વિસ્તારનાં વેપારીઓએ એક બેઠક યોજીને 11 અને 12 એપ્રિલે સંપુર્ણ લોકડાઉન અંગેનો સ્વૈચ્છિક નિર્ણય લીધો
સાયન્સ સિટી અને સોલા વિસ્તારમા વેપારીઓએ મળીને કોરોનાની ચેઈન તોડવાનો નિર્ણય લીધો
આ વિસ્તારનાં હોટલ, ખાણીપીણી, લારી ગલ્લા તથા અલગ અલગ દુકાન ધરાવતાં તમામ વેપારીઓ વચ્ચે એક બેઠક યોજાઇ હતી
WatchGujarat. ગુજરાતમાં કોરોના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. અમદાવાદમાં 75 લાખની વસ્તીમાં 1300 જેટલા કેસ પોઝિટીવ હોવાનું તંત્ર દ્રારા જણાવવામાં આવ્યું છે. પરંતુ લોકોનું માનીએ તો કેસ હજુ પણ વધારે છે. આવામાં અમદાવાદના સોલા સાયન્સ સિટી વિસ્તારનાં વેપારીઓએ એક બેઠક યોજીને 11 અને 12 એપ્રિલે એટલે કે શનિવાર અને રવિવારે સંપુર્ણ લોકડાઉન અંગેનો સ્વૈચ્છિક નિર્ણય લીધો છે.
આ અંગે વેપારીઓનું કહેવું છે કે, સાયન્સ સિટી અને સોલા વિસ્તારમા વેપારીઓએ મળીને કોરોનાની ચેઈન તોડવાનો નિર્ણય લીધો છે. જે માટે આ વિસ્તારનાં હોટલ, ખાણીપીણી, લારી ગલ્લા તથા અલગ અલગ દુકાન ધરાવતાં તમામ વેપારીઓ વચ્ચે એક બેઠક કરી હતી. આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું કે, શનિ - રવિ સંપુર્ણપણે વિસ્તારમાં લૉકડાઉન રહેશે એટલુ જ નહીં મેડિકલ કરિયાણા અને શાકભાજી માટે વિસ્તારમાં વ્યવસ્થા ગોઠવવામાં આવશે.
સાયન્સ સિટીનાં 5 વિસ્તારને પોકેટ બનાવાયા
સાયન્સ સિટીનાં 5 વિસ્તાર એવાં છે જ્યાં સૌથી વધુ સોસાયટી આવેલી છે. આવી સોસાયટી એરિયાને આઈડેન્ટીફાય કરીને આ 5 જગ્યા પર મિનિ માર્કેટ ઉભું કરવામાં આવ્યું છે. જે શાકભાજીની લારી વાળા ઉભા રહેશે એ સિવાય અન્ય કોઈ જગ્યાએ શાકભાજીની લારી જોવા નહીં મળે. આ સિવાય દુધની દુકાન સવારે 6 થી 10 દરમિયાન અને સાંજે 6 થી 9 દરમિયાન ખુલ્લી રહેશે.
5 હજાર વેપારીઓએ નિર્ણય કર્યો
અમદાવાદના સાયન્સ સિટીના તમામ વેપારીઓએ કોરોના વધતાં કેસને લઈને આ નિર્ણય કરીને લોકોને જોડાવવા અપીલ કરી છે. અમદાવાદના અન્ય વિસ્તારનાં લોકો પણ સ્વૈચ્છિક લોકડાઉન કરે તેવી અપીલ કરી છે. જેથી અમદાવાદમાં આ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે અમદાવાદીઓના સંક્રમિત થવાની સંખ્યા ઘટી શકે. આ માટેેેે વેપારીઓનું મેનેજમેન્ટ સમજવા જેવું છે.
અમદાવાદના સાયન્સ સિટીના વેપારીઓ એ શનિ રવિ ધંધો બંધ રાખીને લોકોની ભીડ ઓછી થાય તેવો પ્રયાસ કર્યો છે. જેની અસરથી કોરોનાની ચેઈન તૂટી જશે. આ માટે તેમનું મેનેજમેન્ટ પણ અસરકારક છે.
વિસ્તારનાં વેપારીઓએ એક બેઠક યોજીને 11 અને 12 એપ્રિલે સંપુર્ણ લોકડાઉન અંગેનો સ્વૈચ્છિક નિર્ણય લીધો
આ વિસ્તારનાં હોટલ, ખાણીપીણી, લારી ગલ્લા તથા અલગ અલગ દુકાન ધરાવતાં તમામ વેપારીઓ વચ્ચે એક બેઠક યોજાઇ હતી
WatchGujarat.ગુજરાતમાં કોરોના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. અમદાવાદમાં 75 લાખની વસ્તીમાં 1300 જેટલા કેસ પોઝિટીવ હોવાનું તંત્ર દ્રારા જણાવવામાં આવ્યું છે. પરંતુ લોકોનું માનીએ તો કેસ હજુ પણ વધારે છે. આવામાં અમદાવાદના સોલા સાયન્સ સિટી વિસ્તારનાં વેપારીઓએ એક બેઠક યોજીને 11 અને 12 એપ્રિલે એટલે કે શનિવાર અને રવિવારે સંપુર્ણ લોકડાઉન અંગેનો સ્વૈચ્છિક નિર્ણય લીધો છે.
આ અંગે વેપારીઓનું કહેવું છે કે, સાયન્સ સિટી અને સોલા વિસ્તારમા વેપારીઓએ મળીને કોરોનાની ચેઈન તોડવાનો નિર્ણય લીધો છે. જે માટે આ વિસ્તારનાં હોટલ, ખાણીપીણી, લારી ગલ્લા તથા અલગ અલગ દુકાન ધરાવતાં તમામ વેપારીઓ વચ્ચે એક બેઠક કરી હતી. આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું કે, શનિ - રવિ સંપુર્ણપણે વિસ્તારમાં લૉકડાઉન રહેશે એટલુ જ નહીં મેડિકલ કરિયાણા અને શાકભાજી માટે વિસ્તારમાં વ્યવસ્થા ગોઠવવામાં આવશે.
સાયન્સ સિટીનાં 5 વિસ્તારને પોકેટ બનાવાયા
સાયન્સ સિટીનાં 5 વિસ્તાર એવાં છે જ્યાં સૌથી વધુ સોસાયટી આવેલી છે. આવી સોસાયટી એરિયાને આઈડેન્ટીફાય કરીને આ 5 જગ્યા પર મિનિ માર્કેટ ઉભું કરવામાં આવ્યું છે. જે શાકભાજીની લારી વાળા ઉભા રહેશે એ સિવાય અન્ય કોઈ જગ્યાએ શાકભાજીની લારી જોવા નહીં મળે. આ સિવાય દુધની દુકાન સવારે 6 થી 10 દરમિયાન અને સાંજે 6 થી 9 દરમિયાન ખુલ્લી રહેશે.
5 હજાર વેપારીઓએ નિર્ણય કર્યો
અમદાવાદના સાયન્સ સિટીના તમામ વેપારીઓએ કોરોના વધતાં કેસને લઈને આ નિર્ણય કરીને લોકોને જોડાવવા અપીલ કરી છે. અમદાવાદના અન્ય વિસ્તારનાં લોકો પણ સ્વૈચ્છિક લોકડાઉન કરે તેવી અપીલ કરી છે. જેથી અમદાવાદમાં આ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે અમદાવાદીઓના સંક્રમિત થવાની સંખ્યા ઘટી શકે. આ માટેેેે વેપારીઓનું મેનેજમેન્ટ સમજવા જેવું છે.
અમદાવાદના સાયન્સ સિટીના વેપારીઓ એ શનિ રવિ ધંધો બંધ રાખીને લોકોની ભીડ ઓછી થાય તેવો પ્રયાસ કર્યો છે. જેની અસરથી કોરોનાની ચેઈન તૂટી જશે. આ માટે તેમનું મેનેજમેન્ટ પણ અસરકારક છે.