CO પરાક્રમસિંહની વહીવટમા કડકાઈથી સત્તાધારી પક્ષ બોખાલાયો
ચીફ ઓફિસર વિકાસના કામો અને શહેરમાં સ્વચ્છતા, ડ્રેનેજ, પાણી અને વિજળીના પ્રજાકીય પ્રશ્નોમાં અવરોધ ઉભો કરતા હોવાનો આક્ષેપ
સરકારી ગાઈડલાઈન મુજબ વિકાસ કામોમાં પારદર્શિતા નહિ જળવાતા ટેન્ડરો રદ કર્યા હોવાની ચીફ ઓફિસરની કેફિયત
WatchGujarat. જંબુસર નગર પાલિકામાં ખાસ બોર્ડ બોલાવી 2 મહિનાથી નવનિયુક્ત ચીફ ઓફિસર સામે ઠપકા દરખાસ્ત પસાર કરવામાં આવતા ભારે ખળભળાટ મચી ગયો છે. મુખ્ય અધિકારીએ વહીવટમાં કડકાઇ બતાવતા પાલિકા સત્તાધીશો બોખલાઈ ગયા છે.
જંબુસર નગર પાલિકા મુખ્ય અધિકારી પરાક્રમસિંહ મકવાણા સરકારના પ્રવર્તમાન નિયમો તથા નગરપાલિકા અધિનિયમ કાયદા હેઠળ તેઓ ફરજ બજાવતા નહિ હોવાનો પાલિકા સત્તાધીશોએ આરોપ લગાવ્યો હતો. શહેરમાં ભુગર્ભ ગટર યોજના, પાણીના પ્રશ્નો, રોડ, લાઇટના પ્રશ્નોને લગતા કામોની પ્રજાજનો તેમજ પાલિકાના સદસ્યો દ્રારા ફરીયાદ કરવા છતા કોઇ પણ પ્રકારનું ધ્યાન આપતું નથી.
જંબુસર શહેરના હાલના સંજોગોમાં મેલેરીયા , ચિકનગુનીયા જેવા કેસો વધુ હોય તો રોગચાળો ફાટી ન નિકળે તે માટે પ્રજાજનો તરફથી શહેરના વિવિધ વિસ્તારોમાથી થતી ફરીયાદોનું પુરતુ ધ્યાન CO આપતા નથી. સરકાrની સુચના મુજબ મુખ્ય અધિકારીને અઠવાડિક દિવસ 2 માટે શહેરમાં ફેરણી કરવી જોઇએ તે કરતા નથી. આમ તેઓ શહેરમાં સ્વચ્છતા તેમજ રોડ પાણી ગટર તેમજ સ્ટ્રીટ લાઇટો જેવા કામોમાં તકેદારી નહી રાખતા કામ કરવામાં નિષ્ફળતા તેમજ બેદરકારી દાખવી છે. પાલિકાના વહીવટી કામો તેમજ આર્થિક પરિસ્થિતી સુધારવા અને શહેર સુધારવા માટે ધ્યાને પડે તેવી કોઈ પણ નક્કર કામગીરી કરી નથી.
તેઓની કામગીરીથી શહેરની પ્રજામાં ખુબ જ અસંતોષ છે. જેના કારણે શહેરના અમુક વિસ્તારોમાંથી દર ત્રીજા દિવસે પ્રજાજનો સરઘસ આકારે કચેરીમાં આવી આવેદનપત્ર સાથે ફરીયાદ કરવા આવે છે. વધુમાં નગરપાલિકાની ચુટાયેલા પ્રમુખ તેમજ સદસ્યઓ કોઈ પણ સામાન્ય ફરીયાદ કરે તો તેના ઉપર પુરતુ ધ્યાન આપતા નથી.
પૂર્વ ચીફ ઓફિસરના સમયમાં વિકાસના કામો , ચુટાયેલી પાંખ દ્વારા મંજુર કરવામાં આવેલા કામો સ્થિગિત કરી વિકાસના કામોમાં અડચણ ઊભી કરી છે . તેમજ પુર્વ મુખ્ય અધિકારીએ મંજુર કરેલા આવશ્યક સેવાના કામો અંગે જે તે એજન્સીને વર્ક ઓર્ડર આપેલ તે રદ કરી પોતે સર્વેસર્વા છે તેવી છાપ ઊભી કરી નગરપાલિકાના વહીવટના કામો ખોરંભે નાખી પ્રજાજનોને બાનમાં રાખવાની પરિસ્થિતી ઊભી કરી છે.
આ પરિસ્થિતિ ને લઈ જંબુસર પાલિકાનું ખાસ બોર્ડ બોલાવવામાં આવ્યું હતું. જેમાં હાલમાં જ નિયુક્ત થયેલા ચીફ ઓફિસર પરાક્રમસિંહ મકવાણા વિકાસ કામોમાં અવરોધ ઉભા કરતા હોવાનો આક્ષેપ કરાયો હતો. શહેરમાં ગંદકી, પાણી, વીજળી અને પ્રજાકીય કામો થતા નહીં હોવાથી બોર્ડમાં 28 સભ્યો પૈકી 22 સભ્યોની બહુમતીથી પાલિકા મુખ્ય અધિકારી સામે ખાસ ઠપકા દરખાસ્ત પસાર કરાઈ હતી.
જેમાં મુખ્ય અધિકારીને હવે શહેરની સ્વચ્છતા, રસ્તા, પાણી, ગટર,વીજળીને લગતા તેમજ બોર્ડ એ મંજુર કરેલા વિકાસકામોને વેગ આપવા જણાવાયું હતું. બીજી તરફ ઠપકા દરખાસ્ત અંગે ચીફ ઓફિસર પરાક્રમસિંહે જણાવ્યું હતું કે, ઠપકા દરખાસ્તની પાલિકાના કર્મચારી સામે જોગવાઈ છે. સીઓ રાજ્ય સરકારના કર્મચારી છે,તેઓ દરખાસ્ત કરી સરકારમાં મોકલી શકે છે. સરકારી ગાઈડલાઈન મુજબ વિકાસ કામોમાં ટેન્ડરિંગની પ્રક્રિયામાં પારદર્શિતા નહિ જળવાતા ફરજના ભાગરૂપે અટકાવવામાં આવ્યા હોવાનું વધુમાં ચીફ ઓફિસરે કહ્યું હતું.
CO પરાક્રમસિંહની વહીવટમા કડકાઈથી સત્તાધારી પક્ષ બોખાલાયો
ચીફ ઓફિસર વિકાસના કામો અને શહેરમાં સ્વચ્છતા, ડ્રેનેજ, પાણી અને વિજળીના પ્રજાકીય પ્રશ્નોમાં અવરોધ ઉભો કરતા હોવાનો આક્ષેપ
સરકારી ગાઈડલાઈન મુજબ વિકાસ કામોમાં પારદર્શિતા નહિ જળવાતા ટેન્ડરો રદ કર્યા હોવાની ચીફ ઓફિસરની કેફિયત
WatchGujarat. જંબુસર નગર પાલિકામાં ખાસ બોર્ડ બોલાવી 2 મહિનાથી નવનિયુક્ત ચીફ ઓફિસર સામે ઠપકા દરખાસ્ત પસાર કરવામાં આવતા ભારે ખળભળાટ મચી ગયો છે. મુખ્ય અધિકારીએ વહીવટમાં કડકાઇ બતાવતા પાલિકા સત્તાધીશો બોખલાઈ ગયા છે.
જંબુસર નગર પાલિકા મુખ્ય અધિકારી પરાક્રમસિંહ મકવાણા સરકારના પ્રવર્તમાન નિયમો તથા નગરપાલિકા અધિનિયમ કાયદા હેઠળ તેઓ ફરજ બજાવતા નહિ હોવાનો પાલિકા સત્તાધીશોએ આરોપ લગાવ્યો હતો. શહેરમાં ભુગર્ભ ગટર યોજના, પાણીના પ્રશ્નો, રોડ, લાઇટના પ્રશ્નોને લગતા કામોની પ્રજાજનો તેમજ પાલિકાના સદસ્યો દ્રારા ફરીયાદ કરવા છતા કોઇ પણ પ્રકારનું ધ્યાન આપતું નથી.
જંબુસર શહેરના હાલના સંજોગોમાં મેલેરીયા , ચિકનગુનીયા જેવા કેસો વધુ હોય તો રોગચાળો ફાટી ન નિકળે તે માટે પ્રજાજનો તરફથી શહેરના વિવિધ વિસ્તારોમાથી થતી ફરીયાદોનું પુરતુ ધ્યાન CO આપતા નથી. સરકાrની સુચના મુજબ મુખ્ય અધિકારીને અઠવાડિક દિવસ 2 માટે શહેરમાં ફેરણી કરવી જોઇએ તે કરતા નથી. આમ તેઓ શહેરમાં સ્વચ્છતા તેમજ રોડ પાણી ગટર તેમજ સ્ટ્રીટ લાઇટો જેવા કામોમાં તકેદારી નહી રાખતા કામ કરવામાં નિષ્ફળતા તેમજ બેદરકારી દાખવી છે. પાલિકાના વહીવટી કામો તેમજ આર્થિક પરિસ્થિતી સુધારવા અને શહેર સુધારવા માટે ધ્યાને પડે તેવી કોઈ પણ નક્કર કામગીરી કરી નથી.
તેઓની કામગીરીથી શહેરની પ્રજામાં ખુબ જ અસંતોષ છે. જેના કારણે શહેરના અમુક વિસ્તારોમાંથી દર ત્રીજા દિવસે પ્રજાજનો સરઘસ આકારે કચેરીમાં આવી આવેદનપત્ર સાથે ફરીયાદ કરવા આવે છે. વધુમાં નગરપાલિકાની ચુટાયેલા પ્રમુખ તેમજ સદસ્યઓ કોઈ પણ સામાન્ય ફરીયાદ કરે તો તેના ઉપર પુરતુ ધ્યાન આપતા નથી.
પૂર્વ ચીફ ઓફિસરના સમયમાં વિકાસના કામો , ચુટાયેલી પાંખ દ્વારા મંજુર કરવામાં આવેલા કામો સ્થિગિત કરી વિકાસના કામોમાં અડચણ ઊભી કરી છે . તેમજ પુર્વ મુખ્ય અધિકારીએ મંજુર કરેલા આવશ્યક સેવાના કામો અંગે જે તે એજન્સીને વર્ક ઓર્ડર આપેલ તે રદ કરી પોતે સર્વેસર્વા છે તેવી છાપ ઊભી કરી નગરપાલિકાના વહીવટના કામો ખોરંભે નાખી પ્રજાજનોને બાનમાં રાખવાની પરિસ્થિતી ઊભી કરી છે.
આ પરિસ્થિતિ ને લઈ જંબુસર પાલિકાનું ખાસ બોર્ડ બોલાવવામાં આવ્યું હતું. જેમાં હાલમાં જ નિયુક્ત થયેલા ચીફ ઓફિસર પરાક્રમસિંહ મકવાણા વિકાસ કામોમાં અવરોધ ઉભા કરતા હોવાનો આક્ષેપ કરાયો હતો. શહેરમાં ગંદકી, પાણી, વીજળી અને પ્રજાકીય કામો થતા નહીં હોવાથી બોર્ડમાં 28 સભ્યો પૈકી 22 સભ્યોની બહુમતીથી પાલિકા મુખ્ય અધિકારી સામે ખાસ ઠપકા દરખાસ્ત પસાર કરાઈ હતી.
જેમાં મુખ્ય અધિકારીને હવે શહેરની સ્વચ્છતા, રસ્તા, પાણી, ગટર,વીજળીને લગતા તેમજ બોર્ડ એ મંજુર કરેલા વિકાસકામોને વેગ આપવા જણાવાયું હતું. બીજી તરફ ઠપકા દરખાસ્ત અંગે ચીફ ઓફિસર પરાક્રમસિંહે જણાવ્યું હતું કે, ઠપકા દરખાસ્તની પાલિકાના કર્મચારી સામે જોગવાઈ છે. સીઓ રાજ્ય સરકારના કર્મચારી છે,તેઓ દરખાસ્ત કરી સરકારમાં મોકલી શકે છે. સરકારી ગાઈડલાઈન મુજબ વિકાસ કામોમાં ટેન્ડરિંગની પ્રક્રિયામાં પારદર્શિતા નહિ જળવાતા ફરજના ભાગરૂપે અટકાવવામાં આવ્યા હોવાનું વધુમાં ચીફ ઓફિસરે કહ્યું હતું.