વિશ્વમાં અત્યાર સુધીમાં આ પ્રકારનાં 4-5 કેસ સામે આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
સર્જરી બાદ મહિલાએ 2.7 કિલોનાં સ્વસ્થ બાળકને જન્મ આપતા તબીબો પણ 'ઓહ માય ગોડ' એવું બોલી ઉઠ્યા હતા.
રાજકોટ. શહેરની સિવિલ હોસ્પિટલનાં ગાયનેક વિભાગમાં વિશ્વનાં ડોક્ટરોને આશ્ચર્ય પમાડે તેવો પ્રસુતિનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ડિલિવરી કરાવતી ડોક્ટર્સની ટીમને ગર્ભાશયની બહાર બે મૃત બાળકોનાં હડકાઓ જોવા મળ્યા હતા. તેમજ તેને બહાર કાઢ્યા બાદ ત્રીજા બાળકની સફળ ડિલિવરી કરાવવામાં આવી હતી. જો કે પ્રસુતિ કરાવ્યા બાદ ડોક્ટરો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. અને વિશ્વભરમાં આવા માત્ર 4-5 કેસ નોંધાયા હોવાનું જણાવ્યું હતું.
જાણવા મળતી વિગતો મુજબ અમરેલીના ધારી ગામે રહેતા અનિષાબેન ઈમ્તિયાઝભાઈ બ્લોચ નામની એક મહિલાને પ્રસુતિની પીડા શરૂ થયા બાદ ધારી આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવી હતી. જોકે ત્યાંથી તરત જ તેમને રાજકોટ રીફર કરાયા હતા. અને અહીં પહોંચતા તરત જ સોનોગ્રાફી અને બાળકનાં ધબકારા ચેક કરી ડિલિવરી માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી.
બાદમાં ગાયનેક વિભાગના ડો. મનીષા પરમાર, ડો. કવિતા દુધરેજીયા, ડો. અનંત પાંડે તેમજ નર્સિંગ સ્ટાફનાં હર્ષાબેન ટાંક સાહિતનાઓ દ્વારા ઓપરેશન શરૂ કરાયું હતું. દરમિયાન દર્દીનું પેટ ખોલતાની સાથે ગર્ભાશયની આગળ ખોપરી જેવો ભાગ જોવા મળ્યો હતો. અને દર્દીનાં ફેંફસા, હૃદય અને આંતરડા ઓગળ્યા હોય તેમ પીળું પ્રવાહી નીકળવા લાગતા બધા ચિંતામાં મુકાયા હતા.
જો કે બાદમાં વધુ સાવધાની પૂર્વક સર્જરી કરવામાં આવી હતી. જેમાં એક પછી એક નાના-મોટા હાડકા નીકળવા લાગ્યા હતા. તમામ હડકાઓ બહાર કાઢી સ્વચ્છ કરતા તે બે મૃત બાળકોનાં હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને તબીબો આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા હતા. અને સર્જરી બાદ મહિલાએ 2.7 કિલોનાં સ્વસ્થ બાળકને જન્મ આપતા તબીબો પણ 'ઓહ માય ગોડ' એવું બોલી ઉઠ્યા હતા.
[caption id="attachment_2170" align="aligncenter" width="1440"] (ડોક્ટર્સની ટીમને ગર્ભાશયની બહાર બે મૃત બાળકોનાં હડકાઓ જોવા મળ્યા હતા.)[/caption]
આ અનોખા બનાવ અંગે ડો. મનીષા પરમારે કહ્યું હતું કે, ગર્ભાશયની બહારથી બે-બે મૃત બાળકોનાં હાડકાં નિકળવા એ ખરેખર અમારા માટે પણ આશ્ચર્યજનક હતું. જો કે તપાસ કરતા વિશ્વમાં અત્યાર સુધીમાં આ પ્રકારનાં 4-5 કેસ સામે આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ રાજકોટ સહિત ગુજરાતમાં કદાચ આ પ્રથમ કેસ હોઈ આ પ્રસુતિ કરાવનારી ટીમ ગર્વની લાગણી અનુભવી રહી હોવાનું કહેતા 10 વર્ષની પ્રેક્ટિસમાં આ પ્રથમ કિસ્સો હોવાનું પણ તેમણે સ્વીકાર્યું હતું.
અન્ય કેટલાક નિષ્ણાંત ડોક્ટરોએ આ બનવાનું કારણ આપતા જણાવ્યું હતું કે, કોઈ મહિલાને શરૂઆતનાં સમયમાં કસુવાવડ થઈ હોય તેના ટાંકા ઢીલા પડવાને કારણે આવું થઈ શકે છે. આ સિવાય ગર્ભમાં બાળકનું મૃત્યુ થયા બાદ પેટમાં જતું રહ્યું હોય ત્યારે પણ આવું બની શકે છે. સામાન્ય રીતે તો ગર્ભમાં રહેલા બાળકને આંતરડામાંથી લોહી મળતું બંધ થાય તો માતા-બાળક બંનેનું મોત થાય છે. પરંતુ આ કિસ્સામાં કુદરતી રીતે બંનેનો બચાવ થયો એ જ મોટી આશ્ચર્યની વાત છે.
વિશ્વમાં અત્યાર સુધીમાં આ પ્રકારનાં 4-5 કેસ સામે આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
સર્જરી બાદ મહિલાએ 2.7 કિલોનાં સ્વસ્થ બાળકને જન્મ આપતા તબીબો પણ 'ઓહ માય ગોડ' એવું બોલી ઉઠ્યા હતા.
રાજકોટ. શહેરની સિવિલ હોસ્પિટલનાં ગાયનેક વિભાગમાં વિશ્વનાં ડોક્ટરોને આશ્ચર્ય પમાડે તેવો પ્રસુતિનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ડિલિવરી કરાવતી ડોક્ટર્સની ટીમને ગર્ભાશયની બહાર બે મૃત બાળકોનાં હડકાઓ જોવા મળ્યા હતા. તેમજ તેને બહાર કાઢ્યા બાદ ત્રીજા બાળકની સફળ ડિલિવરી કરાવવામાં આવી હતી. જો કે પ્રસુતિ કરાવ્યા બાદ ડોક્ટરો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. અને વિશ્વભરમાં આવા માત્ર 4-5 કેસ નોંધાયા હોવાનું જણાવ્યું હતું.
જાણવા મળતી વિગતો મુજબ અમરેલીના ધારી ગામે રહેતા અનિષાબેન ઈમ્તિયાઝભાઈ બ્લોચ નામની એક મહિલાને પ્રસુતિની પીડા શરૂ થયા બાદ ધારી આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવી હતી. જોકે ત્યાંથી તરત જ તેમને રાજકોટ રીફર કરાયા હતા. અને અહીં પહોંચતા તરત જ સોનોગ્રાફી અને બાળકનાં ધબકારા ચેક કરી ડિલિવરી માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી.
બાદમાં ગાયનેક વિભાગના ડો. મનીષા પરમાર, ડો. કવિતા દુધરેજીયા, ડો. અનંત પાંડે તેમજ નર્સિંગ સ્ટાફનાં હર્ષાબેન ટાંક સાહિતનાઓ દ્વારા ઓપરેશન શરૂ કરાયું હતું. દરમિયાન દર્દીનું પેટ ખોલતાની સાથે ગર્ભાશયની આગળ ખોપરી જેવો ભાગ જોવા મળ્યો હતો. અને દર્દીનાં ફેંફસા, હૃદય અને આંતરડા ઓગળ્યા હોય તેમ પીળું પ્રવાહી નીકળવા લાગતા બધા ચિંતામાં મુકાયા હતા.
જો કે બાદમાં વધુ સાવધાની પૂર્વક સર્જરી કરવામાં આવી હતી. જેમાં એક પછી એક નાના-મોટા હાડકા નીકળવા લાગ્યા હતા. તમામ હડકાઓ બહાર કાઢી સ્વચ્છ કરતા તે બે મૃત બાળકોનાં હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને તબીબો આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા હતા. અને સર્જરી બાદ મહિલાએ 2.7 કિલોનાં સ્વસ્થ બાળકને જન્મ આપતા તબીબો પણ 'ઓહ માય ગોડ' એવું બોલી ઉઠ્યા હતા.
[caption id="attachment_2170" align="aligncenter" width="1440"] (ડોક્ટર્સની ટીમને ગર્ભાશયની બહાર બે મૃત બાળકોનાં હડકાઓ જોવા મળ્યા હતા.)[/caption]
આ અનોખા બનાવ અંગે ડો. મનીષા પરમારે કહ્યું હતું કે, ગર્ભાશયની બહારથી બે-બે મૃત બાળકોનાં હાડકાં નિકળવા એ ખરેખર અમારા માટે પણ આશ્ચર્યજનક હતું. જો કે તપાસ કરતા વિશ્વમાં અત્યાર સુધીમાં આ પ્રકારનાં 4-5 કેસ સામે આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ રાજકોટ સહિત ગુજરાતમાં કદાચ આ પ્રથમ કેસ હોઈ આ પ્રસુતિ કરાવનારી ટીમ ગર્વની લાગણી અનુભવી રહી હોવાનું કહેતા 10 વર્ષની પ્રેક્ટિસમાં આ પ્રથમ કિસ્સો હોવાનું પણ તેમણે સ્વીકાર્યું હતું.
અન્ય કેટલાક નિષ્ણાંત ડોક્ટરોએ આ બનવાનું કારણ આપતા જણાવ્યું હતું કે, કોઈ મહિલાને શરૂઆતનાં સમયમાં કસુવાવડ થઈ હોય તેના ટાંકા ઢીલા પડવાને કારણે આવું થઈ શકે છે. આ સિવાય ગર્ભમાં બાળકનું મૃત્યુ થયા બાદ પેટમાં જતું રહ્યું હોય ત્યારે પણ આવું બની શકે છે. સામાન્ય રીતે તો ગર્ભમાં રહેલા બાળકને આંતરડામાંથી લોહી મળતું બંધ થાય તો માતા-બાળક બંનેનું મોત થાય છે. પરંતુ આ કિસ્સામાં કુદરતી રીતે બંનેનો બચાવ થયો એ જ મોટી આશ્ચર્યની વાત છે.