Jhansi News: ઉત્તર પ્રદેશના ઝાંસી જિલ્લામાં આજે શુક્રવારે ગમખ્વાર અકસ્માત થયો છે. વિજયાદશમીના દિવસે ઝાંસીમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં સાત મહિલાઓ સહિત 11 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. તેમજ ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. મૃતકોમાં ચાર બાળકો પણ હતા.
ઝાંસીના ચિરગાંવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં શુક્રવારે બપોરે મોટો અકસ્માત થયો હતો. ભંડેર રોડ પર છિનોરા ગામમાંથી જવારે વિસર્જિત કરવા માટે ચિરગાંવ જઇ રહેલું ટ્રેક્ટર પલટી જતાં 11 લોકોના મોત થયા હતા. ટ્રેક્ટરમાં 32 લોકો હતા. મૃતકોમાં સાત મહિલાઓ અને ચાર બાળકોનો સમાવેશ થાય છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે બુમાબુમ મચી ગઈ હતી. ઘટનાસ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે.
મળતી માહિતી મુજબ, શ્રદ્ધાળુઓ ટ્રેક્ટર ટ્રોલીમાં વિસર્જન કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક રસ્તામાં મવેશી (ઢોર) આવી ગયા. પશુઓને બચાવવાના પ્રયાસમાં ટ્રેક્ટર-ટ્રોલી બેકાબૂ થઈને રસ્તાની બાજુમાં પલટી ગઈ હતી. આ ભયાનક દુર્ઘટનામાં 11 લોકોનાં મોત નીપજ્યાં હતાં અને ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ અકસ્માત આજે શુક્રવારે સાંજે ચિરગાંવ વિસ્તારમાં ભંડેર રોડ પર થયો હતો.
SP સિટી ત્રિપાઠી પણ ઘટનાસ્થળ પર પહોંચી ગયા છે અને રાહત બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે મેડિકલ કોલેજ મોકલવામાં આવ્યા છે. માહિતી મળતા પોલીસની ટીમે સ્થળ પર પહોંચીને ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે ખસેડ્યા છે. તો મૃત્યુ પામનાર લોકોનું પંચનામુ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે અકસ્માત સ્થળ પર અવરજવરને સામાન્ય કરી દેવામાં આવી છે.
Jhansi News: ઉત્તર પ્રદેશના ઝાંસી જિલ્લામાં આજે શુક્રવારે ગમખ્વાર અકસ્માત થયો છે. વિજયાદશમીના દિવસે ઝાંસીમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં સાત મહિલાઓ સહિત 11 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. તેમજ ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. મૃતકોમાં ચાર બાળકો પણ હતા.
ઝાંસીના ચિરગાંવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં શુક્રવારે બપોરે મોટો અકસ્માત થયો હતો. ભંડેર રોડ પર છિનોરા ગામમાંથી જવારે વિસર્જિત કરવા માટે ચિરગાંવ જઇ રહેલું ટ્રેક્ટર પલટી જતાં 11 લોકોના મોત થયા હતા. ટ્રેક્ટરમાં 32 લોકો હતા. મૃતકોમાં સાત મહિલાઓ અને ચાર બાળકોનો સમાવેશ થાય છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે બુમાબુમ મચી ગઈ હતી. ઘટનાસ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે.
મળતી માહિતી મુજબ, શ્રદ્ધાળુઓ ટ્રેક્ટર ટ્રોલીમાં વિસર્જન કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક રસ્તામાં મવેશી (ઢોર) આવી ગયા. પશુઓને બચાવવાના પ્રયાસમાં ટ્રેક્ટર-ટ્રોલી બેકાબૂ થઈને રસ્તાની બાજુમાં પલટી ગઈ હતી. આ ભયાનક દુર્ઘટનામાં 11 લોકોનાં મોત નીપજ્યાં હતાં અને ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ અકસ્માત આજે શુક્રવારે સાંજે ચિરગાંવ વિસ્તારમાં ભંડેર રોડ પર થયો હતો.
SP સિટી ત્રિપાઠી પણ ઘટનાસ્થળ પર પહોંચી ગયા છે અને રાહત બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે મેડિકલ કોલેજ મોકલવામાં આવ્યા છે. માહિતી મળતા પોલીસની ટીમે સ્થળ પર પહોંચીને ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે ખસેડ્યા છે. તો મૃત્યુ પામનાર લોકોનું પંચનામુ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે અકસ્માત સ્થળ પર અવરજવરને સામાન્ય કરી દેવામાં આવી છે.