વૃદ્ધ NRI દંપતીની હત્યા માટે વપરાયેલો છરો પાવગઢથી ખરીદ્યો હતો
ઘટનાને અંજામ આપ્યા બાદ 4 આરોપી અલગ અલગ બે બાઈક પર નીકળ્યા હતા, હજુ એક આરોપી રવિ શર્મા ફરાર
ફર્નિચર કામના ફોટો પાડવાનું કહી ચાર શખ્સો ઘરમાં ઘુસી ગયા હતા, પકડાઈ જવાના ડરથી દંપતીની પાવાગઢથી લાવેલા છરાથી હત્યા કરી
હત્યારાઓથી કાર અથડાતા કાર મૂકી વડોદરાથી ચોરી કરેલી બાઈક પર મધ્યપ્રદેશ પહોંચ્યા
WatchGujarat અમદાવાદના સોલાના ચકચારી ડબલ મર્ડર કેસમાં ક્રાઇમ બ્રાન્ચે 5 આરોપીની ધરપકડ કરી છે. દંપતી વિષે માહિતી આપનાર ફર્નિચરના કારીગર ઉપરાંત તેના ભાઈ, બનેવી, મિત્ર સહિત 5 આરોપી ઝડપી લેવામા આવ્યા છે. બહેનના લગ્ન માટે સાસરી પક્ષ દ્વારા દહેજની માંગણી કરી હોવાથી સમગ્ર ગુનાને અંજામ આપવાનો પ્લાન ઘડ્યો હોવાનું સામે આવ્યુ છે.
સોલાના ચકચારી ડબલ મર્ડર કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની મોટી સફળતા મળી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની પકડમાં આવેલા આરોપી ભરત ગૌડ, રાહુલ ગૌડ, નીતિન ગૌડ, બ્રિજમોહન ગૌડ અને આશિષ વિશ્વકર્માની ડબલ મર્ડર કેસમાં સંડોવણી સામે આવતા તેમની ધરપકડ કરવામા આવી છે. જે પૈકી આરોપી ભરત અને રાહુલ બે સગા ભાઈ છે તો નીતિન તેનો સાળો હોવાનુ સામે આવ્યું છે. ભરત અને રાહુલની બહેનના લગ્ન હોવાથી સાસરિયા પક્ષે બુલેટ, ફ્રિજ અને ટીવી સહિતના દહેજની માંગણી કરી હતી. જે માટે તેને રૂપિયાની જરૂર ઉભી થઈ હતી.
દરમિયાન ભરત ગત 14 ફેબ્રુઆરીથી 24 ફેબ્રુઆરી સુધી મૃતક અશોકભાઈના ઘરે ફર્નિચર કામ માટે ગયો હતો. ત્યાં તેને નીતિનને પણ બોલાવ્યો હતો. તે સમયે મૃતકનો પરિવાર દુબઈ રહેતો હોવાનું સામે આવતા 15 દિવસ ચોરીનું પ્લાનિંગ કરી રેકી કરવામા આવી હતી. ત્યાર બાદ ચોરીના ઈરાદે ઘરમાં ઘુસ્યા હતા. રાત્રે કર્ફ્યૂ હોવાથી વહેલી સવારનો સમય પસંદ કર્યો હતો. રેકી કરવા તથા ગુનાને અંજામ આપવા વડોદરાથી 3 બાઈક અને 20 જેટલા મોબાઈલની ચોરી કરી હતી. જેમાથી બે બાઈકનો ઉપયોગ કર્યો હતો.
ઘટનાના દિવસે ભરતને છોડી અન્ય 4 આરોપી રાહુલ, નીતિન, આશિષ અને બ્રિજમોહન વૃદ્ધના ઘરમા ગયા હતા. ફર્નિચરના ફોટા પાડવાના બહાને ઘરમાં ઘૂસી અશોકભાઈને બેભાન કર્યા હતા. ઘરમાં ફર્નિચરના ફોટા પાડવાના બહાને ઘુસેલા હત્યારાઓએ નીચેના રૂમમાં રહેલા મૃતક અશોક પટેલ સાથે ઝપાઝપી કરી હતો. દરમિયાન ઉપર પૂજા રૂમમાં પૂજા કરી રહેલા પત્ની જ્યોત્સનાબેનને અવાજ આવતા તેઓ નીચે આવ્યા હતા. ત્યારે નીતિને તેમની ઉપર હુમલો કર્યો હતો. જેમાં જ્યોત્સનાબેન પણ મૃત્યુ પામ્યા હતા. ત્યારબાદ હત્યારાઓએ અશોકભાઈ પર હુમલો કર્યો અને તેમનું પણ મોત નીપજ્યું હતું.
જ્યોત્સનાબેન અને અશોક પટેલની હત્યા બાદ હત્યારાઓએ ઘરમાંથી રોકડા રૂ.50 હજાર અને દાગીનાની લૂંટ ચાલવી ઘરમાં પાર્ક કરેલી કાર ચોરી કરીને નાસી છૂટવાની પેરવીમાં હતા. પરંતુ ડ્રોઅરમાં પડેલી કારની ચાવી લઈ કાર ચાલુ કરતાની સાથે જ કાર સીધી બીજી ગિયરમાં પડતા બહારના દરવાજામાં અથડાઈ હતી. જેથી હત્યારાઓએ કાર લઇ જવાનું ટાળી ત્યાંથી નીકળી ગયા હતા. પરંતુ કાર અથડાતા બાઈક પર ભાગી ગયા હતા. ઉલ્લેખનીય છે કે બનાવ સમયે નીતિન પોતાના મિત્ર રવિ શર્માને તમામ માહિતી આપી રહ્યો હતો.
આ ઘટનાને અંજામ આપ્યા બાદ 4 આરોપી અલગ અલગ બે બાઈક પર નીકળ્યા હતા. જેમાં તેઓ વૈષ્ણોદેવી એકઠા થયા હતા. ત્યાર બાદ ત્યાથી હિંમતનગર, ચિત્તોડગઢ રોકાયા હતા. જોકે પોલીસની ગંધ આવતા પોતાના વતન જતા રહ્યા હતા. પરંતુ પોતાના ઘરે ન રોકાઈ એક દિવસ જંગલ અને મંદિરમાં રાત વિતાવી હતી.
જોકે પોલીસે ખૂબ જ મહેનત કરી 5 આરોપીને અલગ અલગ રાજ્યમાંથી ઝડપી તમામ મુદ્દામાલ કબ્જે કર્યો છે. જેમા હત્યા માટે વાપરેલી છરી પાવાગઢ થી ખરીદી હોવાનુ સામે આવ્યુ છે. આ ગુનામા હાલમાં એક આરોપી રવિ શર્મા ફરાર છે. જેની તપાસ કરવામા આવી રહી છે.
વૃદ્ધ NRI દંપતીની હત્યા માટે વપરાયેલો છરો પાવગઢથી ખરીદ્યો હતો
ઘટનાને અંજામ આપ્યા બાદ 4 આરોપી અલગ અલગ બે બાઈક પર નીકળ્યા હતા, હજુ એક આરોપી રવિ શર્મા ફરાર
ફર્નિચર કામના ફોટો પાડવાનું કહી ચાર શખ્સો ઘરમાં ઘુસી ગયા હતા, પકડાઈ જવાના ડરથી દંપતીની પાવાગઢથી લાવેલા છરાથી હત્યા કરી
WatchGujaratઅમદાવાદના સોલાના ચકચારી ડબલ મર્ડર કેસમાં ક્રાઇમ બ્રાન્ચે 5 આરોપીની ધરપકડ કરી છે. દંપતી વિષે માહિતી આપનાર ફર્નિચરના કારીગર ઉપરાંત તેના ભાઈ, બનેવી, મિત્ર સહિત 5 આરોપી ઝડપી લેવામા આવ્યા છે. બહેનના લગ્ન માટે સાસરી પક્ષ દ્વારા દહેજની માંગણી કરી હોવાથી સમગ્ર ગુનાને અંજામ આપવાનો પ્લાન ઘડ્યો હોવાનું સામે આવ્યુ છે.
સોલાના ચકચારી ડબલ મર્ડર કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની મોટી સફળતા મળી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની પકડમાં આવેલા આરોપી ભરત ગૌડ, રાહુલ ગૌડ, નીતિન ગૌડ, બ્રિજમોહન ગૌડ અને આશિષ વિશ્વકર્માની ડબલ મર્ડર કેસમાં સંડોવણી સામે આવતા તેમની ધરપકડ કરવામા આવી છે. જે પૈકી આરોપી ભરત અને રાહુલ બે સગા ભાઈ છે તો નીતિન તેનો સાળો હોવાનુ સામે આવ્યું છે. ભરત અને રાહુલની બહેનના લગ્ન હોવાથી સાસરિયા પક્ષે બુલેટ, ફ્રિજ અને ટીવી સહિતના દહેજની માંગણી કરી હતી. જે માટે તેને રૂપિયાની જરૂર ઉભી થઈ હતી.
દરમિયાન ભરત ગત 14 ફેબ્રુઆરીથી 24 ફેબ્રુઆરી સુધી મૃતક અશોકભાઈના ઘરે ફર્નિચર કામ માટે ગયો હતો. ત્યાં તેને નીતિનને પણ બોલાવ્યો હતો. તે સમયે મૃતકનો પરિવાર દુબઈ રહેતો હોવાનું સામે આવતા 15 દિવસ ચોરીનું પ્લાનિંગ કરી રેકી કરવામા આવી હતી. ત્યાર બાદ ચોરીના ઈરાદે ઘરમાં ઘુસ્યા હતા. રાત્રે કર્ફ્યૂ હોવાથી વહેલી સવારનો સમય પસંદ કર્યો હતો. રેકી કરવા તથા ગુનાને અંજામ આપવા વડોદરાથી 3 બાઈક અને 20 જેટલા મોબાઈલની ચોરી કરી હતી. જેમાથી બે બાઈકનો ઉપયોગ કર્યો હતો.
ઘટનાના દિવસે ભરતને છોડી અન્ય 4 આરોપી રાહુલ, નીતિન, આશિષ અને બ્રિજમોહન વૃદ્ધના ઘરમા ગયા હતા. ફર્નિચરના ફોટા પાડવાના બહાને ઘરમાં ઘૂસી અશોકભાઈને બેભાન કર્યા હતા. ઘરમાં ફર્નિચરના ફોટા પાડવાના બહાને ઘુસેલા હત્યારાઓએ નીચેના રૂમમાં રહેલા મૃતક અશોક પટેલ સાથે ઝપાઝપી કરી હતો. દરમિયાન ઉપર પૂજા રૂમમાં પૂજા કરી રહેલા પત્ની જ્યોત્સનાબેનને અવાજ આવતા તેઓ નીચે આવ્યા હતા. ત્યારે નીતિને તેમની ઉપર હુમલો કર્યો હતો. જેમાં જ્યોત્સનાબેન પણ મૃત્યુ પામ્યા હતા. ત્યારબાદ હત્યારાઓએ અશોકભાઈ પર હુમલો કર્યો અને તેમનું પણ મોત નીપજ્યું હતું.
જ્યોત્સનાબેન અને અશોક પટેલની હત્યા બાદ હત્યારાઓએ ઘરમાંથી રોકડા રૂ.50 હજાર અને દાગીનાની લૂંટ ચાલવી ઘરમાં પાર્ક કરેલી કાર ચોરી કરીને નાસી છૂટવાની પેરવીમાં હતા. પરંતુ ડ્રોઅરમાં પડેલી કારની ચાવી લઈ કાર ચાલુ કરતાની સાથે જ કાર સીધી બીજી ગિયરમાં પડતા બહારના દરવાજામાં અથડાઈ હતી. જેથી હત્યારાઓએ કાર લઇ જવાનું ટાળી ત્યાંથી નીકળી ગયા હતા. પરંતુ કાર અથડાતા બાઈક પર ભાગી ગયા હતા. ઉલ્લેખનીય છે કે બનાવ સમયે નીતિન પોતાના મિત્ર રવિ શર્માને તમામ માહિતી આપી રહ્યો હતો.
આ ઘટનાને અંજામ આપ્યા બાદ 4 આરોપી અલગ અલગ બે બાઈક પર નીકળ્યા હતા. જેમાં તેઓ વૈષ્ણોદેવી એકઠા થયા હતા. ત્યાર બાદ ત્યાથી હિંમતનગર, ચિત્તોડગઢ રોકાયા હતા. જોકે પોલીસની ગંધ આવતા પોતાના વતન જતા રહ્યા હતા. પરંતુ પોતાના ઘરે ન રોકાઈ એક દિવસ જંગલ અને મંદિરમાં રાત વિતાવી હતી.
જોકે પોલીસે ખૂબ જ મહેનત કરી 5 આરોપીને અલગ અલગ રાજ્યમાંથી ઝડપી તમામ મુદ્દામાલ કબ્જે કર્યો છે. જેમા હત્યા માટે વાપરેલી છરી પાવાગઢ થી ખરીદી હોવાનુ સામે આવ્યુ છે. આ ગુનામા હાલમાં એક આરોપી રવિ શર્મા ફરાર છે. જેની તપાસ કરવામા આવી રહી છે.