વેપારીના ઘરમાં રોકડ રૂ, 40 લાખ પડ્યા હતા જેમાંથી 10 લાખની ચોરી થઇ
વેપારીએ નોકરની પુછપરછ કરતા કોઈ જવાબ ન મળતા પોલીસ ફરિયાદ કરી
WatchGujarat. બોડકદેવમાં રહેતા અને તમાકુના વેપારીના ઘરમાંથી રોકડ રૂ, 10 લાખની ચોરી થતા ચોરી ઘરમાં કામ કરતી કામ વાળીએ કરી હોવાનો પર્દાફાશ થતા વેપારીએ નોકર વિરુદ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે મહિલા નોકરની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
શહેરના બોડકદેવ વિસ્તારમાં આવેલ ગેલેક્ષી ટાવરમાં પરિવાર સાથે રહેતા ગીરીશભાઈ ચંદ્રપ્રકાશ સુજનાની ગિરીશ એન્ટરપ્રાઇઝ નામની દુકાનમાં તમાકુનો વેપાર કરે છે. તેમના ઘરમાં છેલ્લા 5 વર્ષથી 27 વર્ષીય મીનાબેન મલેશભાઈ શ્રીમાળી ઘરકામ કરે છે. તેમજ તેમની પત્નીના સ્ટુડિયો પર આ મીનાબેનની બહેન મધુબેન રાજેશભાઈ શ્રીમાળી નોકરી કરે છે. ગિરીશભાઈના પત્ની જયારે પણ બહાર જાઇ ત્યારે મધુબેનને કામ પર ઘરે બોલાવી લેવા માટે કહેતી હતી. તેમના બેડરૂમની એક ચાવી ગીરીશભાઈ પાસે અને એક ચાવી મીનાબેન પાસે રહેતી હતી.
ગત 5 એપ્રિલના રોજ ગિરીશભાઈની પત્ની કીર્તિ બહેન માલદીવ ખાતે ફરવા ગઈ હતી. જેથી તેણે મીનાબેનને 4 દિવસ કામ માટે મધુબેનને ઘરે બોલવવા કહ્યું હતું. ગિરીશભાઈએ તેમના વેપારના રોજ બરોજના વકરાના રોકડ રૂ, 40 લાખ એક બેગમાં ભરી પોતના બેડરૂમ કબાટમાં રાખ્યા હતા. ત્યારબાદ રાત્રે આવી તેઓ પોતાના દીકરાના રૂમમાં જઇ સુઈ ગયા હતા. બીજા દિવસે સવારે ઉઠ્યાબાદ તપાસ કરતા તેમના બેડરૂમના કબાટમાં રાખેલ બેગમાંથી રોકડ રૂ, 40 લાખ જોવા મળ્યા ન હતા.
જેથી તેઓ તાત્કાલિક ટાવરના મેઈન ગેટ ખાતે રહેતા સિક્યુરિટી પાસે દોડી આવ્યા હતા. અને સિક્યુરિટીને પોતાના ઘરમાં રોકડ રૂપિયાની ચોરી થઇ છે. તે અંગે જાણ કરી CCTV ફૂટેજ ચેક કરવા જણાવ્યું હતું. તે દરમિયાન cctv ફૂટેજ ઓપરેટર રાત્રે આવશે તેવું જણાવતા ગીરીશભાઈ પરત પોતાના ઘરે ફર્યા હતા. થોડીવાર બાદ સિક્યુરિટીએ ગિરિશભાઈને ફોન કરી જણાવ્યું હતું કે, તમારા ઘરે કામ કરતા મધુબેન એક બેગ લઈને જઇ રહ્યા છે. તેમને મેં રોકેલા છે. જેથી તમે જલ્દી આવો. ત્યારે ગીરીશભાઈ ટાવરના મેઈન ગેટ પાસે દોડી આવ્યા હતા.
ગિરીશભાઈએ મધુબેન પાસે રહેલા બેગની તપાસ કરતા તેમાંથી રોકડ રૂ, 5 લાખ મળી આવ્યા હતા. ત્યારબાદ બાકીના રૂપિયાની મધુબેનને પુછપરછ કરતા ઘરમાં મંદિર પાસે રાખ્યા હોવાનું જણાવ્યું હતુ. જેથી ગીરીશભાઈ મધુબેનને લઇ પોતાના ઘરે ગયા હતા અને મંદિર પાસે તપાસ કરતા એક કપડાંમાં ઢાંકેલા રોકડ રૂ, 25 લાખ મળી આવ્યા હતા. આ ઉપરાંત બાકી રહેલા રૂ,10 લાખની પુછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ નહીં મળી આવતા ગીરીશભાઈ મધુબેનને લઇ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં પોલીસે રૂ, 10 લાખની ચોરીનો મધુબેન રાજેશભાઈ શ્રીમાળી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વેપારીના ઘરમાં રોકડ રૂ, 40 લાખ પડ્યા હતા જેમાંથી 10 લાખની ચોરી થઇ
વેપારીએ નોકરની પુછપરછ કરતા કોઈ જવાબ ન મળતા પોલીસ ફરિયાદ કરી
WatchGujarat. બોડકદેવમાં રહેતા અને તમાકુના વેપારીના ઘરમાંથી રોકડ રૂ, 10 લાખની ચોરી થતા ચોરી ઘરમાં કામ કરતી કામ વાળીએ કરી હોવાનો પર્દાફાશ થતા વેપારીએ નોકર વિરુદ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે મહિલા નોકરની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
શહેરના બોડકદેવ વિસ્તારમાં આવેલ ગેલેક્ષી ટાવરમાં પરિવાર સાથે રહેતા ગીરીશભાઈ ચંદ્રપ્રકાશ સુજનાની ગિરીશ એન્ટરપ્રાઇઝ નામની દુકાનમાં તમાકુનો વેપાર કરે છે. તેમના ઘરમાં છેલ્લા 5 વર્ષથી 27 વર્ષીય મીનાબેન મલેશભાઈ શ્રીમાળી ઘરકામ કરે છે. તેમજ તેમની પત્નીના સ્ટુડિયો પર આ મીનાબેનની બહેન મધુબેન રાજેશભાઈ શ્રીમાળી નોકરી કરે છે. ગિરીશભાઈના પત્ની જયારે પણ બહાર જાઇ ત્યારે મધુબેનને કામ પર ઘરે બોલાવી લેવા માટે કહેતી હતી. તેમના બેડરૂમની એક ચાવી ગીરીશભાઈ પાસે અને એક ચાવી મીનાબેન પાસે રહેતી હતી.
ગત 5 એપ્રિલના રોજ ગિરીશભાઈની પત્ની કીર્તિ બહેન માલદીવ ખાતે ફરવા ગઈ હતી. જેથી તેણે મીનાબેનને 4 દિવસ કામ માટે મધુબેનને ઘરે બોલવવા કહ્યું હતું. ગિરીશભાઈએ તેમના વેપારના રોજ બરોજના વકરાના રોકડ રૂ, 40 લાખ એક બેગમાં ભરી પોતના બેડરૂમ કબાટમાં રાખ્યા હતા. ત્યારબાદ રાત્રે આવી તેઓ પોતાના દીકરાના રૂમમાં જઇ સુઈ ગયા હતા. બીજા દિવસે સવારે ઉઠ્યાબાદ તપાસ કરતા તેમના બેડરૂમના કબાટમાં રાખેલ બેગમાંથી રોકડ રૂ, 40 લાખ જોવા મળ્યા ન હતા.
જેથી તેઓ તાત્કાલિક ટાવરના મેઈન ગેટ ખાતે રહેતા સિક્યુરિટી પાસે દોડી આવ્યા હતા. અને સિક્યુરિટીને પોતાના ઘરમાં રોકડ રૂપિયાની ચોરી થઇ છે. તે અંગે જાણ કરી CCTV ફૂટેજ ચેક કરવા જણાવ્યું હતું. તે દરમિયાન cctv ફૂટેજ ઓપરેટર રાત્રે આવશે તેવું જણાવતા ગીરીશભાઈ પરત પોતાના ઘરે ફર્યા હતા. થોડીવાર બાદ સિક્યુરિટીએ ગિરિશભાઈને ફોન કરી જણાવ્યું હતું કે, તમારા ઘરે કામ કરતા મધુબેન એક બેગ લઈને જઇ રહ્યા છે. તેમને મેં રોકેલા છે. જેથી તમે જલ્દી આવો. ત્યારે ગીરીશભાઈ ટાવરના મેઈન ગેટ પાસે દોડી આવ્યા હતા.
ગિરીશભાઈએ મધુબેન પાસે રહેલા બેગની તપાસ કરતા તેમાંથી રોકડ રૂ, 5 લાખ મળી આવ્યા હતા. ત્યારબાદ બાકીના રૂપિયાની મધુબેનને પુછપરછ કરતા ઘરમાં મંદિર પાસે રાખ્યા હોવાનું જણાવ્યું હતુ. જેથી ગીરીશભાઈ મધુબેનને લઇ પોતાના ઘરે ગયા હતા અને મંદિર પાસે તપાસ કરતા એક કપડાંમાં ઢાંકેલા રોકડ રૂ, 25 લાખ મળી આવ્યા હતા. આ ઉપરાંત બાકી રહેલા રૂ,10 લાખની પુછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ નહીં મળી આવતા ગીરીશભાઈ મધુબેનને લઇ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં પોલીસે રૂ, 10 લાખની ચોરીનો મધુબેન રાજેશભાઈ શ્રીમાળી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.