કડકડતી ઠંડીમાં મંદિરના ઓટલે નવજાત બાળકીને તરછોડી ગયું
આસપાસના લોકો દરગાહમાં લઈ જઈ બાળકીને દૂધ પીવડાવી સાચવી
હાડ થીજવતી ઠંડીમાં વહેલી સવારે છ વાગ્યે મંદિરના ઓટલે એક બાળકી ત્યજી દીધેલી હાલતમાં રડતી મળી આવી હતી
WatchGujarat માતૃપ્રેમ જાણે કે મરી પરવારી હોય અથવા એવું તો શું થયું હશે કે નવજાત બાળકીને શિયાળાની કડકડતી ઠંડીમાં જનેતાએ ભગવાનના ભરોસે મંદિરના ઓટલે તરછોડી દેવાની વધુ એક ઘટના સામે આવી છે. પરંતુ જાણે ઈશ્વરની કરિશ્મા હોય તેમ બાળકીની વ્હારે ઈશ્વર અને અલ્લાહ બંને સાથે સાથે આવી ગયા હોવાનો સંયોગ જોવા મળ્યો હતો. હાડ થીજવતી ઠંડીમાં વહેલી સવારે છ વાગ્યે શહેરના મણીનગર વિસ્તારમાં આવેલ મંદિરના ઓટલે એક બાળકી ત્યજી દીધેલી હાલતમાં રડતી મળી આવી હતી. આસપાસના લોકો બાળકીને દરગાહમાં લઈ જઈને દૂધ પીવડાવી કોઈ લઈ જશે તેમ સમજી સાચવી રાખી હતી પણ કોઈ ન આવતા પોલીસને જાણ કરાઈ હતી. સમગ્ર મામલે મણીનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મણીનગર મચ્છી પીરની દરગાહ પાસે રહેતા મહેમૂદભાઈ શેખ કાગડાપીઠમાં આવેલી એક કાપડની દુકાનમાં નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. રવિવારે સવારે તેઓ સુતા હતા ત્યારે દરગાહ પાસે ફૂટપાથ પર રહેતા દિવાળીબેને આવી તેમને બૂમો પાડી જણાવ્યું કે, દરગાહની બાજુમાં આવેલા જોગણી માતા અને હડકવાઈ માતાના મંદિરના ઓટલા પરથી બાળકના રડવાનો અવાજ આવે છે. મહેમૂદભાઈના પરિવારજનોએ જઈને જોયું તો એક બાળક હાડ થીજવી દેતી ઠંડીમાં રડતું હતું.
એક ગોદડીમાં બાળક ઢાંકેલું હતું. ગોદડી હટાવીને જોયું તો તેમાં 10થી 12 દિવસની તાજી જન્મેલી બાળકી હતી. આ બાળકીને ઉઠાવીને મહેમૂદભાઈ સહિતના લોકો દરગાહમાં લઇ ગયા હતા અને ત્યાં બાળકીને દૂધ પીવડાવી શાંત કરી હતી. મહેમૂદભાઈ સહિતના લોકોને થયું કે કોઈ બાળકી મૂકી આસપાસમાં ગયું હશે. જોકે, લાંબા સમય સુધી બાળકીને લેવા માટે કોઈ ન આવતા તેમણે પોલીસને જાણ કરી હતી. પોલીસને જાણ થતા જ મણીનગર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને અજાણી મહિલા સામે બાળકીને તરછોડી દેવાનો ગુનો નોંધી બાળકીની સારવાર કરાવી સંરક્ષણ ગૃહમાં મોકલી દેવાની તજવીજ હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ જુલાઈ માસથી અત્યારસુધીમાં મણીનગરના આવકાર હોલ, ઓઢવ, સોલા, અમરાઈવાડી અને ગોમતીપુર વિસ્તારોમાંથી મળી કુલ 5 ભ્રૂણ મળી આવ્યા હતા. જેની નોંધ ઉચ્ચ અધિકારીઓએ પણ લીધી હતી. ભ્રૂણ મળતાની સાથે જ પોલીસે તપાસ કરતા મણીનગરના નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી હતી.
આસપાસના લોકો દરગાહમાં લઈ જઈ બાળકીને દૂધ પીવડાવી સાચવી
હાડ થીજવતી ઠંડીમાં વહેલી સવારે છ વાગ્યે મંદિરના ઓટલે એક બાળકી ત્યજી દીધેલી હાલતમાં રડતી મળી આવી હતી
WatchGujarat માતૃપ્રેમ જાણે કે મરી પરવારી હોય અથવા એવું તો શું થયું હશે કે નવજાત બાળકીને શિયાળાની કડકડતી ઠંડીમાં જનેતાએ ભગવાનના ભરોસે મંદિરના ઓટલે તરછોડી દેવાની વધુ એક ઘટના સામે આવી છે. પરંતુ જાણે ઈશ્વરની કરિશ્મા હોય તેમ બાળકીની વ્હારે ઈશ્વર અને અલ્લાહ બંને સાથે સાથે આવી ગયા હોવાનો સંયોગ જોવા મળ્યો હતો. હાડ થીજવતી ઠંડીમાં વહેલી સવારે છ વાગ્યે શહેરના મણીનગર વિસ્તારમાં આવેલ મંદિરના ઓટલે એક બાળકી ત્યજી દીધેલી હાલતમાં રડતી મળી આવી હતી. આસપાસના લોકો બાળકીને દરગાહમાં લઈ જઈને દૂધ પીવડાવી કોઈ લઈ જશે તેમ સમજી સાચવી રાખી હતી પણ કોઈ ન આવતા પોલીસને જાણ કરાઈ હતી. સમગ્ર મામલે મણીનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મણીનગર મચ્છી પીરની દરગાહ પાસે રહેતા મહેમૂદભાઈ શેખ કાગડાપીઠમાં આવેલી એક કાપડની દુકાનમાં નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. રવિવારે સવારે તેઓ સુતા હતા ત્યારે દરગાહ પાસે ફૂટપાથ પર રહેતા દિવાળીબેને આવી તેમને બૂમો પાડી જણાવ્યું કે, દરગાહની બાજુમાં આવેલા જોગણી માતા અને હડકવાઈ માતાના મંદિરના ઓટલા પરથી બાળકના રડવાનો અવાજ આવે છે. મહેમૂદભાઈના પરિવારજનોએ જઈને જોયું તો એક બાળક હાડ થીજવી દેતી ઠંડીમાં રડતું હતું.
એક ગોદડીમાં બાળક ઢાંકેલું હતું. ગોદડી હટાવીને જોયું તો તેમાં 10થી 12 દિવસની તાજી જન્મેલી બાળકી હતી. આ બાળકીને ઉઠાવીને મહેમૂદભાઈ સહિતના લોકો દરગાહમાં લઇ ગયા હતા અને ત્યાં બાળકીને દૂધ પીવડાવી શાંત કરી હતી. મહેમૂદભાઈ સહિતના લોકોને થયું કે કોઈ બાળકી મૂકી આસપાસમાં ગયું હશે. જોકે, લાંબા સમય સુધી બાળકીને લેવા માટે કોઈ ન આવતા તેમણે પોલીસને જાણ કરી હતી. પોલીસને જાણ થતા જ મણીનગર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને અજાણી મહિલા સામે બાળકીને તરછોડી દેવાનો ગુનો નોંધી બાળકીની સારવાર કરાવી સંરક્ષણ ગૃહમાં મોકલી દેવાની તજવીજ હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ જુલાઈ માસથી અત્યારસુધીમાં મણીનગરના આવકાર હોલ, ઓઢવ, સોલા, અમરાઈવાડી અને ગોમતીપુર વિસ્તારોમાંથી મળી કુલ 5 ભ્રૂણ મળી આવ્યા હતા. જેની નોંધ ઉચ્ચ અધિકારીઓએ પણ લીધી હતી. ભ્રૂણ મળતાની સાથે જ પોલીસે તપાસ કરતા મણીનગરના નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી હતી.