કોંગ્રેસ કહ્યું શાસક અમને કડીવાળા ના સમજે, શહેરના પ્રથમ નાગરિક જૂઠું બોલવામાં ઉસ્તાદ, સવા કલાક ચાલેલી સામાન્ય સભા તોફાની બની
સભામાં મુકાયેલ 51 કામોમાં મોટા ભાગના ભાજપે બહુમતીના જોરે મંજૂર કરાવ્યા
WatchGujarat. અંકલેશ્વર નગર પાલિકાની ગુરૂવારે મળેલી સામાન્ય સભા અનેક વિવાદો સાથે ગરમા ગરમ બની રહેવા પામી હતી. વિપક્ષી સભ્યો એ અનેક મુદ્દે સતાપક્ષના કાન આમળ્યા હતા. સવા કલાક ચાલેલી સભામાં વિપક્ષે ભાજપ ઉપર ભ્રષ્ટાચાર અને ખાયકીના આક્ષેપો કર્યા હતા.
અંકલેશ્વર નગરપાલિકાની ગુરુવારે યોજાયેલી સાધારણ સભામાં પ્રમુખ વિનય વસાવાએ કુલ 51 જેટલા વિકાસના કામોને બોર્ડ સમક્ષ મૂક્યા હતા. મોટાભાગના કામોમાં વિપક્ષી નેતા જહાંગીર ખાન પઠાણ તેમજ સદસ્ય રફીક ઝગડિયાવાલા એ ગેરરીતિ તેમજ ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા.
વિપક્ષી સભ્યો ના કહેવા મુજબ સત્તાપક્ષ નિયમ વિરૃદ્ધ અગાઉ જે કામ થઈ ગયા હોય તેનું પેમેન્ટ ચૂકવાઈ ગયું હોય તેવા કામો મંજૂરી અર્થે બોર્ડમાં મૂકે છે. તો વાર્ષિક કોન્ટ્રાકટના ઓથા હેઠળ નગરપાલિકા ની તિજોરીના નાણાંનો દુરુપયોગ કરતા આવ્યા છે. વિપક્ષી સભ્યોએ બિરસા મુંડાની પ્રતિમા મુકવા સંદર્ભે પણ સત્તાપક્ષની ફીરકી લીધી હતી. તો હલકી ગુણવત્તાવાળા રોડ-રસ્તા બ્લોકના કામોમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાના આક્ષેપો કર્યા હતા.
નગરપાલિકાના પ્રમુખ વિનય વસાવા એ જોકે તમામ આક્ષેપોને ફગાવી દીધા હતા. વધુમા ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે નગરપાલિકા પૂનઃ જમીન હસ્તાંતરિત કરી ત્યાં સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ઉભુ કરાશે તેવી જાહેરાત કરી હતી. સાથે ત્રણ રસ્તા સર્કલનું રાજસ્થાની સમાજ દ્વારા આધુનિકરણ કરવામાં આવનાર છે.
કોંગ્રેસે જિનવાલા સ્કૂલમાં ₹ 60 લાખનો ખર્ચો અને સુકાવાલી ડમ્પિંગ સાઇટ ઉપર લાખોનું ભંગાર વેચી મારવામાં ગેરરીતિના આક્ષેપ કર્યા હતા. બંનેનો અહેવાલ સભામાં રજૂ નહીં કરાતા વિપક્ષ લાલઘૂમ બન્યું હતું. સાથે 26 કામદારોને છૂટા કરી દેવા મુદ્દે કાયદાકીય લડત ચલાવવાની તૈયારી વિપક્ષે બતાવી હતી. વધુમાં પાલિકા પ્રમુખ એવા શહેરના પ્રથમ નાગરિક જૂઠું બોલવામાં ઉસ્તાદ હોવાનું વિપક્ષે નિવેદન આપી તેઓ વિરોધ પક્ષને કડી પહેરીને આવતા હોવાનું શાસક પક્ષ ભાજપ ન સમજે તેવી પણ ટકોર કરી છે.
કોંગ્રેસ કહ્યું શાસક અમને કડીવાળા ના સમજે, શહેરના પ્રથમ નાગરિક જૂઠું બોલવામાં ઉસ્તાદ, સવા કલાક ચાલેલી સામાન્ય સભા તોફાની બની
WatchGujarat. અંકલેશ્વર નગર પાલિકાની ગુરૂવારે મળેલી સામાન્ય સભા અનેક વિવાદો સાથે ગરમા ગરમ બની રહેવા પામી હતી. વિપક્ષી સભ્યો એ અનેક મુદ્દે સતાપક્ષના કાન આમળ્યા હતા. સવા કલાક ચાલેલી સભામાં વિપક્ષે ભાજપ ઉપર ભ્રષ્ટાચાર અને ખાયકીના આક્ષેપો કર્યા હતા.
અંકલેશ્વર નગરપાલિકાની ગુરુવારે યોજાયેલી સાધારણ સભામાં પ્રમુખ વિનય વસાવાએ કુલ 51 જેટલા વિકાસના કામોને બોર્ડ સમક્ષ મૂક્યા હતા. મોટાભાગના કામોમાં વિપક્ષી નેતા જહાંગીર ખાન પઠાણ તેમજ સદસ્ય રફીક ઝગડિયાવાલા એ ગેરરીતિ તેમજ ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા.
વિપક્ષી સભ્યો ના કહેવા મુજબ સત્તાપક્ષ નિયમ વિરૃદ્ધ અગાઉ જે કામ થઈ ગયા હોય તેનું પેમેન્ટ ચૂકવાઈ ગયું હોય તેવા કામો મંજૂરી અર્થે બોર્ડમાં મૂકે છે. તો વાર્ષિક કોન્ટ્રાકટના ઓથા હેઠળ નગરપાલિકા ની તિજોરીના નાણાંનો દુરુપયોગ કરતા આવ્યા છે. વિપક્ષી સભ્યોએ બિરસા મુંડાની પ્રતિમા મુકવા સંદર્ભે પણ સત્તાપક્ષની ફીરકી લીધી હતી. તો હલકી ગુણવત્તાવાળા રોડ-રસ્તા બ્લોકના કામોમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાના આક્ષેપો કર્યા હતા.
નગરપાલિકાના પ્રમુખ વિનય વસાવા એ જોકે તમામ આક્ષેપોને ફગાવી દીધા હતા. વધુમા ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે નગરપાલિકા પૂનઃ જમીન હસ્તાંતરિત કરી ત્યાં સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ઉભુ કરાશે તેવી જાહેરાત કરી હતી. સાથે ત્રણ રસ્તા સર્કલનું રાજસ્થાની સમાજ દ્વારા આધુનિકરણ કરવામાં આવનાર છે.
કોંગ્રેસે જિનવાલા સ્કૂલમાં ₹ 60 લાખનો ખર્ચો અને સુકાવાલી ડમ્પિંગ સાઇટ ઉપર લાખોનું ભંગાર વેચી મારવામાં ગેરરીતિના આક્ષેપ કર્યા હતા. બંનેનો અહેવાલ સભામાં રજૂ નહીં કરાતા વિપક્ષ લાલઘૂમ બન્યું હતું. સાથે 26 કામદારોને છૂટા કરી દેવા મુદ્દે કાયદાકીય લડત ચલાવવાની તૈયારી વિપક્ષે બતાવી હતી. વધુમાં પાલિકા પ્રમુખ એવા શહેરના પ્રથમ નાગરિક જૂઠું બોલવામાં ઉસ્તાદ હોવાનું વિપક્ષે નિવેદન આપી તેઓ વિરોધ પક્ષને કડી પહેરીને આવતા હોવાનું શાસક પક્ષ ભાજપ ન સમજે તેવી પણ ટકોર કરી છે.