લુંટારાઓએ વૃદ્ધના આંખમાં મરચાંની ભૂકી નાંખી સેલો ટેપથી બાંધીને ટીવી, મોબાઈલ અને દાગીનાની લૂંટ ચલાવી
ત્રણેય લુંટારાઓએ વૃદ્ધને નીચે પાડી દઈને મોઢા પર અને શરીર પર ફેંટો અને લાતો મારવાનું શરૂ કરી રસોડામાં રહેલા ટેબલ સાથે સેલો ટેપથી બાંધ્યા
પીડિત વૃદ્ધ હાલ નિવૃત્ત જીવન ગુજારે છે, છેલ્લા આઠ વર્ષથી અમદાવાદના ઘરમાં રહે છે.
વૃદ્ધના પત્ની હાલ અમેરિકા ખાતે રહે છે, વૃદ્ધ ભારત અને અમેરિકા બંને દેશની નાગરિકતા ધરાવે છે.
WatchGujarat અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં રહેતા NRI સિનિયર સિટીઝનના ઘરમાં લૂંટ ચલાવવામાં આવી હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. જેમાં અડધી રાત્રે વૃદ્ધના ઘરના દરવાજાનો બેલ વાગ્યો હતો. સામેથી અવાજ આવ્યો કે, જેક અંકલ દરવાજો ખોલો. સિનિયર સિટીઝને કંઈ જ વિચાર્યા વગર દરવાજો ખોલતા જ ત્રણ લૂંટારુ તેમની આંખમાં મરચાંની ભૂકી નાંખી ઘરમાં પ્રવેશી ગયા હતા અને વૃદ્ધને સેલો ટેપથી બાંધીને ટીવી, મોબાઈલ અને દાગીનાની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા.
શહેરના બહેરામપુરા વિસ્તારમાં આવેલ આણાંદજી કલ્યાણજી જૈન બ્લોકમાં 70 વર્ષીય NRI નરેન રતિલાલ શાહ રહે છે. હાલ તેઓ નિવૃત્ત જીવન ગુજારે છે અને છેલ્લા આઠ વર્ષથી અહીં અમદવાદના ઘરે રહે છે. તેમના પત્ની કેરોલ હાલ અમેરિકા ખાતના ન્યુયોર્કમાં રહે છે. નરેન ભારત અને અમેરિકા બંને દેશની નાગરિકતા ધરાવે છે. તેમને કોઈ સંતાન ન હોવાનું જાણવા મળ્યું છે. ગત મોડીરાત્રે તેઓ ઘરે હાજર હતાં. ત્યારે રાત્રિના પોણા બે વાગ્યા સુધી તેઓ જાગતા હતા. બાદમાં તેઓ ઘરનો દરવાજો બંધ કરીને ઊંઘી ગયા હતા.
દરમિયાન રાત્રે ત્રણેક વાગ્યાની આસપાસ બેલ વાગ્યો અને કોઇએ બૂમ પાડી કે જેક અંકલ દરવાજો ખોલો. જેથી વૃદ્ધે કંઈ વિચાર્યા વગર સીધો દરવાજો ખોલતા ત્રણ અજાણ્યા છોકરાઓ સામે ઉભેલા દેખાયા હતા. લૂંટારૂના વેસમા આવેલા ત્રેણય અજાણ્યા છોકરોઓએ વૃદ્ધની આંખમાં મરચાની ભૂકી નાંખીને ઘરમાં ઘૂસી ગયા હતા. ત્યારબાદ ત્રણેયએ વૃદ્ધને નીચે પાડી દઈને પકડીને મોઢા પર અને શરીર પર ફેંટો અને લાતો મારવાનું શરૂ કર્યું હતું . દરમિયાન વૃદ્ધએ બૂમાબૂમ કરવાનો પ્રયાસ કરતા તેમના મોઢા પર સેલોટેપ મારી દીધી હતી. આ ઉપરાંત તેઓના હાથ રસોડાના ટેબલ સાથે સેલોટેપથી બાંધી ઘરમાં બંધક બનાવ્યા હતા.
બાદમાં લૂંટારુઓએ ઘરનો સામાન અસ્તવ્યસ્ત કરી ઘરમાંથી ટીવી, મોબાઈલ અને વૃદ્ધના સોના ચાંદીની વીંટીઓની લૂંટ ચલાવીને ઘરનો દરવાજો ખુલ્લો મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. વૃદ્ધે જેમ તેમ કરીને પોતાના હાથ તથા મોઢા પર બાંધેલી સેલો ટેપ ખોલીને ઘરના દરવાજા સુધી પહોંચ્યા હતા. દરમિયાન તેઓએ જોયું કે લૂંટારુઓએ તેમના ઘરની સામે આવેલા ઘરનો દરવાજો પણ બહારથી બંધ કરી દીધો હતો. જેથી તેઓએ બહારથી હેન્ડલ ખોલીને દરવાજો ખખડાવતા સામેના મકાનમાં રહેતા જૈમીન શાહ બહાર આવ્યા હતા.
NRI વૃદ્ધે પોતાની સાથે બનેલા કથિત બનાવ અંગે પડોશમાં રહેતા જૈમિન શાહને વાત કરી હતી. જે બાદમાં આસપાસના લોકોને જગાડવામાં આવ્યા હતા અને વૃદ્ધે ઘરમાં જઇ તપાસ કરતા ટીવી, મોબાઈલ અને સોના ચાંદીની વીંટીઓ મળી કુલ રૂ,26,400ની મતાની લૂંટ થઇ હોવાનું જણાય આવ્યું હતું. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર આવી પહોંચી હતી. પોલીસે આ સમગ્ર મામલે NRI વૃદ્ધના જણાવ્યા અનુસાર કાગડાપીઠ પોલીસે ત્રણ અજાણ્યા લૂંટારાઓ વિરૃદ્ધ લૂંટની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી લુંટારાઓને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
ત્રણેય લુંટારાઓએ વૃદ્ધને નીચે પાડી દઈને મોઢા પર અને શરીર પર ફેંટો અને લાતો મારવાનું શરૂ કરી રસોડામાં રહેલા ટેબલ સાથે સેલો ટેપથી બાંધ્યા
પીડિત વૃદ્ધ હાલ નિવૃત્ત જીવન ગુજારે છે, છેલ્લા આઠ વર્ષથી અમદાવાદના ઘરમાં રહે છે.
વૃદ્ધના પત્ની હાલ અમેરિકા ખાતે રહે છે, વૃદ્ધ ભારત અને અમેરિકા બંને દેશની નાગરિકતા ધરાવે છે.
WatchGujarat અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં રહેતા NRI સિનિયર સિટીઝનના ઘરમાં લૂંટ ચલાવવામાં આવી હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. જેમાં અડધી રાત્રે વૃદ્ધના ઘરના દરવાજાનો બેલ વાગ્યો હતો. સામેથી અવાજ આવ્યો કે, જેક અંકલ દરવાજો ખોલો. સિનિયર સિટીઝને કંઈ જ વિચાર્યા વગર દરવાજો ખોલતા જ ત્રણ લૂંટારુ તેમની આંખમાં મરચાંની ભૂકી નાંખી ઘરમાં પ્રવેશી ગયા હતા અને વૃદ્ધને સેલો ટેપથી બાંધીને ટીવી, મોબાઈલ અને દાગીનાની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા.
શહેરના બહેરામપુરા વિસ્તારમાં આવેલ આણાંદજી કલ્યાણજી જૈન બ્લોકમાં 70 વર્ષીય NRI નરેન રતિલાલ શાહ રહે છે. હાલ તેઓ નિવૃત્ત જીવન ગુજારે છે અને છેલ્લા આઠ વર્ષથી અહીં અમદવાદના ઘરે રહે છે. તેમના પત્ની કેરોલ હાલ અમેરિકા ખાતના ન્યુયોર્કમાં રહે છે. નરેન ભારત અને અમેરિકા બંને દેશની નાગરિકતા ધરાવે છે. તેમને કોઈ સંતાન ન હોવાનું જાણવા મળ્યું છે. ગત મોડીરાત્રે તેઓ ઘરે હાજર હતાં. ત્યારે રાત્રિના પોણા બે વાગ્યા સુધી તેઓ જાગતા હતા. બાદમાં તેઓ ઘરનો દરવાજો બંધ કરીને ઊંઘી ગયા હતા.
દરમિયાન રાત્રે ત્રણેક વાગ્યાની આસપાસ બેલ વાગ્યો અને કોઇએ બૂમ પાડી કે જેક અંકલ દરવાજો ખોલો. જેથી વૃદ્ધે કંઈ વિચાર્યા વગર સીધો દરવાજો ખોલતા ત્રણ અજાણ્યા છોકરાઓ સામે ઉભેલા દેખાયા હતા. લૂંટારૂના વેસમા આવેલા ત્રેણય અજાણ્યા છોકરોઓએ વૃદ્ધની આંખમાં મરચાની ભૂકી નાંખીને ઘરમાં ઘૂસી ગયા હતા. ત્યારબાદ ત્રણેયએ વૃદ્ધને નીચે પાડી દઈને પકડીને મોઢા પર અને શરીર પર ફેંટો અને લાતો મારવાનું શરૂ કર્યું હતું . દરમિયાન વૃદ્ધએ બૂમાબૂમ કરવાનો પ્રયાસ કરતા તેમના મોઢા પર સેલોટેપ મારી દીધી હતી. આ ઉપરાંત તેઓના હાથ રસોડાના ટેબલ સાથે સેલોટેપથી બાંધી ઘરમાં બંધક બનાવ્યા હતા.
બાદમાં લૂંટારુઓએ ઘરનો સામાન અસ્તવ્યસ્ત કરી ઘરમાંથી ટીવી, મોબાઈલ અને વૃદ્ધના સોના ચાંદીની વીંટીઓની લૂંટ ચલાવીને ઘરનો દરવાજો ખુલ્લો મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. વૃદ્ધે જેમ તેમ કરીને પોતાના હાથ તથા મોઢા પર બાંધેલી સેલો ટેપ ખોલીને ઘરના દરવાજા સુધી પહોંચ્યા હતા. દરમિયાન તેઓએ જોયું કે લૂંટારુઓએ તેમના ઘરની સામે આવેલા ઘરનો દરવાજો પણ બહારથી બંધ કરી દીધો હતો. જેથી તેઓએ બહારથી હેન્ડલ ખોલીને દરવાજો ખખડાવતા સામેના મકાનમાં રહેતા જૈમીન શાહ બહાર આવ્યા હતા.
NRI વૃદ્ધે પોતાની સાથે બનેલા કથિત બનાવ અંગે પડોશમાં રહેતા જૈમિન શાહને વાત કરી હતી. જે બાદમાં આસપાસના લોકોને જગાડવામાં આવ્યા હતા અને વૃદ્ધે ઘરમાં જઇ તપાસ કરતા ટીવી, મોબાઈલ અને સોના ચાંદીની વીંટીઓ મળી કુલ રૂ,26,400ની મતાની લૂંટ થઇ હોવાનું જણાય આવ્યું હતું. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર આવી પહોંચી હતી. પોલીસે આ સમગ્ર મામલે NRI વૃદ્ધના જણાવ્યા અનુસાર કાગડાપીઠ પોલીસે ત્રણ અજાણ્યા લૂંટારાઓ વિરૃદ્ધ લૂંટની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી લુંટારાઓને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.