દેશમાં અને રાજ્યમાં આજથી આગામી 75 અઠવાડિયા સુધી આઝાદીના 'અમૃત મહોત્સવ'ની શાનદાન ઊજવણી થશે.
PM મોદીએ ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ આપી
સમગ્ર રોડ પર ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે
આશ્રમની વિઝીટ દરમિયાન વિઝિટર બુકમાં PM મોદીએ હિન્દી ભાષામાં સંદેશો લખ્યો
WatchGujarat ભારતની આઝાદીના 75માં વર્ષે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ઉજવણીનો કર્ટેન રેઇઝર કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ઉપસ્થિતિમાં અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતેથી આજ રોજ યોજાઈ રહ્યો છે. જેમાં ભાગ લેવા પીએમ મોદી સવારે 10 કલાકે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા હતા. જ્યાંથી 10.30 કલાકે વડાપ્રધાન સાબરમતી આશ્રમ પહોંચ્યા હતા.
જ્યાં બપોરે 12.15 કલાક સુધી આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમમાં ભાગ લેશે. આ ઉજવણી અંતર્ગત સમગ્ર દેશમાં આગામી 75 અઠવાડિયા દરમિયાન 75 કાર્યક્રમો યોજાશે. ‘આઝાદી કા અમૃત મહોત્સવ’નો મુખ્ય હેતુ દેશભરમાં ભાષા અને રાજ્યવાર જનજાગૃતિ અને આંદોલન પ્રેરાય, ભારતનો ભવ્ય અને ગૌરવપૂર્ણ ભૂતકાળ ઉજાગર થાય સાથે ભારતના વિકાસને દર્શાવવાનો છે.
ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણીના અવસરે ‘આઝાદીના અમૃત મહોત્સવ’ની રાષ્ટ્રવ્યાપી ઉજવણીનો પ્રારંભ 12મી માર્ચથી અમદાવાદના સાબરમતી આશ્રમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરાવશે. જેના અનુલક્ષમાં સાબરમતી આશ્રમના મુખ્ય કાર્યક્રમની સાથે મહત્વના 6 જિલ્લા સહિત વિવિધ 75 સ્થળોએ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. ગુજરાતમાં મહાત્મા ગાંધીજીની કર્મભૂમિ અને અઝાદીની લડતનું કેંદ્રબિંદુ રહેલા અમદાવાદથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આઝાદીના અમૃત મહોત્સવનો શુભારંભ કરાવશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી. તેમજ હ્રદયકુંજમાં ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી હતી. પીએમ મોદી 7 મિનિટ ગાંધી આશ્રમમાં રોકાયા બાદ તેમણે પ્રદર્શન નિહાળ્યું હતું. ત્યાર બાદ તેઓ સ્ટેજ પર પહોંચ્યા છે.હાલ પીએમ મોદી સાથે મુખ્યમંત્રી રૂપાણી, રાજ્યપાલ દેવવ્રત આચાર્ય અને સી.આર.પાટીલ પણ ઉપસ્થિત છે.
જાણીતા બોલિવૂડ સિંગર ઝુબિન નોટિયાલે દાંડી યાત્રા માટેનું ગીત ગાયું હતું. બોલિવૂડ એક્ટર અનુપમ ખેર પણ આવ્યા હતા. તેમણે કહ્યું કે, વિપક્ષ વિશે હાલ મારે કઈ કહેવું નથી. વિરોધ કરવાનો આ મુદ્દો નથી. દેશને આઝાદ કરાવવામાં ફાળો આપનારા મહાપુરુષોના સન્માનના કાર્યક્રમમાં આવ્યા છીએ. યુવા પેઢીએ ચોક્કસ મહાત્મા ગાંધીના જીવનચર્યા અંગે શીખવાની આવશક્યતા છે.
PM મોદીએ સંદેશામાં લખ્યું અહીં આવીત્યાગની ભાવના મજબૂત થાય છે.
પીએમ મોદીએ સાબરમતી આશ્રની મુલાકત લીધી હતી. મુલાકાત સમયે PM મોદીએ વિઝિટર બૂકમાં હિન્દી ભાષામાં સંદેશો લખ્યો હતો. તેમજ PM મોદીએ સંદેશામાં લખ્યું અહીં આવી ત્યાગની ભાવના મજબૂત થાય છે.
https://twitter.com/narendramodi/status/1370224633572511749?s=20
PM મોદીની સોશિયલ મીડિયા પર #VocalForLocal હેશટેગ સાથે તસવીર શેર કરવા અપીલ
વડાપ્રધાન મોદીએ દાંડી યાત્રાના પ્રારંભ પહેલાં સ્વદેશી અભિયાન 2.0ની શરૂઆત કરાવી છે. તેમણે અપીલ કરી છે કે કોઈ પણ સ્થાનિક પ્રોડક્ટ ખરીદો અને સોશિયલ મીડિયા પર #VocalForLocal હેશટેગ સાથે તસવીર શેર કરો
ડોમ ફૂલ થતા લોકોને પરત મોકલતા હોબાળો
સભાનો ડોમ હાઉસફૂલ થતા સાણંદ, તલોદ સહિત અલગ અલગ વિસ્તારોમાંથી અમૃત મહોત્સવમાં ભાગ લેવા આવેલા લોકોને પરત મોકલવામાં આવ્યા હતા. જેને પગલે કેટલાક લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. લોકોએ પોલીસ સાથે બોલચાલી કરી હતી. એક કાર્યકરે કહ્યું કે ધારાસભ્યને ફોન કરો જવા જ નથી દેતા તો અમને આમંત્રણ કેમ આપ્યું હતું. સાબરકાંઠાથી આવેલા 50થી 60 લોકોને અભયઘાટના ગેટથી જ પરત મોકલ્યા હતા. જેને પગલે પોલીસે સમજાવટના પ્રયાસો હાથ ધર્યા હતા.
દાંડીયાત્રામાં જોડાવા મધ્ય પ્રદેશ અને તમિલનાડુથી લોકો આવ્યા
દાંડીયાત્રામાં જોડાનાર મધ્યપ્રદેશના આશરે 30થી વધુ પદયાત્રીઓ અભયઘાટ પહોંચી ગયા છે. પીએમના કાર્યક્રમમાં પર્ફોર્મ કરવા તમિલનાડુથી એક ગ્રૂપ આવ્યું છે.અભયઘાટ ખાતે અમદાવાદ શહેર અને જિલ્લા અને તાલુકામાંથી સભામાં ભાગ લેવા લોકો પહોંચી રહ્યા છે. VVIP અને ગાંધીવાદીઓ માટે અલગ અલગ બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. જેના માટે ખાસ ડોમ બનાવવામાં આવ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાંડીપુલ પર ચાલતા જશે
દાંડીયાત્રાના 91 વર્ષ થઈ રહ્યા હોવાના અવસરે દાંડીપુલ પર ખુદ નરેન્દ્ર મોદી ચાલતા જશે. એ માટે SPG અને ગુજરાત પોલીસની ટીમે મોદીની વિઝિટનાં સ્થળોનું નિરીક્ષણ કર્યું હતું. અહીં તેઓ પહેલા ગાંધીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવશે, ત્યાર બાદ હૃદયકુંજ જશે અને ત્યાંથી તેઓ ચાલતા દાંડીબ્રિજ તરફ જશે.
PM મોદી 21 દિવસની દાંડીયાત્રાને ફ્લેગ ઓફ કરશે
દેશની આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણીનો પ્રારંભ, ‘આઝાદી કા અમૃત મહોત્સવ’નો પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં થશે અને એનો પ્રથમ કાર્યક્રમ 21 દિવસની દાંડીયાત્રાને વડાપ્રધાન ફલેગ ઓફ કરશે. એટલું જ નહીં, વડાપ્રધાન મોદી પણ પદયાત્રામાં થોડો સમય ચાલશે. આ યાત્રા અમદાવાદના સાબરમતીથી રવાના થશે.
દેશમાં અને રાજ્યમાં આજથી આગામી 75 અઠવાડિયા સુધી આઝાદીના 'અમૃત મહોત્સવ'ની શાનદાન ઊજવણી થશે.
PM મોદીએ ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ આપી
સમગ્ર રોડ પર ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે
WatchGujarat ભારતની આઝાદીના 75માં વર્ષે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ઉજવણીનો કર્ટેન રેઇઝર કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ઉપસ્થિતિમાં અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતેથી આજ રોજ યોજાઈ રહ્યો છે. જેમાં ભાગ લેવા પીએમ મોદી સવારે 10 કલાકે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા હતા. જ્યાંથી 10.30 કલાકે વડાપ્રધાન સાબરમતી આશ્રમ પહોંચ્યા હતા.
જ્યાં બપોરે 12.15 કલાક સુધી આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમમાં ભાગ લેશે. આ ઉજવણી અંતર્ગત સમગ્ર દેશમાં આગામી 75 અઠવાડિયા દરમિયાન 75 કાર્યક્રમો યોજાશે. ‘આઝાદી કા અમૃત મહોત્સવ’નો મુખ્ય હેતુ દેશભરમાં ભાષા અને રાજ્યવાર જનજાગૃતિ અને આંદોલન પ્રેરાય, ભારતનો ભવ્ય અને ગૌરવપૂર્ણ ભૂતકાળ ઉજાગર થાય સાથે ભારતના વિકાસને દર્શાવવાનો છે.
ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણીના અવસરે ‘આઝાદીના અમૃત મહોત્સવ’ની રાષ્ટ્રવ્યાપી ઉજવણીનો પ્રારંભ 12મી માર્ચથી અમદાવાદના સાબરમતી આશ્રમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરાવશે. જેના અનુલક્ષમાં સાબરમતી આશ્રમના મુખ્ય કાર્યક્રમની સાથે મહત્વના 6 જિલ્લા સહિત વિવિધ 75 સ્થળોએ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. ગુજરાતમાં મહાત્મા ગાંધીજીની કર્મભૂમિ અને અઝાદીની લડતનું કેંદ્રબિંદુ રહેલા અમદાવાદથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આઝાદીના અમૃત મહોત્સવનો શુભારંભ કરાવશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી. તેમજ હ્રદયકુંજમાં ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી હતી. પીએમ મોદી 7 મિનિટ ગાંધી આશ્રમમાં રોકાયા બાદ તેમણે પ્રદર્શન નિહાળ્યું હતું. ત્યાર બાદ તેઓ સ્ટેજ પર પહોંચ્યા છે.હાલ પીએમ મોદી સાથે મુખ્યમંત્રી રૂપાણી, રાજ્યપાલ દેવવ્રત આચાર્ય અને સી.આર.પાટીલ પણ ઉપસ્થિત છે.
જાણીતા બોલિવૂડ સિંગર ઝુબિન નોટિયાલે દાંડી યાત્રા માટેનું ગીત ગાયું હતું. બોલિવૂડ એક્ટર અનુપમ ખેર પણ આવ્યા હતા. તેમણે કહ્યું કે, વિપક્ષ વિશે હાલ મારે કઈ કહેવું નથી. વિરોધ કરવાનો આ મુદ્દો નથી. દેશને આઝાદ કરાવવામાં ફાળો આપનારા મહાપુરુષોના સન્માનના કાર્યક્રમમાં આવ્યા છીએ. યુવા પેઢીએ ચોક્કસ મહાત્મા ગાંધીના જીવનચર્યા અંગે શીખવાની આવશક્યતા છે.
PM મોદીએ સંદેશામાં લખ્યું અહીં આવીત્યાગની ભાવના મજબૂત થાય છે.
પીએમ મોદીએ સાબરમતી આશ્રની મુલાકત લીધી હતી. મુલાકાત સમયે PM મોદીએ વિઝિટર બૂકમાં હિન્દી ભાષામાં સંદેશો લખ્યો હતો. તેમજ PM મોદીએ સંદેશામાં લખ્યું અહીં આવી ત્યાગની ભાવના મજબૂત થાય છે.
PM મોદીની સોશિયલ મીડિયા પર #VocalForLocal હેશટેગ સાથે તસવીર શેર કરવા અપીલ
વડાપ્રધાન મોદીએ દાંડી યાત્રાના પ્રારંભ પહેલાં સ્વદેશી અભિયાન 2.0ની શરૂઆત કરાવી છે. તેમણે અપીલ કરી છે કે કોઈ પણ સ્થાનિક પ્રોડક્ટ ખરીદો અને સોશિયલ મીડિયા પર #VocalForLocal હેશટેગ સાથે તસવીર શેર કરો
ડોમ ફૂલ થતા લોકોને પરત મોકલતા હોબાળો
સભાનો ડોમ હાઉસફૂલ થતા સાણંદ, તલોદ સહિત અલગ અલગ વિસ્તારોમાંથી અમૃત મહોત્સવમાં ભાગ લેવા આવેલા લોકોને પરત મોકલવામાં આવ્યા હતા. જેને પગલે કેટલાક લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. લોકોએ પોલીસ સાથે બોલચાલી કરી હતી. એક કાર્યકરે કહ્યું કે ધારાસભ્યને ફોન કરો જવા જ નથી દેતા તો અમને આમંત્રણ કેમ આપ્યું હતું. સાબરકાંઠાથી આવેલા 50થી 60 લોકોને અભયઘાટના ગેટથી જ પરત મોકલ્યા હતા. જેને પગલે પોલીસે સમજાવટના પ્રયાસો હાથ ધર્યા હતા.
દાંડીયાત્રામાં જોડાવા મધ્ય પ્રદેશ અને તમિલનાડુથી લોકો આવ્યા
દાંડીયાત્રામાં જોડાનાર મધ્યપ્રદેશના આશરે 30થી વધુ પદયાત્રીઓ અભયઘાટ પહોંચી ગયા છે. પીએમના કાર્યક્રમમાં પર્ફોર્મ કરવા તમિલનાડુથી એક ગ્રૂપ આવ્યું છે.અભયઘાટ ખાતે અમદાવાદ શહેર અને જિલ્લા અને તાલુકામાંથી સભામાં ભાગ લેવા લોકો પહોંચી રહ્યા છે. VVIP અને ગાંધીવાદીઓ માટે અલગ અલગ બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. જેના માટે ખાસ ડોમ બનાવવામાં આવ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાંડીપુલ પર ચાલતા જશે
દાંડીયાત્રાના 91 વર્ષ થઈ રહ્યા હોવાના અવસરે દાંડીપુલ પર ખુદ નરેન્દ્ર મોદી ચાલતા જશે. એ માટે SPG અને ગુજરાત પોલીસની ટીમે મોદીની વિઝિટનાં સ્થળોનું નિરીક્ષણ કર્યું હતું. અહીં તેઓ પહેલા ગાંધીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવશે, ત્યાર બાદ હૃદયકુંજ જશે અને ત્યાંથી તેઓ ચાલતા દાંડીબ્રિજ તરફ જશે.
PM મોદી 21 દિવસની દાંડીયાત્રાને ફ્લેગ ઓફ કરશે
દેશની આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણીનો પ્રારંભ, ‘આઝાદી કા અમૃત મહોત્સવ’નો પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં થશે અને એનો પ્રથમ કાર્યક્રમ 21 દિવસની દાંડીયાત્રાને વડાપ્રધાન ફલેગ ઓફ કરશે. એટલું જ નહીં, વડાપ્રધાન મોદી પણ પદયાત્રામાં થોડો સમય ચાલશે. આ યાત્રા અમદાવાદના સાબરમતીથી રવાના થશે.