હાલ મહામારી કાળમાં દર વર્ષથી થોડીક અલગ કોવિડ ગાઇડલાઇનના પાલન સાથે પર્વની ઉજવણી થશે – સુત્ર
પોલીસનો લોખંડી બંદોબસ્ત સમગ્ર રૂટ પર રહેશે, અંદર જવાના રસ્તાઓને લોક કરવામાં આવશે
ટુંક સમયમાં સરકારના પ્રતિનીધીઓ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવશે
WatchGujarat. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 144 મી રથયાત્રાને મંજુરી મળતા શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વર્ષે ભગવાન જગન્નાથજી તેમના પરિવારજનો સાથે નગરચર્યા પર નિકળશે. રથયાત્રામાં પોલીસ તરફથી દર વર્ષેની જેમ લોખંડી બંદોબસ્ત રાખવામાં આવશે. તેની સાથે વિશેષ રથયાત્રાના રૂટ પર અંદર આવવાના રસ્તાઓને લોક કરવામાં આવશે. રૂટ પર આવવાના રસ્તાઓ પર વધુ બંદોબસ્ત રાખવામાં આવશે. હાલ કોરોનાની સ્થિતીના કારણે દર વર્ષે મોટી સંખ્યામાં લોકોની હાજરી વચ્ચે ઉજવવામાં આવતા રથયાત્રા પ્રસંગની ઉજવણી થોડીક જુદી પડશે. સરકારી તંત્ર દ્વારા કોવિડ ગાઇડલાઇનનું પાલન કરવાની સાથે યાત્રા કાઢવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, સમગ્ર મામલે હાલ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઇ શકી નથી. ટુંક સમયમાં સરકારના પ્રતિનીધીઓ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ છે.
રથયાત્રા રૂટ પર આવેલા તમામ રસ્તા અને પોઈન્ટ પર બ્લોક કરી બેરીકેડ મુકાશે
15000થી વધુ પોલીસકર્મીઓ અમદાવાદ પોલીસ બંદોબસ્ત માટે પહોંચી ચુક્યા છે. આજે સાંજે ચાર વાગ્યે પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવની આગેવાનીમાં અમદાવાદ શહેરના તમામ અધિકારીઓ અને પોલીસ બંદોબસ્તમાં આવેલા તમામ અધિકારીઓ સાથે બેઠક કરશે અને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવશે.પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ પોલીસ બંદોબસ્ત માટેની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. રથયાત્રા રૂટ પર આવેલા તમામ રસ્તા અને પોઈન્ટ પર બ્લોક કરી બેરીકેડ કરવામાં આવશે.
દરિયાપુર પોલીસ સ્ટેશનમાં 3000 જેટલા પોલીસકર્મીઓને રથયાત્રા મામલે બ્રીફિગ કરાયું
રથયાત્રાના રૂટમાં જે લોકોના ઘર આવેલા છે તેઓને ઘરમાં જ રહેવા અને ઘરમાંથી દર્શન કરવા સૂચના આપવામાં આવશે. તમામ પોલીસ બંદોબસ્તને આજે આખરી ઓપ આપી દેવામાં આવશે. સાંજે 6 વાગ્યાથી રથયાત્રામાં બંદોબસ્તમાં આવેલા તમામ પોલીસકર્મીઓને તેમનો પોઈન્ટ ફાળવી દેવામાં આવશે. દરરોજ સવારે અને સાંજે પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવશે. દરિયાપુર પોલીસ સ્ટેશનમાં આજે 3000 જેટલા પોલીસકર્મીઓને રથયાત્રા મામલે બ્રીફિગ આપવામાં આવ્યું હતું.
હાલ મહામારી કાળમાં દર વર્ષથી થોડીક અલગ કોવિડ ગાઇડલાઇનના પાલન સાથે પર્વની ઉજવણી થશે – સુત્ર
પોલીસનો લોખંડી બંદોબસ્ત સમગ્ર રૂટ પર રહેશે, અંદર જવાના રસ્તાઓને લોક કરવામાં આવશે
ટુંક સમયમાં સરકારના પ્રતિનીધીઓ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવશે
WatchGujarat. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 144 મી રથયાત્રાને મંજુરી મળતા શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વર્ષે ભગવાન જગન્નાથજી તેમના પરિવારજનો સાથે નગરચર્યા પર નિકળશે. રથયાત્રામાં પોલીસ તરફથી દર વર્ષેની જેમ લોખંડી બંદોબસ્ત રાખવામાં આવશે. તેની સાથે વિશેષ રથયાત્રાના રૂટ પર અંદર આવવાના રસ્તાઓને લોક કરવામાં આવશે. રૂટ પર આવવાના રસ્તાઓ પર વધુ બંદોબસ્ત રાખવામાં આવશે. હાલ કોરોનાની સ્થિતીના કારણે દર વર્ષે મોટી સંખ્યામાં લોકોની હાજરી વચ્ચે ઉજવવામાં આવતા રથયાત્રા પ્રસંગની ઉજવણી થોડીક જુદી પડશે. સરકારી તંત્ર દ્વારા કોવિડ ગાઇડલાઇનનું પાલન કરવાની સાથે યાત્રા કાઢવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, સમગ્ર મામલે હાલ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઇ શકી નથી. ટુંક સમયમાં સરકારના પ્રતિનીધીઓ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ છે.
રથયાત્રા રૂટ પર આવેલા તમામ રસ્તા અને પોઈન્ટ પર બ્લોક કરી બેરીકેડ મુકાશે
15000થી વધુ પોલીસકર્મીઓ અમદાવાદ પોલીસ બંદોબસ્ત માટે પહોંચી ચુક્યા છે. આજે સાંજે ચાર વાગ્યે પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવની આગેવાનીમાં અમદાવાદ શહેરના તમામ અધિકારીઓ અને પોલીસ બંદોબસ્તમાં આવેલા તમામ અધિકારીઓ સાથે બેઠક કરશે અને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવશે.પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ પોલીસ બંદોબસ્ત માટેની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. રથયાત્રા રૂટ પર આવેલા તમામ રસ્તા અને પોઈન્ટ પર બ્લોક કરી બેરીકેડ કરવામાં આવશે.
રથયાત્રાના રૂટમાં જે લોકોના ઘર આવેલા છે તેઓને ઘરમાં જ રહેવા અને ઘરમાંથી દર્શન કરવા સૂચના આપવામાં આવશે. તમામ પોલીસ બંદોબસ્તને આજે આખરી ઓપ આપી દેવામાં આવશે. સાંજે 6 વાગ્યાથી રથયાત્રામાં બંદોબસ્તમાં આવેલા તમામ પોલીસકર્મીઓને તેમનો પોઈન્ટ ફાળવી દેવામાં આવશે. દરરોજ સવારે અને સાંજે પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવશે. દરિયાપુર પોલીસ સ્ટેશનમાં આજે 3000 જેટલા પોલીસકર્મીઓને રથયાત્રા મામલે બ્રીફિગ આપવામાં આવ્યું હતું.