57 વર્ષિય રજનીકાંત દુલેરા સેક્ટર 17 માં આવેલી જિલ્લા પંચાયતની કચેરીની આરોગ્ય શાખામાં પ્યુન તરીકે ફરજ બજાવતા હતા
બપોરે રીસેસ પડતા તેઓ ચા – નાસ્તો કરીને પોતાની ફરજના સ્થળે જઇ રહ્યા
વિજળી પડતા જ રજનીકાંત દુલેરાનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું
[caption id="attachment_1397685" align="aligncenter" width="640"] one man died after lightning: a 57 year old man died after being struck by lightning in gandhinagar old secretariat |[/caption]
WatchGujarat. ગાંધીનગર ખાતે આવેલા જુના સચિવાલયમાં આજરોજ વિજળી પડવાને કારણે સચિવાલયમાં કામ કરતા કર્મીનું મોત થયાની ઘટના સામે આવી હતી. કર્મી રીસેસના સમયે જુના સચિવાલયમાં આવેલા ઝાડ નજીકથી પસાર થઇ રહ્યા હતા. ત્યાં બપોરના સમયે વિજળી પડતા તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતા સહકર્મીઓમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. અને સ્થળ પર પોલીસ દોડી આવી હતી. અને મામલે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
https://youtu.be/GviL0AxX1eQ
ઘટના અંગે પ્રાપ્ત પ્રાથમિક વિગતો પ્રમાણે, ગાંધીનગરમાં રહેતા 57 વર્ષિય રજનીકાંત દુલેરા સેક્ટર 17 માં આવેલી જિલ્લા પંચાયતની કચેરીની આરોગ્ય શાખામાં પ્યુન તરીકે ફરજ બજાવતા હતા. આજરોજ તેઓ નિત્યક્રમ પ્રમાણે ઓફિસ આવ્યા હતા. બપોરે રીસેસ પડતા તેઓ ચા – નાસ્તો કરીને પોતાની ફરજના સ્થળે જઇ રહ્યા હતા. દરમિયાન લીમડાના ઝાડ નીચેથી પસાર થતા તેમના પર અચાનક વિજળી પડી હતી. વિજળી પડતા જ રજનીકાંત દુલેરાનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતા સહકર્મીઓ સ્થળ પર એકઠા થઇ ગયા હતા. અને સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા જ પોલીસને કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.
ઘટનાની જાણ 108ને કરવામાં આવી અને તેઓને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ત્યારે હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને મૃતક કર્મચારીની લાશને પોસ્ટ મોર્ટમ માટે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
અત્રે ઉલ્લેખીય છે કે, રાજ્યભરમાં મેઘ મહેર પ્રવર્તિ રહી છે. અગાઉ પણ અનેક જગ્યાએ વિજળી પડી મૃત્યુ થયાની ઘટનાઓ સામે આવી હતી. આવા સમયે વિજળીથી બચવાના તમામ ઉપાયો નાગરીકોએ અનુસરવા જોઇએ.
57 વર્ષિય રજનીકાંત દુલેરા સેક્ટર 17 માં આવેલી જિલ્લા પંચાયતની કચેરીની આરોગ્ય શાખામાં પ્યુન તરીકે ફરજ બજાવતા હતા
બપોરે રીસેસ પડતા તેઓ ચા – નાસ્તો કરીને પોતાની ફરજના સ્થળે જઇ રહ્યા
વિજળી પડતા જ રજનીકાંત દુલેરાનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું
[caption id="attachment_1397685" align="aligncenter" width="640"] one man died after lightning: a 57 year old man died after being struck by lightning in gandhinagar old secretariat |[/caption]
WatchGujarat. ગાંધીનગર ખાતે આવેલા જુના સચિવાલયમાં આજરોજ વિજળી પડવાને કારણે સચિવાલયમાં કામ કરતા કર્મીનું મોત થયાની ઘટના સામે આવી હતી. કર્મી રીસેસના સમયે જુના સચિવાલયમાં આવેલા ઝાડ નજીકથી પસાર થઇ રહ્યા હતા. ત્યાં બપોરના સમયે વિજળી પડતા તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતા સહકર્મીઓમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. અને સ્થળ પર પોલીસ દોડી આવી હતી. અને મામલે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
ઘટના અંગે પ્રાપ્ત પ્રાથમિક વિગતો પ્રમાણે, ગાંધીનગરમાં રહેતા 57 વર્ષિય રજનીકાંત દુલેરા સેક્ટર 17 માં આવેલી જિલ્લા પંચાયતની કચેરીની આરોગ્ય શાખામાં પ્યુન તરીકે ફરજ બજાવતા હતા. આજરોજ તેઓ નિત્યક્રમ પ્રમાણે ઓફિસ આવ્યા હતા. બપોરે રીસેસ પડતા તેઓ ચા – નાસ્તો કરીને પોતાની ફરજના સ્થળે જઇ રહ્યા હતા. દરમિયાન લીમડાના ઝાડ નીચેથી પસાર થતા તેમના પર અચાનક વિજળી પડી હતી. વિજળી પડતા જ રજનીકાંત દુલેરાનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતા સહકર્મીઓ સ્થળ પર એકઠા થઇ ગયા હતા. અને સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા જ પોલીસને કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.
ઘટનાની જાણ 108ને કરવામાં આવી અને તેઓને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ત્યારે હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને મૃતક કર્મચારીની લાશને પોસ્ટ મોર્ટમ માટે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
અત્રે ઉલ્લેખીય છે કે, રાજ્યભરમાં મેઘ મહેર પ્રવર્તિ રહી છે. અગાઉ પણ અનેક જગ્યાએ વિજળી પડી મૃત્યુ થયાની ઘટનાઓ સામે આવી હતી. આવા સમયે વિજળીથી બચવાના તમામ ઉપાયો નાગરીકોએ અનુસરવા જોઇએ.