રાજ્યમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રે 12થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે
રાજ્યમાં મહાનગરપાલિકા અને સ્થાનિક સ્વરાજયની ચૂંટણીના ધમધમાટ વચ્ચે વૈશ્વિક મહામારી કોરોનાએ ફરી એકવાર માથું ઉચક્યું
કોરોના સંક્રમણ અટકાવવા ધનિષ્ટ સર્વેલંસ કામગીરી તેમજ બોર્ડર એરીયા પર સ્ક્રીનીંગ કરાશે
WatchGujarat રાજ્યમાં મહાનગરપાલિકા અને સ્થાનિક સ્વરાજયની ચૂંટણીના ધમધમાટ વચ્ચે વૈશ્વિક મહામારી કોરોનાએ ફરી એકવાર માથું ઉચક્યું છે. ત્યારે ફરી એકવાર રાજ્યમાં કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વેળાએ ચૂંટણીપ્રચાર દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત ત્રણ નેતા પણ કોરોના પોઝિટિવ આવ્યા હતાં. જેની વચ્ચે રાજ્યનાં ચાર મહાનગરમાં 28 ફેબ્રુઆરી સુધી રાત્રિ કર્ફ્યૂ લંબાવવામાં આવ્યો હતો અને રાત્રિ કર્ફ્યૂમાં એક કલાકની રાહત આપવામાં આવી હતી. જેમાં 12થી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ રાખવાનો નિર્ણય લેવાયો હતો. પરંતુ રાજકીય પક્ષો અને સત્તાભૂખ્યાં નેતાઓની બેદરકારીના લીધે 28મીએ ચાર મહાનગરોમાં પૂર્ણ થતા રાત્રી કર્ફ્યૂની મુદ્દત ફરીવાર 15 દિવસ માટે લંબાવવામાં આવી છે.
એક તરફ રાજ્ય સરકાર અને તંત્ર કોરોના સંક્રમણને અટકાવવા માટે કોરોના ગાઇડલાઇનનો સખત રીતે અમલ થાય તે રીતે પોલીસ તંત્ર પાસે કાર્યવાહી કરાવે છે. જેમાં આમ જનતા પાસેથી માસ્ક નહીં પહેરવા બદલ દંડ પેટે મસમોટા રૂપિયા પડાવી લેવામાં આવે છે. લગ્નોત્સવ અને અન્ય જાહેર પ્રસંગોમાં 100 થી 200 લોકોને જ હાજર રહેવાની ગાઇડલાઇન બહાર પાડે છે. જાણે નિયમો ફક્ત આમ જનતા માટે જ બનાવ્યા હોય તેવું લાગે છે. ત્યારે બીજી તરફ ચૂંટણી આવતાની સાથે જ રાજકીય પક્ષો અને સત્તાભૂખ્યાં નેતાઓ મોટી સંખ્યામાં જાહેર સભા, મોટી મોટી રેલીઓ યોજી ગાઈડલાઇનને નેવે મૂકી બેદરકારી દાખવે છે. જેમાં માસ્ક નહિ પહેરવું, સોશિયલ ડિસ્ટન્સીંગ નહિ જાળવવું જેવા નિયમન ધજગરા ઉડવા જેવી મહત્વની સરકારની ગાઈડલાઇનનો પ્રત્યેક તબ્બકે ભંગ થતો જોવા મળે છે. તે અંગે કાર્યવાહી કરવા પોલીસ તંત્ર ચુપકીદી સેવે છે. દરમિયાન કોરોના ફરી ડોક્યું કરે છે. અને કોરોનાના કેસમાં વધારો જોવા મળે છે. અને છેલ્લે ભોગવવાનો વારો તો આમ જનતાને જ આવે છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેજા હેઠળ શુક્રવારના રોજ યોજાયેલ કોર કમિટીની બેઠકમાં લેવાયેલ મહત્વના નિર્ણયોની વિગતો આપતા રાજયના અગ્ર સચિવ ડો. જયંતિ રવિએ જણાવ્યુ હતું કે, કોરોનાના સંક્રમણને રોકવા માટે રાજયમાં સર્વેલન્સ અને ધનવંતરી રથની કામગીરી સધન બનાવવામાં આવશે. આ અંગે બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી અને વધી રહેલ સંક્રમણ માટે મુખ્ય મંત્રી દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. કોરોના સંક્રમણ અટકાવવા ધનિષ્ટ સર્વેલન્સની કામગીરી તેમજ બોર્ડર એરીયા પર સ્ક્રીનીગ કરવા માટે સૂચનાઓ આપવામાં આવ્યા છે.
ડો. જયંતી રવિ એ ઉમેર્યુ કે, મુખ્યમંત્રી દ્વારા કોર કમીટીના સભ્યો સાથે કોરોના કેસોની જિલ્લા/કોર્પોરેશન વાઇઝ સમીક્ષા કરવામાં આવી અને ચાર મહાનગર પાલીકા વિસ્તારોમાં કેસો વધતા રાત્રી કર્ફ્યુ 15 દિવસ લંબાવવા અંગે નો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમજ આ બેઠકમાં કોવિડ-19 રસીકરણ, ફેઝ-2 માટેની તૈયારીઓની સમીક્ષા પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત રાજ્ય કક્ષાએ 104 કોરોના સંક્રમણ તેમજ કોવિડ-19 રસીકરણ કોલ સેન્ટર તથા તમામ જિલ્લા/કોર્પોરેશનમાં રસીકરણ માટે કોલ સેન્ટર દ્વારા થયેલ કામગીરીની સમીક્ષા કરીને કામગીરી વધુ સઘન કરવા પણ સૂચનાઓ આપી હતી.
રાજ્યમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રે 12થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે
રાજ્યમાં મહાનગરપાલિકા અને સ્થાનિક સ્વરાજયની ચૂંટણીના ધમધમાટ વચ્ચે વૈશ્વિક મહામારી કોરોનાએ ફરી એકવાર માથું ઉચક્યું
કોરોના સંક્રમણ અટકાવવા ધનિષ્ટ સર્વેલંસ કામગીરી તેમજ બોર્ડર એરીયા પર સ્ક્રીનીંગ કરાશે
WatchGujarat રાજ્યમાં મહાનગરપાલિકા અને સ્થાનિક સ્વરાજયની ચૂંટણીના ધમધમાટ વચ્ચે વૈશ્વિક મહામારી કોરોનાએ ફરી એકવાર માથું ઉચક્યું છે. ત્યારે ફરી એકવાર રાજ્યમાં કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વેળાએ ચૂંટણીપ્રચાર દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત ત્રણ નેતા પણ કોરોના પોઝિટિવ આવ્યા હતાં. જેની વચ્ચે રાજ્યનાં ચાર મહાનગરમાં 28 ફેબ્રુઆરી સુધી રાત્રિ કર્ફ્યૂ લંબાવવામાં આવ્યો હતો અને રાત્રિ કર્ફ્યૂમાં એક કલાકની રાહત આપવામાં આવી હતી. જેમાં 12થી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ રાખવાનો નિર્ણય લેવાયો હતો. પરંતુ રાજકીય પક્ષો અને સત્તાભૂખ્યાં નેતાઓની બેદરકારીના લીધે 28મીએ ચાર મહાનગરોમાં પૂર્ણ થતા રાત્રી કર્ફ્યૂની મુદ્દત ફરીવાર 15 દિવસ માટે લંબાવવામાં આવી છે.
એક તરફ રાજ્ય સરકાર અને તંત્ર કોરોના સંક્રમણને અટકાવવા માટે કોરોના ગાઇડલાઇનનો સખત રીતે અમલ થાય તે રીતે પોલીસ તંત્ર પાસે કાર્યવાહી કરાવે છે. જેમાં આમ જનતા પાસેથી માસ્ક નહીં પહેરવા બદલ દંડ પેટે મસમોટા રૂપિયા પડાવી લેવામાં આવે છે. લગ્નોત્સવ અને અન્ય જાહેર પ્રસંગોમાં 100 થી 200 લોકોને જ હાજર રહેવાની ગાઇડલાઇન બહાર પાડે છે. જાણે નિયમો ફક્ત આમ જનતા માટે જ બનાવ્યા હોય તેવું લાગે છે. ત્યારે બીજી તરફ ચૂંટણી આવતાની સાથે જ રાજકીય પક્ષો અને સત્તાભૂખ્યાં નેતાઓ મોટી સંખ્યામાં જાહેર સભા, મોટી મોટી રેલીઓ યોજી ગાઈડલાઇનને નેવે મૂકી બેદરકારી દાખવે છે. જેમાં માસ્ક નહિ પહેરવું, સોશિયલ ડિસ્ટન્સીંગ નહિ જાળવવું જેવા નિયમન ધજગરા ઉડવા જેવી મહત્વની સરકારની ગાઈડલાઇનનો પ્રત્યેક તબ્બકે ભંગ થતો જોવા મળે છે. તે અંગે કાર્યવાહી કરવા પોલીસ તંત્ર ચુપકીદી સેવે છે. દરમિયાન કોરોના ફરી ડોક્યું કરે છે. અને કોરોનાના કેસમાં વધારો જોવા મળે છે. અને છેલ્લે ભોગવવાનો વારો તો આમ જનતાને જ આવે છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેજા હેઠળ શુક્રવારના રોજ યોજાયેલ કોર કમિટીની બેઠકમાં લેવાયેલ મહત્વના નિર્ણયોની વિગતો આપતા રાજયના અગ્ર સચિવ ડો. જયંતિ રવિએ જણાવ્યુ હતું કે, કોરોનાના સંક્રમણને રોકવા માટે રાજયમાં સર્વેલન્સ અને ધનવંતરી રથની કામગીરી સધન બનાવવામાં આવશે. આ અંગે બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી અને વધી રહેલ સંક્રમણ માટે મુખ્ય મંત્રી દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. કોરોના સંક્રમણ અટકાવવા ધનિષ્ટ સર્વેલન્સની કામગીરી તેમજ બોર્ડર એરીયા પર સ્ક્રીનીગ કરવા માટે સૂચનાઓ આપવામાં આવ્યા છે.
ડો. જયંતી રવિ એ ઉમેર્યુ કે, મુખ્યમંત્રી દ્વારા કોર કમીટીના સભ્યો સાથે કોરોના કેસોની જિલ્લા/કોર્પોરેશન વાઇઝ સમીક્ષા કરવામાં આવી અને ચાર મહાનગર પાલીકા વિસ્તારોમાં કેસો વધતા રાત્રી કર્ફ્યુ 15 દિવસ લંબાવવા અંગે નો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમજ આ બેઠકમાં કોવિડ-19 રસીકરણ, ફેઝ-2 માટેની તૈયારીઓની સમીક્ષા પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત રાજ્ય કક્ષાએ 104 કોરોના સંક્રમણ તેમજ કોવિડ-19 રસીકરણ કોલ સેન્ટર તથા તમામ જિલ્લા/કોર્પોરેશનમાં રસીકરણ માટે કોલ સેન્ટર દ્વારા થયેલ કામગીરીની સમીક્ષા કરીને કામગીરી વધુ સઘન કરવા પણ સૂચનાઓ આપી હતી.