ટૂંક સમયમાં વિભાગ ઈલેક્ટ્રિક કિટ બનાવતી કંપનીઓની યાદી શેર કરશે. આના દ્વારા 10 વર્ષ પછી પણ ડીઝલ વાહનોનો ઉપયોગ કરી શકાશે.
આવી હશે પ્રક્રિયા
ઈલેક્ટ્રિક કીટ ત્યારે જ લગાવવામાં મંજૂરી મળશે, જયારે ટેસ્ટિંગ એજન્સી ડીઝલ કારમાં એન્જિનની ફિટનેસ તપાસશે અને તેને મંજૂરી આપશે. મંજુરી મળ્યા બાદ જ વાહન માલિકો પોતાનું એન્જિન બદલી શકશે. જોકે, હજુ સુધી ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા ટેસ્ટિંગ એજન્સીઓની યાદી બહાર પાડવામાં આવી નથી. વિભાગનું કહેવું છે કે ઇલેક્ટ્રિક કિટ બનાવતી કંપનીઓની યાદી ટૂંક સમયમાં શેર કરવામાં આવશે.
શું આવી શકે છે ખર્ચ
ડીઝલ એન્જિનમાં ઇલેક્ટ્રિક રેટ્રોફિટિંગ માટે સત્તાવાર દરો હજુ નક્કી કરવામાં આવ્યા નથી. પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઇલેક્ટ્રિક કિટ લગાવવા માટે વાહન માલિકને અંદાજે 4-6 લાખ રૂપિયા ખર્ચવા પડી શકે છે. એવું કહેવાય છે કે ડીઝલ એન્જીનને કારમાંથી સૌપ્રથમ દૂર કરવામાં આવશે, અને આ જગ્યાનો ઉપયોગ ઇલેક્ટ્રિક મોટર, હાઇ-વોલ્ટેજ વાયરિંગ સર્કિટ અને કંટ્રોલ યુનિટને ફિટ કરવા માટે કરવામાં આવશે, જેનો ઘણો ખર્ચ થઈ શકે છે. જો તમારા વાહનમાં ઈલેક્ટ્રીક એન્જીન ફીટ કરેલ હોય, તો તમારે તમારા ઘરે ચાર્જીંગ સેટઅપ પણ ઈન્સ્ટોલ કરવું પડશે.
તમને જણાવી દઈએ કે, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ 2015 અને સુપ્રીમ કોર્ટ 2018 દ્વારા જારી કરાયેલા આદેશો અનુસાર, 10 વર્ષથી જૂના ડીઝલ વાહનો અને 15 વર્ષથી જૂના પેટ્રોલ વાહનો દિલ્હી-NCRમાં ચાલી શકશે નહીં. હાલમાં દિલ્હીમાં 38 લાખ વપરાયેલા વાહનો છે.