ફેબ્રુઆરીની શરૂઆતથી કેદીઓની તેમના સ્વજન સાથે મુલાકાત થશે
15 દિવસે 20 મિનિટ માટે જ મુલાકાત અપાશે
મુલાકાતીનો રેપીડ ટેસ્ટ નેગેટિવ આવે તો જ પ્રવેશ મળશે
WatchGujarat વૈશ્વિક મહામારી કોરોના વાયરસને કારણે લગાવવામાં આવેલા લૉકડાઉન બાદ હવે રાજ્યની જેલના કેદીઓ તેમના સ્વજનો સાથે જેલમાં જ મુલાકાત કરી શકશે. કોરોનાને કારણે લગાવવામાં આવેલા લોકડાઉનથી જેલમાં સ્વજનોને મળવા માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. જે હવે દુર કરવામાં આવ્યો છે. ત્યારે 10 મહિના બાદ 1લી ફેબ્રુઆરીથી કેદીઓ જેલમાં જ તેમના સ્વજનો સાથે મુલાકાત કરી શકશે. જો,કે કેદીના સ્વજનોના કોરોનાના રેપીડ ટેસ્ટ નેગેટિવ આવશે તો જ તેમની મુલાકાત શક્ય બનશે. તેની સાથે સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમો પણ પાળવા પડશે.
ગુજરાત રાજ્ય જેલોના વડા ડો. કે.એલ. રાવે બે દિવસ અગાઉ જારી કરેલા પત્રમાં જણાવ્યું હતું કે, એપ્રિલ-2020થી કોરોના વાયરસના સંક્રમણની મહામારીની પરિસ્થિતિના કારણે જેલોમાં પણ સંક્રમણ નિયંત્રણના ભાગરૂપે કેદીઓની રૂબરૂ મુલાકાત પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. હાલમાં કોરોના સંક્રમણનું પ્રમાણ ધીમે-ધીમે ઓછું થઈ રહ્યું છે. અને બીજી તરફ રેપીડ એન્ટિજન ટેસ્ટનો વ્યાપ પણ વધારવામાં આવ્યો છે. સાથે રસીકરણ અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે.
આવા સંજોગોમાં રાજ્યની જેલોમાં રહેલા કેદીઓ તેમના નજીકના લોહીના સંબંધ ધરાવતા કુટુંબીજનો સાથે રૂબરૂ મુલાકાતની અનુકુળતા કરવી તે કેદીઓના હીતમાં આવશ્યક જણાઈ છે. આથી શરતો અને કાર્યપદ્ધતિની સાથે સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ કોરોના ગાઈડલાઈનને આધિન કેદીઓની તેમના સ્વજનો સાથે પ્રત્યક્ષ મુલાકાત 1લી ફેબ્રુઆરીથી ચાલુ કરવાની મંજુરી આપવામાં આવી છે. રાજ્યની તમામ જેલોમાં કેદી મુલાકાત એપ્રિલ મહિનાથી બંધ હતી.
સામાન્ય દિવસોમાં કેદીના સ્વજનોને અઠવાડિયે 20 મિનિટ મળવાની મંજુરી અપાતી હતી તેના બદલે 15 દિવસે 20 મિનિટ જ મુલાકાત અપાશે. હાલના સંજોગોમાં રોગચાળો ફેલાય નહીં તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવશે. સોશિયલ ડીસ્ટન્સ જાળવવા ઉપરાંત મુલાકાત લેવા આવનાર વ્યક્તિ પાંચને બદલે ઘટાડીને એક-બે જ કરવામાં આવશે.
મુલાકાતે આવનાર વ્યક્તિના રેપીડ ટેસ્ટ કરવામાં આવશે અને તે રેપિડ ટેસ્ટ નેગેટિવ આવશે તો જ જેલમાં પ્રવેશ અપાશે. જેલમાં રહેલા કેદીઓ સ્વજનો સાથે મુલાકાત થઈ ન હોવાથી કેદીઓ મુલાકાત બદલ અધીરા થઇ રહ્યા છે. આઠ મહિનાથી કોર્ટ પણ બંધ હોવાથી કેદી બહાર જઈ શકતાં નથી. જરૂર પડે તો વિડિયો કોન્ફરન્સથી કેદીને ઓનલાઈન રજૂ કરવામાં આવે છે. તેવી જ રીતે બિમાર પડતાં કેદીઓની સિવિલમાં સારવાર પણ ખૂબ ઓછી કરવામાં આવી છે. ગંભીર બિમારી સિવાય કેદીને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં નથી. આમ છેલ્લા 9 મહિનાથી જેલમાં કંટાળેલા કેદીઓ માટે આખરે સ્વજનોને મળવાની તક આગામી 1 લી ફેબ્રુઆરીથી શક્ય બનશે.
ફેબ્રુઆરીની શરૂઆતથી કેદીઓની તેમના સ્વજન સાથે મુલાકાત થશે
15 દિવસે 20 મિનિટ માટે જ મુલાકાત અપાશે
મુલાકાતીનો રેપીડ ટેસ્ટ નેગેટિવ આવે તો જ પ્રવેશ મળશે
WatchGujarat વૈશ્વિક મહામારી કોરોના વાયરસને કારણે લગાવવામાં આવેલા લૉકડાઉન બાદ હવે રાજ્યની જેલના કેદીઓ તેમના સ્વજનો સાથે જેલમાં જ મુલાકાત કરી શકશે. કોરોનાને કારણે લગાવવામાં આવેલા લોકડાઉનથી જેલમાં સ્વજનોને મળવા માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. જે હવે દુર કરવામાં આવ્યો છે. ત્યારે 10 મહિના બાદ 1લી ફેબ્રુઆરીથી કેદીઓ જેલમાં જ તેમના સ્વજનો સાથે મુલાકાત કરી શકશે. જો,કે કેદીના સ્વજનોના કોરોનાના રેપીડ ટેસ્ટ નેગેટિવ આવશે તો જ તેમની મુલાકાત શક્ય બનશે. તેની સાથે સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમો પણ પાળવા પડશે.
ગુજરાત રાજ્ય જેલોના વડા ડો. કે.એલ. રાવે બે દિવસ અગાઉ જારી કરેલા પત્રમાં જણાવ્યું હતું કે, એપ્રિલ-2020થી કોરોના વાયરસના સંક્રમણની મહામારીની પરિસ્થિતિના કારણે જેલોમાં પણ સંક્રમણ નિયંત્રણના ભાગરૂપે કેદીઓની રૂબરૂ મુલાકાત પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. હાલમાં કોરોના સંક્રમણનું પ્રમાણ ધીમે-ધીમે ઓછું થઈ રહ્યું છે. અને બીજી તરફ રેપીડ એન્ટિજન ટેસ્ટનો વ્યાપ પણ વધારવામાં આવ્યો છે. સાથે રસીકરણ અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે.
આવા સંજોગોમાં રાજ્યની જેલોમાં રહેલા કેદીઓ તેમના નજીકના લોહીના સંબંધ ધરાવતા કુટુંબીજનો સાથે રૂબરૂ મુલાકાતની અનુકુળતા કરવી તે કેદીઓના હીતમાં આવશ્યક જણાઈ છે. આથી શરતો અને કાર્યપદ્ધતિની સાથે સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ કોરોના ગાઈડલાઈનને આધિન કેદીઓની તેમના સ્વજનો સાથે પ્રત્યક્ષ મુલાકાત 1લી ફેબ્રુઆરીથી ચાલુ કરવાની મંજુરી આપવામાં આવી છે. રાજ્યની તમામ જેલોમાં કેદી મુલાકાત એપ્રિલ મહિનાથી બંધ હતી.
સામાન્ય દિવસોમાં કેદીના સ્વજનોને અઠવાડિયે 20 મિનિટ મળવાની મંજુરી અપાતી હતી તેના બદલે 15 દિવસે 20 મિનિટ જ મુલાકાત અપાશે. હાલના સંજોગોમાં રોગચાળો ફેલાય નહીં તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવશે. સોશિયલ ડીસ્ટન્સ જાળવવા ઉપરાંત મુલાકાત લેવા આવનાર વ્યક્તિ પાંચને બદલે ઘટાડીને એક-બે જ કરવામાં આવશે.
મુલાકાતે આવનાર વ્યક્તિના રેપીડ ટેસ્ટ કરવામાં આવશે અને તે રેપિડ ટેસ્ટ નેગેટિવ આવશે તો જ જેલમાં પ્રવેશ અપાશે. જેલમાં રહેલા કેદીઓ સ્વજનો સાથે મુલાકાત થઈ ન હોવાથી કેદીઓ મુલાકાત બદલ અધીરા થઇ રહ્યા છે. આઠ મહિનાથી કોર્ટ પણ બંધ હોવાથી કેદી બહાર જઈ શકતાં નથી. જરૂર પડે તો વિડિયો કોન્ફરન્સથી કેદીને ઓનલાઈન રજૂ કરવામાં આવે છે. તેવી જ રીતે બિમાર પડતાં કેદીઓની સિવિલમાં સારવાર પણ ખૂબ ઓછી કરવામાં આવી છે. ગંભીર બિમારી સિવાય કેદીને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં નથી. આમ છેલ્લા 9 મહિનાથી જેલમાં કંટાળેલા કેદીઓ માટે આખરે સ્વજનોને મળવાની તક આગામી 1 લી ફેબ્રુઆરીથી શક્ય બનશે.