એક તરફ કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે
આગામી મહિનાથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા યોજાવાની છે
WatchGujarat. એક તરફ કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે અને તેમાં આગામી મહિનાથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા યોજાવાની છે. ત્યારે આવા કપરા સમયમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને તેઓને અભ્યાસ કરાવતા શિક્ષકો શું વિચારી રહ્યા છે. પરીક્ષા લેવાવી જોઈએ કે નહીં અને ક્યારે પરીક્ષા લેવાવી જોઈએ. તે અંગે વાલીઓમાં અને વિદ્યાર્થીઓમાં એક મોટી મુંઝવણ તરીકે પગપેસારો કરી ગયો છે.
છેલ્લા એક વર્ષથી કોરોનાનો પગપેસારો થયો છે. ત્યારથી સૌથી વધારે અસર જે સેક્ટર પર પડી હોય તો તે શિક્ષણ છે. છેલ્લા એક વર્ષથી વધુના સમય ગાળામાં મોટાભાગે વિદ્યાર્થીઓ ઓનલાઇન શિક્ષણ જ લીધું છે. જેથી વિદ્યાર્થીઓને યોગ્ય રીતે અભ્યાસ થયો નથી. તેવામાં CBSE બોર્ડ અને ગુજરાત બોર્ડ દ્વારા આગામી મે માસથી એકઝામ લેવાની તારીખો એક મહિના અગાઉ જાહેર કરી દીધી હતી. આગામી 4 મેથી CBSE અને 10 મેથી ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ શરુ થઈ રહી છે.
બીજી તરફ હાલના કોરોનાના કેસને જોતા મે મહિનામાં કોરોનાના કેસ વધારે હશે તેવો મત નિષ્ણાતો આપી રહ્યા છે. ત્યારે આ પરીક્ષા એક મહીનો પાછી જવી જોઈએ તેવું શિક્ષકો અને વાલીઓ માની રહ્યા છે. ધોરણ 12ના શિક્ષકોના મતે પરીક્ષા લેવાવી જોઈએ અને તે વિદ્યાર્થીઓના હિતમાં છે. શહેરમાં સેન્ટર વધારીને તેમજ સોશિયલ ડિસ્ટન્સનો અંતર વધારીને પણ પરીક્ષા લેવાવી જોઈએ. પરંતુ કોરોનાનું સંક્રમણ વધારે હોય તો આ પરીક્ષાની તારીખો પાછી ઠેલવી જોઈએ. કારણ કે વાલીઓ અને ખાસ કરીને વિદ્યાર્થીઓના માનસ પર અસર થઈ રહી છે.
વિદ્યાર્થીઓ સતત પૂછપરછ કરી રહ્યા છે કે પરીક્ષા લેવાશે કે નહીં. અને પરીક્ષા લેવાશે તો ઓનલાઇન કે ઓફલાઇન લેવાશે તે પણ પૂછી રહ્યા છે. તો વાલીઓ અને વિદ્યાર્થીઓનું કહેવું છે કે કોરોનાના કારણે ડર લાગી રહ્યો છે. એક કે બે પરીક્ષા આપી દીધા બાદ કોરોનાનું સંક્રમણ થયું તો શું કરવાનું વિચાર આવી રહ્યા છે. મહત્વનું છે કે બોર્ડની પરીક્ષાઓની તારીખો નજીક આવી રહી છે તેવામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે જ નહી શિક્ષણ વિભાગ માટે પણ ચિંતાનો વિષય બની ગયો છે.
એક તરફ કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે
આગામી મહિનાથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા યોજાવાની છે
WatchGujarat. એક તરફ કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે અને તેમાં આગામી મહિનાથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા યોજાવાની છે. ત્યારે આવા કપરા સમયમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને તેઓને અભ્યાસ કરાવતા શિક્ષકો શું વિચારી રહ્યા છે. પરીક્ષા લેવાવી જોઈએ કે નહીં અને ક્યારે પરીક્ષા લેવાવી જોઈએ. તે અંગે વાલીઓમાં અને વિદ્યાર્થીઓમાં એક મોટી મુંઝવણ તરીકે પગપેસારો કરી ગયો છે.
છેલ્લા એક વર્ષથી કોરોનાનો પગપેસારો થયો છે. ત્યારથી સૌથી વધારે અસર જે સેક્ટર પર પડી હોય તો તે શિક્ષણ છે. છેલ્લા એક વર્ષથી વધુના સમય ગાળામાં મોટાભાગે વિદ્યાર્થીઓ ઓનલાઇન શિક્ષણ જ લીધું છે. જેથી વિદ્યાર્થીઓને યોગ્ય રીતે અભ્યાસ થયો નથી. તેવામાં CBSE બોર્ડ અને ગુજરાત બોર્ડ દ્વારા આગામી મે માસથી એકઝામ લેવાની તારીખો એક મહિના અગાઉ જાહેર કરી દીધી હતી. આગામી 4 મેથી CBSE અને 10 મેથી ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ શરુ થઈ રહી છે.
બીજી તરફ હાલના કોરોનાના કેસને જોતા મે મહિનામાં કોરોનાના કેસ વધારે હશે તેવો મત નિષ્ણાતો આપી રહ્યા છે. ત્યારે આ પરીક્ષા એક મહીનો પાછી જવી જોઈએ તેવું શિક્ષકો અને વાલીઓ માની રહ્યા છે. ધોરણ 12ના શિક્ષકોના મતે પરીક્ષા લેવાવી જોઈએ અને તે વિદ્યાર્થીઓના હિતમાં છે. શહેરમાં સેન્ટર વધારીને તેમજ સોશિયલ ડિસ્ટન્સનો અંતર વધારીને પણ પરીક્ષા લેવાવી જોઈએ. પરંતુ કોરોનાનું સંક્રમણ વધારે હોય તો આ પરીક્ષાની તારીખો પાછી ઠેલવી જોઈએ. કારણ કે વાલીઓ અને ખાસ કરીને વિદ્યાર્થીઓના માનસ પર અસર થઈ રહી છે.
વિદ્યાર્થીઓ સતત પૂછપરછ કરી રહ્યા છે કે પરીક્ષા લેવાશે કે નહીં. અને પરીક્ષા લેવાશે તો ઓનલાઇન કે ઓફલાઇન લેવાશે તે પણ પૂછી રહ્યા છે. તો વાલીઓ અને વિદ્યાર્થીઓનું કહેવું છે કે કોરોનાના કારણે ડર લાગી રહ્યો છે. એક કે બે પરીક્ષા આપી દીધા બાદ કોરોનાનું સંક્રમણ થયું તો શું કરવાનું વિચાર આવી રહ્યા છે. મહત્વનું છે કે બોર્ડની પરીક્ષાઓની તારીખો નજીક આવી રહી છે તેવામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે જ નહી શિક્ષણ વિભાગ માટે પણ ચિંતાનો વિષય બની ગયો છે.