'કામ કર નહીં તો પહેલી પત્નીની જેમ તને પણ છૂટાછેડા આપીશ' તેમ કહી પતિ ધમકાવતો હતો
"મેં પોલીસ ખાતામાં નોકરી કરી છે જેથી તમે મારુ કંઈ બગાડી શકવાના નથી" તેવી કહી સસરો ત્રાસ ગુજારતો
સાસરિયાઓ પરિણીતા ઉપર ત્રાસ ગુજારતા હોવાથી સસરા સહિત 8 લોકો વિરુદ્ધ ફરિયાદ
WatchGujarat શહેરના મેઘાણીનગરમાં પિયરમાં રહેતી પરણીતાને તેના સાસરિયાઓ ખૂબ ત્રાસ આપતા હતા. ઘરકામ અને જમવાનું બનાવવા બાબતે ઝગડા કરી માર મારતા હતા. આટલું જ નહીં પિયરમાં મૂકી જઇ મહિલાનો પતિ તેડવા આવ્યો ન હતો અને બાદમાં ફોન બંધ કરીને બેસી ગયો હતો. મહિલાના સસરા પોલીસ ખાતામાંથી રિટાયર્ડ થયા હોવાથી ખાતાની નોકરીનો ધાક ધમકી બતાવી તેને બાથરૂમ પણ જવા ન દેતા હતા. આખરે મહિલાએ પતિ સહિત 8 સાસરિયા વિરુદ્ધ પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
મેઘાણીનગરમાં રહેતી 36 વર્ષીય મહિલા ઘણા સમયથી તેના પિયરજનો સાથે રહે છે. મહિલાના લગ્ન વર્ષ 2020ના જાન્યુઆરી મહિનામાં બીજી વખત પ્રદીપ જીવણલાલ પરમાર સાથે થયા હતા. લગ્ન બાદ આ મહિલા સાસરે બનાસકાંઠા રહેવા ગઈ હતી. થોડા દિવસ ત્યાં રોકાયા બાદ તે ચાંદખેડા રહેવા આવી ગઈ હતી. લગ્નના બે માસ બાદ મહિલાની સાસુને ફ્રેક્ચર થતા તેના સાસરિયાઓ તેને તેડી ગયા હતા. મહિલાની નણંદ નણદોઈ મહિલાની સાસુની ખબર કાઢવા આવ્યા હતા. ત્યારે ઘરકામ બાબતે તેની સાથે તકરાર કરી હતી. અને મહિલાની નણંદે તેને "તને તો કામ કરવા લાવ્યા છીએ, નહિ કરે તો છૂટાછેડા આપી દઈશું" કહીને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.
આ બાબતે મહિલાએ તેના પતિને વાત કરતા તેના પતિએ પણ પોત પ્રકાશ્યું હતું અને તેના પરિવારજનોનો પક્ષ લઈને પત્નીને કહ્યું કે "ઘરવાળા કહે તેમ જ કરવાનું નહિ કરે તો પહેલી પત્નીને બાળકો સાથે છૂટાછેડા આપી દીધા તેમ તને પણ આપી દઈશ". જ્યારે મહિલાના ભાઈના પુત્રનું અવસાન થયું ત્યારે એક દિવસ પિયર મોકલી પતિ સાસરે લઈ આવ્યો હતો. બાદમાં લૉકડાઉન આવતા મહિલાની નણંદે મહિલા વિરુદ્ધ ચઢામણી કરી હતી. જમવાનું બનાવવા બાબતે આ મહિલાના સાસરિયાઓએ બોલાચાલી કરી હતી. દરમિયાન પોલીસ નોકરીમાંથી રિટાયર્ડ થયેલા સસરાએ તેને બાથરૂમ પણ જવા દીધી ન હતી અને માર મારતા હતા. બાદમાં લૉકડાઉન પૂર્ણ થતાં મહિલાને તેનો પતિ પિયરમાં મૂકી આવ્યો હતો.
મહિલાને પિયરમાં મૂકી આવ્યો બાદ તેડી ન જતા મહીલાએ પતિને તેડી જવા કહેતા તેને ઘરે વાત કરીને જણાવવાનું કહી ફોન બંધ કરી દીધો હતો. જેથી આ મહિલા તેના માતા પિતા સાથે સાસરે ગઈ ત્યારે તેના સસરા કે જે પોલીસ ખાતામાંથી રિટાયર્ડ થયા હતા તેમણે મહિલાને "મેં પોલીસ ખાતામાં નોકરી કરી છે જેથી તમે મારુ કંઈ બગાડી શકવાના નથી" કહીને ધમકી આપી હતી.
આખરે સાસરિયાઓના ત્રાસથી કંટાળેલી મહિલાએ સમગ્ર મામલે કંટાળી સાસરિયાઓ સામે પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પતિ પ્રદીપ જીવણલાલ પરમાર, સસરા જીવણલાલ દેવજી પરમાર, સાસુ ભીખીબેન જીવણલાલ પરમાર, દિયર હિમાંશુ જીવણલાલ પરમાર, નણંદ નયનાબેન વસંતકુમાર ચૌહાણ, નણંદના પતિ વસંતકુમાર લાલજી ચૌહાણ, નણંદ કલ્પનાબેન મુકેશ પરમાર અને નણંદના પતિ મુકેશ ગણેશ પરમાર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
'કામ કર નહીં તો પહેલી પત્નીની જેમ તને પણ છૂટાછેડા આપીશ' તેમ કહી પતિ ધમકાવતો હતો
"મેં પોલીસ ખાતામાં નોકરી કરી છે જેથી તમે મારુ કંઈ બગાડી શકવાના નથી" તેવી કહી સસરો ત્રાસ ગુજારતો
સાસરિયાઓ પરિણીતા ઉપર ત્રાસ ગુજારતા હોવાથી સસરા સહિત 8 લોકો વિરુદ્ધ ફરિયાદ
WatchGujarat શહેરના મેઘાણીનગરમાં પિયરમાં રહેતી પરણીતાને તેના સાસરિયાઓ ખૂબ ત્રાસ આપતા હતા. ઘરકામ અને જમવાનું બનાવવા બાબતે ઝગડા કરી માર મારતા હતા. આટલું જ નહીં પિયરમાં મૂકી જઇ મહિલાનો પતિ તેડવા આવ્યો ન હતો અને બાદમાં ફોન બંધ કરીને બેસી ગયો હતો. મહિલાના સસરા પોલીસ ખાતામાંથી રિટાયર્ડ થયા હોવાથી ખાતાની નોકરીનો ધાક ધમકી બતાવી તેને બાથરૂમ પણ જવા ન દેતા હતા. આખરે મહિલાએ પતિ સહિત 8 સાસરિયા વિરુદ્ધ પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
મેઘાણીનગરમાં રહેતી 36 વર્ષીય મહિલા ઘણા સમયથી તેના પિયરજનો સાથે રહે છે. મહિલાના લગ્ન વર્ષ 2020ના જાન્યુઆરી મહિનામાં બીજી વખત પ્રદીપ જીવણલાલ પરમાર સાથે થયા હતા. લગ્ન બાદ આ મહિલા સાસરે બનાસકાંઠા રહેવા ગઈ હતી. થોડા દિવસ ત્યાં રોકાયા બાદ તે ચાંદખેડા રહેવા આવી ગઈ હતી. લગ્નના બે માસ બાદ મહિલાની સાસુને ફ્રેક્ચર થતા તેના સાસરિયાઓ તેને તેડી ગયા હતા. મહિલાની નણંદ નણદોઈ મહિલાની સાસુની ખબર કાઢવા આવ્યા હતા. ત્યારે ઘરકામ બાબતે તેની સાથે તકરાર કરી હતી. અને મહિલાની નણંદે તેને "તને તો કામ કરવા લાવ્યા છીએ, નહિ કરે તો છૂટાછેડા આપી દઈશું" કહીને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.
આ બાબતે મહિલાએ તેના પતિને વાત કરતા તેના પતિએ પણ પોત પ્રકાશ્યું હતું અને તેના પરિવારજનોનો પક્ષ લઈને પત્નીને કહ્યું કે "ઘરવાળા કહે તેમ જ કરવાનું નહિ કરે તો પહેલી પત્નીને બાળકો સાથે છૂટાછેડા આપી દીધા તેમ તને પણ આપી દઈશ". જ્યારે મહિલાના ભાઈના પુત્રનું અવસાન થયું ત્યારે એક દિવસ પિયર મોકલી પતિ સાસરે લઈ આવ્યો હતો. બાદમાં લૉકડાઉન આવતા મહિલાની નણંદે મહિલા વિરુદ્ધ ચઢામણી કરી હતી. જમવાનું બનાવવા બાબતે આ મહિલાના સાસરિયાઓએ બોલાચાલી કરી હતી. દરમિયાન પોલીસ નોકરીમાંથી રિટાયર્ડ થયેલા સસરાએ તેને બાથરૂમ પણ જવા દીધી ન હતી અને માર મારતા હતા. બાદમાં લૉકડાઉન પૂર્ણ થતાં મહિલાને તેનો પતિ પિયરમાં મૂકી આવ્યો હતો.
મહિલાને પિયરમાં મૂકી આવ્યો બાદ તેડી ન જતા મહીલાએ પતિને તેડી જવા કહેતા તેને ઘરે વાત કરીને જણાવવાનું કહી ફોન બંધ કરી દીધો હતો. જેથી આ મહિલા તેના માતા પિતા સાથે સાસરે ગઈ ત્યારે તેના સસરા કે જે પોલીસ ખાતામાંથી રિટાયર્ડ થયા હતા તેમણે મહિલાને "મેં પોલીસ ખાતામાં નોકરી કરી છે જેથી તમે મારુ કંઈ બગાડી શકવાના નથી" કહીને ધમકી આપી હતી.
આખરે સાસરિયાઓના ત્રાસથી કંટાળેલી મહિલાએ સમગ્ર મામલે કંટાળી સાસરિયાઓ સામે પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પતિ પ્રદીપ જીવણલાલ પરમાર, સસરા જીવણલાલ દેવજી પરમાર, સાસુ ભીખીબેન જીવણલાલ પરમાર, દિયર હિમાંશુ જીવણલાલ પરમાર, નણંદ નયનાબેન વસંતકુમાર ચૌહાણ, નણંદના પતિ વસંતકુમાર લાલજી ચૌહાણ, નણંદ કલ્પનાબેન મુકેશ પરમાર અને નણંદના પતિ મુકેશ ગણેશ પરમાર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.