હાલ પેરા સિવિલ હોસ્પિટલ સ્ટાફને વેક્સિન આપવામાં આવશે
મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય સચિવ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા
શહેરમાં 20 હોસ્પિટલમાં વેક્સિનેશન કેન્દ્ર ઉભા કરવામાં આવ્યા છે
એક સેન્ટરમાં વધુમાં વધુ 100 જેટલા આરોગ્યકર્મીઓને વેક્સિન અપાશે
WatchGujarat આજથી અમદાવાદમાં "CORONA Vaccination"ની કામગીરી શરૂ કરવામાં આવી છે. શહેરની અસારવા સિવિલ હોસ્પિટલમાં વેક્સિન માટેની તૈયારી સંપૂર્ણ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. સિવિલના ટ્રોમાં વોર્ડમાં સવારથી જ સ્ટાફને એલર્ટ રાખવામાં આવ્યો છે. હાલ પેરા સિવિલ હોસ્પિટલમાં સ્ટાફને વેક્સિન અપાઈ રહી છે. ત્યારબાદ અન્ય લોકો માટેની વ્યવસ્થા કરવામાં આવશે.
અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રેસિડેન્ટ ડૉક્ટર મોના દેસાઈ, IIPHના ડાયરેક્ટર દિલિપ માંઉલનકર તથા નર્સ ટ્વિન્કલ દેસાઈએ પણ વેક્સિન લીધી છે. તેમજ સિવિલ હોસ્પિટલ ખાતે વેક્સિનનો પ્રથમ ડોઝ નવીન ઠાકર અને કેતન દેસાઈને આપવામાં આવ્યો હે. તે ઉપરાંત SVPના સુપ્રિન્ટેન્ડેન્ટ એસ.ટી મલ્હાનને પણ વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને આરોગ્ય સચિવ જ્યંતી રવિ સિવિલ હોસ્પિટલમાં હાજર રહ્યા હતા અને વેક્સિન લેનારને બેજ લગાવી સન્માનિત કર્યા હતાં.
SVP હોસ્પિટલમાં વેકસીનેશન રજિસ્ટ્રેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. પેરામેડીકલ સ્ટાફને લિસ્ટ મુજબ વેક્સિન રૂમમાં પ્રવેશ આપવામાં આવ્યો છે. એક ચિઠ્ઠીમાં નંબર, નામ, પ્રવેશનો સમય, રજિસ્ટ્રેશન વેરિફિકેશન સમય, વેક્સીન આપ્યાનો સમય, ઓબ્ઝર્વેશન પૂરો થયાનો સમય લખી અને ચિઠ્ઠી જે પણ વ્યક્તિ અંદર જાય છે તેને આપવામા આવે છે.
સિવિલના સુપ્રિટેન્ટેન્ડ જે.પી મોદી, એડિશનલ મેડિકલ સુપ્રિટેન્ડન્ટ સહીત 11 ડૉક્ટરો રસી લેશે. તે ઉપરાંત હેલ્થ વર્કરોને પણ વેક્સિન આપવામાં આવશે. પ્રથમ તબક્કામાં વેક્સિન આપ્યા બાદ તેમને અડધો કલાક ઓબ્ઝર્વેશન રૂમમાં રાખવામાં આવશે. હાલ પેરા સિવિલ હોસ્પિટલમાં સ્ટાફને વેકસીન આપવામાં આવશે .ત્યાર બાદ અન્ય લોકો માટેની વ્યવસ્યા કરવામાં આવશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગના ડેપ્યૂટી મ્યુનિસિપલ કમિશનર ડો. ઓમપ્રકાશે જણાવ્યું હતું કે, શહેરમાં 20 હોસ્પિટલમાં વેક્સિનેશન કેન્દ્ર ઉભા કરવામાં આવ્યા છે જેમાં એક સેન્ટરમાં વધુમાં વધુ 100 જેટલા આરોગ્યકર્મીઓને વેક્સિન આપવામા આવશે. જે પણ સ્વસ્થ અને નિરોગી હોય એવા તમામ આરોગ્યકર્મીને વેક્સિનેશન આપવામા આવનાર છે અને તેની તમામ તૈયારીઓ લગભગ પૂર્ણ કરી દેવામાં આવી છે.
અમદાવાદની SVP હોસ્પિટલમા કોરોના વેક્સીનેશનની તૈયારીઓ પુર્ણ કરવામા આવી છે. 4 જેટલા અલગ અલગ વેકસીનેશન રૂમમાં વેક્સીન આપવામાં આવી રહી છે. એક રૂમમાં 100 જેટલા લોકોને રસી આપવામા આવશે. રોજના 400 લોકોને રસી આપી શકાશે. સૌથી પહેલા SVP હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ ડો.એસ.ટી મલ્હાન, આસી. સુપરિટેન્ડન્ટ ભાગ્યેશ દવે, NHL કોલેજના ડિન પંકજ પટેલ વેકસીન લેશે.જે પણ વ્યક્તિ રસી લેવા આવશે તેમનુ વેકસીન કેન્દ્ર બહાર રજીસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે. ત્યારબાદ વેક્સીન રૂમ નંબર પર વ્યક્તિને મોકલવામાં આવ્યા છે.
આડઅસર થાય તો તાત્કાલિક ફોન કરી જાણ કરવી
CORONA Vaccine લેનાર લાભાર્થીને વેક્સિનેશન બાદ કોઈ પણ પ્રકારની આડઅસર જોવા મળે તો તેઓને તુરંત સારવાર મળી રહે તે માટે 104 અથવા 14499 નંબર પર કોલ કરી જાણ કરવાની રહેશે. આ ઉપરાંત તે અંતર્ગત યોગ્ય કાર્યવાહી પણ કરી શકાય. જો લાભાર્થીને વધુ સારવારની જરૂર પડશે તો નજીકના મ્યુનિસિપલ સંચાલિત હોસ્પિટલમાં લઇ જવામાં આવશે.
હાલ પેરા સિવિલ હોસ્પિટલ સ્ટાફને વેક્સિન આપવામાં આવશે
મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય સચિવ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા
શહેરમાં 20 હોસ્પિટલમાં વેક્સિનેશન કેન્દ્ર ઉભા કરવામાં આવ્યા છે
એક સેન્ટરમાં વધુમાં વધુ 100 જેટલા આરોગ્યકર્મીઓને વેક્સિન અપાશે
WatchGujarat આજથી અમદાવાદમાં "CORONA Vaccination"ની કામગીરી શરૂ કરવામાં આવી છે. શહેરની અસારવા સિવિલ હોસ્પિટલમાં વેક્સિન માટેની તૈયારી સંપૂર્ણ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. સિવિલના ટ્રોમાં વોર્ડમાં સવારથી જ સ્ટાફને એલર્ટ રાખવામાં આવ્યો છે. હાલ પેરા સિવિલ હોસ્પિટલમાં સ્ટાફને વેક્સિન અપાઈ રહી છે. ત્યારબાદ અન્ય લોકો માટેની વ્યવસ્થા કરવામાં આવશે.
અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રેસિડેન્ટ ડૉક્ટર મોના દેસાઈ, IIPHના ડાયરેક્ટર દિલિપ માંઉલનકર તથા નર્સ ટ્વિન્કલ દેસાઈએ પણ વેક્સિન લીધી છે. તેમજ સિવિલ હોસ્પિટલ ખાતે વેક્સિનનો પ્રથમ ડોઝ નવીન ઠાકર અને કેતન દેસાઈને આપવામાં આવ્યો હે. તે ઉપરાંત SVPના સુપ્રિન્ટેન્ડેન્ટ એસ.ટી મલ્હાનને પણ વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને આરોગ્ય સચિવ જ્યંતી રવિ સિવિલ હોસ્પિટલમાં હાજર રહ્યા હતા અને વેક્સિન લેનારને બેજ લગાવી સન્માનિત કર્યા હતાં.
SVP હોસ્પિટલમાં વેકસીનેશન રજિસ્ટ્રેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. પેરામેડીકલ સ્ટાફને લિસ્ટ મુજબ વેક્સિન રૂમમાં પ્રવેશ આપવામાં આવ્યો છે. એક ચિઠ્ઠીમાં નંબર, નામ, પ્રવેશનો સમય, રજિસ્ટ્રેશન વેરિફિકેશન સમય, વેક્સીન આપ્યાનો સમય, ઓબ્ઝર્વેશન પૂરો થયાનો સમય લખી અને ચિઠ્ઠી જે પણ વ્યક્તિ અંદર જાય છે તેને આપવામા આવે છે.
સિવિલના સુપ્રિટેન્ટેન્ડ જે.પી મોદી, એડિશનલ મેડિકલ સુપ્રિટેન્ડન્ટ સહીત 11 ડૉક્ટરો રસી લેશે. તે ઉપરાંત હેલ્થ વર્કરોને પણ વેક્સિન આપવામાં આવશે. પ્રથમ તબક્કામાં વેક્સિન આપ્યા બાદ તેમને અડધો કલાક ઓબ્ઝર્વેશન રૂમમાં રાખવામાં આવશે. હાલ પેરા સિવિલ હોસ્પિટલમાં સ્ટાફને વેકસીન આપવામાં આવશે .ત્યાર બાદ અન્ય લોકો માટેની વ્યવસ્યા કરવામાં આવશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગના ડેપ્યૂટી મ્યુનિસિપલ કમિશનર ડો. ઓમપ્રકાશે જણાવ્યું હતું કે, શહેરમાં 20 હોસ્પિટલમાં વેક્સિનેશન કેન્દ્ર ઉભા કરવામાં આવ્યા છે જેમાં એક સેન્ટરમાં વધુમાં વધુ 100 જેટલા આરોગ્યકર્મીઓને વેક્સિન આપવામા આવશે. જે પણ સ્વસ્થ અને નિરોગી હોય એવા તમામ આરોગ્યકર્મીને વેક્સિનેશન આપવામા આવનાર છે અને તેની તમામ તૈયારીઓ લગભગ પૂર્ણ કરી દેવામાં આવી છે.
અમદાવાદની SVP હોસ્પિટલમા કોરોના વેક્સીનેશનની તૈયારીઓ પુર્ણ કરવામા આવી છે. 4 જેટલા અલગ અલગ વેકસીનેશન રૂમમાં વેક્સીન આપવામાં આવી રહી છે. એક રૂમમાં 100 જેટલા લોકોને રસી આપવામા આવશે. રોજના 400 લોકોને રસી આપી શકાશે. સૌથી પહેલા SVP હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ ડો.એસ.ટી મલ્હાન, આસી. સુપરિટેન્ડન્ટ ભાગ્યેશ દવે, NHL કોલેજના ડિન પંકજ પટેલ વેકસીન લેશે.જે પણ વ્યક્તિ રસી લેવા આવશે તેમનુ વેકસીન કેન્દ્ર બહાર રજીસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે. ત્યારબાદ વેક્સીન રૂમ નંબર પર વ્યક્તિને મોકલવામાં આવ્યા છે.
આડઅસર થાય તો તાત્કાલિક ફોન કરી જાણ કરવી
CORONA Vaccine લેનાર લાભાર્થીને વેક્સિનેશન બાદ કોઈ પણ પ્રકારની આડઅસર જોવા મળે તો તેઓને તુરંત સારવાર મળી રહે તે માટે 104 અથવા 14499 નંબર પર કોલ કરી જાણ કરવાની રહેશે. આ ઉપરાંત તે અંતર્ગત યોગ્ય કાર્યવાહી પણ કરી શકાય. જો લાભાર્થીને વધુ સારવારની જરૂર પડશે તો નજીકના મ્યુનિસિપલ સંચાલિત હોસ્પિટલમાં લઇ જવામાં આવશે.