ઓછુ મતદાન થવાને કારણે કોંગ્રેસના ગઢ ગણાતા વિસ્તારોમાં પણ મતદારોને ઘરની બહાર કાઢવા ઉમેદવારોએ રીક્ષાઓ દોડાવી હતી
મતગણતરીના દિવસે બીજેપીનો 119 સીટ પર જીત થઇ હતી, વધુ બેઠકોની મતગણતરી ચાલી રહી છે
ચુંટણી ટાણે સક્રિય થયેલી પાર્ટીઓ પ્રજાએ નકારી કાઢી
WatchGujarat. અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણીમાં 48 વોર્ડ માટે 192 બેઠકોની યોજાયેલી ચૂંટણીનું આજે મતગણતરી ચાલી રહીં છે. અમદાવાદ મહાનગરપાલિકા સહિત તમામ શહેરોમાં ચાલુ વર્ષે ચૂંટણીમાં ગત પાલિકાની ચુંટણી કરતા કરતાં ઓછુ મતદાન નોંધાયુ હતું. જેને લઇને તમામ પાર્ટીના મુખીયાઓમાં ચિંતા હતી. શહેરી મતદારોને જાણે ચૂંટણીમાં રસ જ રહ્યો ન હોય તેવો અંદાજ લગાડવામાં આવી રહ્યો હતો. મહાનગરપાલિકાની ચૂંટણીમાં પેટ્રોલ-ડિઝલ ઉપરાંત રાંધણગેસનો ભાવ વધારો-મોંઘવારી જ નહીં,પણ બેરોજગારીનો મુદ્દો નડયો હતો.
ઓછુ મતદાન થવાને કારણે કોંગ્રેસના ગઢ ગણાતા વિસ્તારોમાં પણ ક્યાંક ક્યાંક મતદારોને ઘરની બહાર કાઢવા ઉમેદવારોએ રીક્ષાઓ દોડાવવી પડી હતી. જો કે ત્યાર બાદ સાંજે જાહેર કરાયેલી ટકાવારીમાં આંશિક ફેરફારની સંભાવના છે. આ સંજોગોમાં નહીં ધારેલાં પરિણામો આવવાની ભીતિએ બન્ને પક્ષના ઉમેદવારોની ઊંઘ ઊડાડી દીધી છે.
મતદાનના દિવસે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો મોટી સંખ્યામાં ચુંટાયા હતા. બપોર સુધી સ્પષ્ટ થયેલા પરિણામ પ્રમાણે, અમદાવાદમાં 119 બેઠક જીતી ભાજપ પુન: સત્તા હાંસલ કરી હતી. જ્યારે કોંગ્રેસને 16 બેઠકો મળી હતી. તેની સાથે કેજરીવાલની AAP અને ઓવૈસીની AIMIMને ‘ને પ્રજાએ જાકારો આપી દીધો હોવાનું સામે આવ્યું છે.
કયાં મતગણતરી કેન્દ્ર પર કયા વોર્ડની મતગણતરી થશે
ગુજરાત કોલેજ : દાણિલિમડા, મણિનગર, ઇસનપુર, અમરાઇવાડી, હાટકેશ્વર , ખોખરા, અસારવા, શાહીબાગ, શાહપુર , જોધપુર , વેજલપુર, સરખેજ , નવા વાડજ , નારણપુરા, સ્ટેડિયમ , ચાંદખેડા , સાબરમતી, રાણિપ, ગોતા, ચાંદલોડિયા , ઘાટલોડિયા, નિકોલ, વિરાટનગર, ઓઢવ
એલ. ડી. એન્જિનિયરીંગ કોલેજ : સરદારનગર, નરોડા, કુબેરનગર, બાપુનગર, રખિયાલ, ગોમતીપુર, વસ્ત્રાલ, ઇન્દ્રપુરી, રામોલ-હાથીજણ, લાંભા, વટવા, સૈજપુર બોઘા, ઇન્ડિયા કોલોની, ઠક્કરબાપા નગર, થલતેજ, મકતમપુરા, બોડકદેવ , પાલડી, વાસણા, નવરંગપુરા, દરિયાપુર, ખાડિયા અને જમાલપુર
ઓછુ મતદાન થવાને કારણે કોંગ્રેસના ગઢ ગણાતા વિસ્તારોમાં પણ મતદારોને ઘરની બહાર કાઢવા ઉમેદવારોએ રીક્ષાઓ દોડાવી હતી
મતગણતરીના દિવસે બીજેપીનો 119 સીટ પર જીત થઇ હતી, વધુ બેઠકોની મતગણતરી ચાલી રહી છે
ચુંટણી ટાણે સક્રિય થયેલી પાર્ટીઓ પ્રજાએ નકારી કાઢી
WatchGujarat. અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણીમાં 48 વોર્ડ માટે 192 બેઠકોની યોજાયેલી ચૂંટણીનું આજે મતગણતરી ચાલી રહીં છે. અમદાવાદ મહાનગરપાલિકા સહિત તમામ શહેરોમાં ચાલુ વર્ષે ચૂંટણીમાં ગત પાલિકાની ચુંટણી કરતા કરતાં ઓછુ મતદાન નોંધાયુ હતું. જેને લઇને તમામ પાર્ટીના મુખીયાઓમાં ચિંતા હતી. શહેરી મતદારોને જાણે ચૂંટણીમાં રસ જ રહ્યો ન હોય તેવો અંદાજ લગાડવામાં આવી રહ્યો હતો. મહાનગરપાલિકાની ચૂંટણીમાં પેટ્રોલ-ડિઝલ ઉપરાંત રાંધણગેસનો ભાવ વધારો-મોંઘવારી જ નહીં,પણ બેરોજગારીનો મુદ્દો નડયો હતો.
ઓછુ મતદાન થવાને કારણે કોંગ્રેસના ગઢ ગણાતા વિસ્તારોમાં પણ ક્યાંક ક્યાંક મતદારોને ઘરની બહાર કાઢવા ઉમેદવારોએ રીક્ષાઓ દોડાવવી પડી હતી. જો કે ત્યાર બાદ સાંજે જાહેર કરાયેલી ટકાવારીમાં આંશિક ફેરફારની સંભાવના છે. આ સંજોગોમાં નહીં ધારેલાં પરિણામો આવવાની ભીતિએ બન્ને પક્ષના ઉમેદવારોની ઊંઘ ઊડાડી દીધી છે.
મતદાનના દિવસે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો મોટી સંખ્યામાં ચુંટાયા હતા. બપોર સુધી સ્પષ્ટ થયેલા પરિણામ પ્રમાણે, અમદાવાદમાં 119 બેઠક જીતી ભાજપ પુન: સત્તા હાંસલ કરી હતી. જ્યારે કોંગ્રેસને 16 બેઠકો મળી હતી. તેની સાથે કેજરીવાલની AAP અને ઓવૈસીની AIMIMને ‘ને પ્રજાએ જાકારો આપી દીધો હોવાનું સામે આવ્યું છે.