ગુજરાત સહિત દેશના વિવિધ શહેરોમાં પાકિસ્તાની જાસુસી સંસ્થાએ પાથરેલી જાળનો આજે પર્દાફાશ થયો
ISIએ ઉભા કરેલા મોડ્યુલને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે શોધી કાઢી ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી
તમામ વિરુદ્ધ ઓન લો ફુલ એક્ટીવીનો ગુનો નોંધવામાં આવ્યો
WatchGujarat. ગુજરાતમાં આતંક ફેલાવવાનું પાકિસ્તાનનું કાવતરાને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ખુલ્લું પાડી દીધું છે. જેમાં ISIના ઈશારે આતંકનું નવુ મોડ્યૂલ ઉભું કરાયું હતું. તેમનો ઉદેશ્ય અમદાવાદમાં આંતક ફેલાવવાનો હતો. પરંતુ અમદાવાદ ક્રાઈમ બ્રાંચે 3 આરોપીની ધરપકડ કરી લીધી છે. અગાઉ કાલુપુર રેવડીબજારમાં બનેલી આગની ઘટનામાં નવું મોડ્યુલ ખુલ્યું છે. 20 માર્ચે કાલુપુરના રેવડી બજારમાં આગ લાગી હતી. આ આગ લગાવવા માટે દુબઈથી રૂ.1.50 લાખનો હવાલો અપાયો હતો. જેમાં દુબઈથી વાયા મુંબઈથી અમદાવાદ નાણાં મોકલાયા હતા. અમદાવાદમાં રહેતો ભૂપેન્દ્ર ઉર્ફે પ્રવિણ ફેસબુકથી બાબા પઠાણ નામના વ્યક્તિના સંપર્કમાં આવ્યો હતો. તેની તપાસ કરતા પાકિસ્તાનના કરાચીનું આઈપી એડ્રેસ મળ્યું હતું. આરોપી યુક્રેન, આફ્રિકાના નંબર વાપરતા હતા. જાન્યુઆરી 2020થી આ ષડયંત્ર ચાલતું હતું.
ગુજરાત સહિત દેશના વિવિધ શહેરોમાં પાકિસ્તાની જાસુસી સંસ્થાએ પાથરેલી જાળનો આજે પર્દાફાશ થયો છે. ISIએ ઉભા કરેલા મોડ્યુલને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે શોધી કાઢી ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને તેમના વિરુદ્ધ ઓન લો ફુલ એક્ટીવીનો ગુનો નોંધવામાં આવ્યો છે.
આઘટનામાં બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશ્નર અને નાયબ પોલીસ કમિશનરે તપાસ શરૂ કરી એસીપી ડીબી ચુડાસમા અને પોલીસ ઈન્સ્પેક્ટર નિખીલ બ્રહ્મભટને તપાસનો દોર શરૂ કર્યો છે. અગાઉ કાલુપુરના રેવડીબજારમાં સાત દુકાનોમાં આગ લાગી હતી અને તે માત્ર અકસ્માત હતો. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ જોવાની શરૂઆત કરી હતી, જેમાં એક હાથ કડી હાથ લાગી હતી. જેમાં સ્પષ્ટ થયું કે રેવડીબજારમાં આગ લાગી નહોતી પરંતુ લગાડવામાં આવી હતી, તેના માટે ત્રણ યુવકો આવ્યા હતા. એક્ટિવા પર બેસીને આવેલા યુવકોના હાથમાં પેટ્રોલની બોટલો હતી અને તેમને આગ લગાડી હતી. જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી પરંતુ મોટું નુકસાન થયું હતું. આજે આ સીસીટીવીના આધારે એક્ટીવાની તપાસ કરતા ક્રાઈમ બ્રાન્ચના હાથે ભૂપેન્દ્ર ઉર્ફે પ્રવિણ વણઝારા આવ્યો હતો, તેને ક્રાઈમ બ્રાન્ચ લાવીને કડક પુછતાછ કરતા તેને મોઢે ખુલ્યું હતું.
ક્રાઈમ બ્રાન્ચની પુછપરછમાં ભૂપેન્દ્રએ એવી હકીકત જણાવી હતી કે સો કોઈ ચોંકી ગયા હતા. પોલીસના સામે એક મોટી હકીકત સામે આવી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે થોડાક સમય પહેલા મારો સંપર્ક ફેસબુક પર ભાઈ ઉર્ફે બાબાભાઈ કંપની સાથે થયો હતો. તેને ભૂપેન્દ્ર સાથે પરિચય કેળવીને બાનમાં લીધો હતો અને ભૂપેન્દ્રના કામકાજ અંગે જાણકારી મેળવી હતી. એક દિવસ બાબાભાઈએ ભૂપેન્દ્રને જણાવ્યું હતું કે જો તું સમાદના દુષણને સાફ કરીશ તો હું તને પૈસા આપીશ. જેથી ભૂપેન્દ્ર પૈસા માટે કંઈ પણ કરી શકે તેમ હતો જેથી તે તૈયાર થઈ ગયો હતો. ત્યારબાદ અનેક મોટા ગુનાઓ તેના હાથે કરાવ્યા હતા.
ત્યારબાદ બાબાની સૂચના પ્રમાણે ભૂપેન્દ્ર એક પછી એક ગુનાઓ આચરતો હતો, તેના બદલામાં રૂપિયા મોકલતો હતો. એવામાં બાબાએ કાલુપુર રેવડીબજારમાં આગ લગાડવાનો પ્લાન ઘડ્યો હતો. પૂર્વ વિસ્તારમાં ભૂપેન્દ્ર રહેતો હોવાથી તેને રેવડી બજારને તમામ જાણકારી હતી. ભૂપેન્દ્રએ ક્રાઈમ બ્રાન્ચને જણાવ્યું હતું કે, રેવડી બજારમાં આગ લાગે અને મોટું નુકસાન થાય તેના માટે બાબાએ ભૂપેન્દ્રને આ કામ માટે 1.50 લાખ આપવાનું વચન આપ્યું હતું. જેથી 20 માર્ચના રોજ ભૂપેન્દ્રએ પોતાના બે સાગરીતો અનિલ ખટીક અને અંકિત પાલ સાથે રેવડી બજારમાં આવીને દુકાનોને આગ ચાંપી હતી. જેનો એક વીડિયો બનાવીને બાબાને મોકલ્યો હતો. આ કામ બાદ આંગડિયા પેઢીમાં દોઢ લાખ મોકલી આપ્યા હતા. જેમાંથી 80 હજાર રાખીને અંકિત અને અનિલને બાકીની રકમ આપી દીધી હતી.
ક્રાઈમ બ્રાન્ચ માટે ભાઈ ઉર્ફે બાબા કોણ છે, ક્રાઈમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સ શરૂ કરતા બાબાનું લોકેશન અલગ અલગ દેશમાં હોવાનું સામે આવ્યું હતું. જો બાબા ખરેખર ભારતમાં છે તો તે અલગ અલગ સર્વરનો ઉપયોગ કરી રહ્યો છે. પરંતુ બાબા કંપની પાકિસ્તાનના કરાંચીમાંથી ઓપરેટ થઈ રહી હતી. ક્રાઈમ બ્રાન્ચે મુંબઈની કાંતિ આંગડિયા પેઢીનો સંપર્ક કરી અમદાવાદમાં દોઢ લાખ કોણે મોકલ્યા તેની જાણકારી મેળવી તો ખબર પડી કે 15 લાખ રૂપિયા દુબઈથી આવ્યા હતા અને તે પૈકી દોઢ લાખ અમદાવાદ મોકલવાની સૂચના હતી. 15 લાખ દુબઈથી કોને મોકલ્યા તે તપાસ કરતા ખોઝા નામની વ્યક્તિનું નામ ખુલ્યું હતું.
ગુજરાત સહિત દેશના વિવિધ શહેરોમાં પાકિસ્તાની જાસુસી સંસ્થાએ પાથરેલી જાળનો આજે પર્દાફાશ થયો
ISIએ ઉભા કરેલા મોડ્યુલને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે શોધી કાઢી ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી
તમામ વિરુદ્ધ ઓન લો ફુલ એક્ટીવીનો ગુનો નોંધવામાં આવ્યો
WatchGujarat. ગુજરાતમાં આતંક ફેલાવવાનું પાકિસ્તાનનું કાવતરાને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ખુલ્લું પાડી દીધું છે. જેમાં ISIના ઈશારે આતંકનું નવુ મોડ્યૂલ ઉભું કરાયું હતું. તેમનો ઉદેશ્ય અમદાવાદમાં આંતક ફેલાવવાનો હતો. પરંતુ અમદાવાદ ક્રાઈમ બ્રાંચે 3 આરોપીની ધરપકડ કરી લીધી છે. અગાઉ કાલુપુર રેવડીબજારમાં બનેલી આગની ઘટનામાં નવું મોડ્યુલ ખુલ્યું છે. 20 માર્ચે કાલુપુરના રેવડી બજારમાં આગ લાગી હતી. આ આગ લગાવવા માટે દુબઈથી રૂ.1.50 લાખનો હવાલો અપાયો હતો. જેમાં દુબઈથી વાયા મુંબઈથી અમદાવાદ નાણાં મોકલાયા હતા. અમદાવાદમાં રહેતો ભૂપેન્દ્ર ઉર્ફે પ્રવિણ ફેસબુકથી બાબા પઠાણ નામના વ્યક્તિના સંપર્કમાં આવ્યો હતો. તેની તપાસ કરતા પાકિસ્તાનના કરાચીનું આઈપી એડ્રેસ મળ્યું હતું. આરોપી યુક્રેન, આફ્રિકાના નંબર વાપરતા હતા. જાન્યુઆરી 2020થી આ ષડયંત્ર ચાલતું હતું.
ગુજરાત સહિત દેશના વિવિધ શહેરોમાં પાકિસ્તાની જાસુસી સંસ્થાએ પાથરેલી જાળનો આજે પર્દાફાશ થયો છે. ISIએ ઉભા કરેલા મોડ્યુલને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે શોધી કાઢી ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને તેમના વિરુદ્ધ ઓન લો ફુલ એક્ટીવીનો ગુનો નોંધવામાં આવ્યો છે.
આઘટનામાં બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશ્નર અને નાયબ પોલીસ કમિશનરે તપાસ શરૂ કરી એસીપી ડીબી ચુડાસમા અને પોલીસ ઈન્સ્પેક્ટર નિખીલ બ્રહ્મભટને તપાસનો દોર શરૂ કર્યો છે. અગાઉ કાલુપુરના રેવડીબજારમાં સાત દુકાનોમાં આગ લાગી હતી અને તે માત્ર અકસ્માત હતો. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ જોવાની શરૂઆત કરી હતી, જેમાં એક હાથ કડી હાથ લાગી હતી. જેમાં સ્પષ્ટ થયું કે રેવડીબજારમાં આગ લાગી નહોતી પરંતુ લગાડવામાં આવી હતી, તેના માટે ત્રણ યુવકો આવ્યા હતા. એક્ટિવા પર બેસીને આવેલા યુવકોના હાથમાં પેટ્રોલની બોટલો હતી અને તેમને આગ લગાડી હતી. જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી પરંતુ મોટું નુકસાન થયું હતું. આજે આ સીસીટીવીના આધારે એક્ટીવાની તપાસ કરતા ક્રાઈમ બ્રાન્ચના હાથે ભૂપેન્દ્ર ઉર્ફે પ્રવિણ વણઝારા આવ્યો હતો, તેને ક્રાઈમ બ્રાન્ચ લાવીને કડક પુછતાછ કરતા તેને મોઢે ખુલ્યું હતું.
ક્રાઈમ બ્રાન્ચની પુછપરછમાં ભૂપેન્દ્રએ એવી હકીકત જણાવી હતી કે સો કોઈ ચોંકી ગયા હતા. પોલીસના સામે એક મોટી હકીકત સામે આવી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે થોડાક સમય પહેલા મારો સંપર્ક ફેસબુક પર ભાઈ ઉર્ફે બાબાભાઈ કંપની સાથે થયો હતો. તેને ભૂપેન્દ્ર સાથે પરિચય કેળવીને બાનમાં લીધો હતો અને ભૂપેન્દ્રના કામકાજ અંગે જાણકારી મેળવી હતી. એક દિવસ બાબાભાઈએ ભૂપેન્દ્રને જણાવ્યું હતું કે જો તું સમાદના દુષણને સાફ કરીશ તો હું તને પૈસા આપીશ. જેથી ભૂપેન્દ્ર પૈસા માટે કંઈ પણ કરી શકે તેમ હતો જેથી તે તૈયાર થઈ ગયો હતો. ત્યારબાદ અનેક મોટા ગુનાઓ તેના હાથે કરાવ્યા હતા.
ત્યારબાદ બાબાની સૂચના પ્રમાણે ભૂપેન્દ્ર એક પછી એક ગુનાઓ આચરતો હતો, તેના બદલામાં રૂપિયા મોકલતો હતો. એવામાં બાબાએ કાલુપુર રેવડીબજારમાં આગ લગાડવાનો પ્લાન ઘડ્યો હતો. પૂર્વ વિસ્તારમાં ભૂપેન્દ્ર રહેતો હોવાથી તેને રેવડી બજારને તમામ જાણકારી હતી. ભૂપેન્દ્રએ ક્રાઈમ બ્રાન્ચને જણાવ્યું હતું કે, રેવડી બજારમાં આગ લાગે અને મોટું નુકસાન થાય તેના માટે બાબાએ ભૂપેન્દ્રને આ કામ માટે 1.50 લાખ આપવાનું વચન આપ્યું હતું. જેથી 20 માર્ચના રોજ ભૂપેન્દ્રએ પોતાના બે સાગરીતો અનિલ ખટીક અને અંકિત પાલ સાથે રેવડી બજારમાં આવીને દુકાનોને આગ ચાંપી હતી. જેનો એક વીડિયો બનાવીને બાબાને મોકલ્યો હતો. આ કામ બાદ આંગડિયા પેઢીમાં દોઢ લાખ મોકલી આપ્યા હતા. જેમાંથી 80 હજાર રાખીને અંકિત અને અનિલને બાકીની રકમ આપી દીધી હતી.
ક્રાઈમ બ્રાન્ચ માટે ભાઈ ઉર્ફે બાબા કોણ છે, ક્રાઈમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સ શરૂ કરતા બાબાનું લોકેશન અલગ અલગ દેશમાં હોવાનું સામે આવ્યું હતું. જો બાબા ખરેખર ભારતમાં છે તો તે અલગ અલગ સર્વરનો ઉપયોગ કરી રહ્યો છે. પરંતુ બાબા કંપની પાકિસ્તાનના કરાંચીમાંથી ઓપરેટ થઈ રહી હતી. ક્રાઈમ બ્રાન્ચે મુંબઈની કાંતિ આંગડિયા પેઢીનો સંપર્ક કરી અમદાવાદમાં દોઢ લાખ કોણે મોકલ્યા તેની જાણકારી મેળવી તો ખબર પડી કે 15 લાખ રૂપિયા દુબઈથી આવ્યા હતા અને તે પૈકી દોઢ લાખ અમદાવાદ મોકલવાની સૂચના હતી. 15 લાખ દુબઈથી કોને મોકલ્યા તે તપાસ કરતા ખોઝા નામની વ્યક્તિનું નામ ખુલ્યું હતું.