ઇશુદાન ગઢવી ગુજરાતના કેજરીવાલ છે – અરવિંદ કેજરીવાલ
હવે પ્રજાનું શુ થશે? એવી પીડા થતી હતી. સાથે જ સિસ્ટમની ગંદકી દૂર કરવા મારે રાજનીતિમાં ઉતરવું પડ્યું છે – ઇશુદાન ગઢવી
ગુજરાતમાં ઇતિહાસ બદલવા જઈ રહ્યો છે
Watchgujarat. આજે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ એક દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવ્યાં છે. કેજરીવાલની ગુજરાત મુલાકાત અગાઉ પત્રકાર ઈશુદાન ગઢવીનું ટીવી ચેનલ માંથી રાજીનામુ અને સોશ્યલ મીડિયા ઉપર કરેલા કમ્પેઇન વચ્ચે સર્જાયેલા માહોલથી રાજ્યના રાજકારણમાં નવા બદલાવની શક્યતાઓ છે. પત્રકાર તરીકે ઈશુદાન ગઢવીનું નામ રાજ્યમાં ગામે ગામ ચર્ચાતુ થયું છે. સ્થાનિક ગુજરાતી ચેનલમાં હેડ તરીકે જોડાયેલા ઈશુદાન હવે પત્રકારત્વ છોડીને રાજકારણમાં પ્રવેશી રહ્યાં છે.
અમદાવાદ ખાતે આવી પહોંચેલા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, હું એરપોર્ટ પર આવ્યો ત્યારે એક વ્યક્તિએ મારી સાથે ફોટો પડાવવા માટે નજીક આવ્યો હતો. ત્યાર બાદ તેણે મારી સાથએ વાત કરતા અહિંયા આવવાનું કારણ પુછ્યું હતું. ઇશુદાન આમ આદમી પાર્ટીમાં જોડાય છે તેવું મેં તેને જણાવતા જ તે બોલી ઉઠ્યો કે તે ઓ ગુજરાતના કેજરીવાલ છે. તેની સાથે અરવિંદ કેજરીવાલે ભાજપા અને કોંગ્રેસ પર આકરા શાબ્દિક પ્રહાર કર્યા હતા.
પ્રેસ કોન્ફ્રન્સ ઈશુદાને જણાવ્યું કે, જનતાએ મને બહુ પ્રેમ આપ્યો છે. 15-16 વર્ષથી પત્રકાર તરીકે વિચાર્યુ ન હતું કે હું આ સ્ટેજ પર હોઈશ. એક પત્રકાર તરીકે લોકોને લાભ અપાવી શકીએ એવો મેં પ્રયાસ કર્યો છે. એક સમય એવો પણ આવ્યો જ્યારે વાલીઓ, વેપારી, ખેડૂતોના મુદ્દાઓ પર ચર્ચા કરી. વ્યક્તિ જેવો હોય એવો જ રહેવો જોઈએ. મને લાગ્યું હવે બમણી મહેનત કરવી પડશે જેથી મેં રાજકારણમાં આવવાનું નક્કી કર્યું છે. હવે પ્રજાનું શુ થશે? એવી પીડા થતી હતી. સાથે જ સિસ્ટમની ગંદકી દૂર કરવા મારે રાજનીતિમાં ઉતરવું પડ્યું છે. હવે ગુજરાતમાં ઇતિહાસ બદલવા જઈ રહ્યો છે. બનતી કોશિશ કરીશ કે રાજનીતિની ગંદકી દૂર કરીશું. કોંગ્રેસ પણ આમા નબળી પડી છે જેથી જનતાને વિકલ્પ જોઈએ છે.
ઇશુદાન ગઢવી ગુજરાતના કેજરીવાલ છે – અરવિંદ કેજરીવાલ
હવે પ્રજાનું શુ થશે? એવી પીડા થતી હતી. સાથે જ સિસ્ટમની ગંદકી દૂર કરવા મારે રાજનીતિમાં ઉતરવું પડ્યું છે – ઇશુદાન ગઢવી
ગુજરાતમાં ઇતિહાસ બદલવા જઈ રહ્યો છે
Watchgujarat. આજે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ એક દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવ્યાં છે. કેજરીવાલની ગુજરાત મુલાકાત અગાઉ પત્રકાર ઈશુદાન ગઢવીનું ટીવી ચેનલ માંથી રાજીનામુ અને સોશ્યલ મીડિયા ઉપર કરેલા કમ્પેઇન વચ્ચે સર્જાયેલા માહોલથી રાજ્યના રાજકારણમાં નવા બદલાવની શક્યતાઓ છે. પત્રકાર તરીકે ઈશુદાન ગઢવીનું નામ રાજ્યમાં ગામે ગામ ચર્ચાતુ થયું છે. સ્થાનિક ગુજરાતી ચેનલમાં હેડ તરીકે જોડાયેલા ઈશુદાન હવે પત્રકારત્વ છોડીને રાજકારણમાં પ્રવેશી રહ્યાં છે.
અમદાવાદ ખાતે આવી પહોંચેલા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, હું એરપોર્ટ પર આવ્યો ત્યારે એક વ્યક્તિએ મારી સાથે ફોટો પડાવવા માટે નજીક આવ્યો હતો. ત્યાર બાદ તેણે મારી સાથએ વાત કરતા અહિંયા આવવાનું કારણ પુછ્યું હતું. ઇશુદાન આમ આદમી પાર્ટીમાં જોડાય છે તેવું મેં તેને જણાવતા જ તે બોલી ઉઠ્યો કે તે ઓ ગુજરાતના કેજરીવાલ છે. તેની સાથે અરવિંદ કેજરીવાલે ભાજપા અને કોંગ્રેસ પર આકરા શાબ્દિક પ્રહાર કર્યા હતા.
પ્રેસ કોન્ફ્રન્સ ઈશુદાને જણાવ્યું કે, જનતાએ મને બહુ પ્રેમ આપ્યો છે. 15-16 વર્ષથી પત્રકાર તરીકે વિચાર્યુ ન હતું કે હું આ સ્ટેજ પર હોઈશ. એક પત્રકાર તરીકે લોકોને લાભ અપાવી શકીએ એવો મેં પ્રયાસ કર્યો છે. એક સમય એવો પણ આવ્યો જ્યારે વાલીઓ, વેપારી, ખેડૂતોના મુદ્દાઓ પર ચર્ચા કરી. વ્યક્તિ જેવો હોય એવો જ રહેવો જોઈએ. મને લાગ્યું હવે બમણી મહેનત કરવી પડશે જેથી મેં રાજકારણમાં આવવાનું નક્કી કર્યું છે. હવે પ્રજાનું શુ થશે? એવી પીડા થતી હતી. સાથે જ સિસ્ટમની ગંદકી દૂર કરવા મારે રાજનીતિમાં ઉતરવું પડ્યું છે. હવે ગુજરાતમાં ઇતિહાસ બદલવા જઈ રહ્યો છે. બનતી કોશિશ કરીશ કે રાજનીતિની ગંદકી દૂર કરીશું. કોંગ્રેસ પણ આમા નબળી પડી છે જેથી જનતાને વિકલ્પ જોઈએ છે.