રાજ્યના અમદાવાદ સહિત અનેક મોટા શહેરોમાં રખડતા પશુઓની સમસ્યા દિવસે ને દિવસે વધી રહી છે
સાણંદ વિસ્તારમાં 22 હજાર ચોરસ મીટર જગ્યા ફાળવવા મહાનગર પાલિકા દ્વારા કલેક્ટર સમક્ષ માંગણી કરાઈ રહી છે
અમદાવાદ શહેરની બહાર એનીમલ હોસ્ટેલ બનાવવા ત્રણ વર્ષથી તંત્ર વચ્ચે ટલ્લે ચઢતી દરખાસ્ત
એનીમલ હોસ્ટેલ બનાવતા શહેરમાંથી રખડતા પશુઓની સમસ્યાનો કાયમી નિકાલ આવી શકશે- અમદાવાદ મનપા
WatchGujarat. વડોદરા અને અમદાવાદ સહિત રાજ્યભરમાં રસ્તે રખડતાં પશુઓના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્ર દ્વારા રખડતાં ઢોરને પકડવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે. પરંતુ આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવો પણ ખૂબ જરૂરી છે. જે માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી રહી છે. પરંતુ આ દરખાસ્ત અભરાઈએ ચઢાવી હોય તેમ લાગી રહ્યું છે.
શહેરમાં રસ્તા ઉપર રખડતા પશુઓને પકડવા માટે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ આ કામગીરીની વચ્ચે શહેરમાંથી રખડતા પશુઓની સમસ્યાના કાયમી નિકાલ માટે અમદાવાદ બહાર સાણંદ વિસ્તારમાં એનીમલ હોસ્ટેલ બનાવવા મહાનગરપાલિકા દ્વારા કલેકટર પાસે ૨૨ હજાર ચોરસ મીટર જગ્યાની દરખાસ્ત કરવામાં આવી હતી. પરંતુ આ દરખાસ્ત સરકારી તંત્ર વચ્ચે ત્રણ વર્ષથી ટલ્લે ચઢી રહી છે. મળતી વિગતો અનુસાર અમદાવાદ મનપના વિસ્તારમાં નવા સમાવવામાં આવેલા વિસ્તારો સાથે હાલમાં અંદાજે ૭૦ હજાર જેટલુ પશુધન છે. પૂર્વ મ્યુનિસિપલ કમિશનરે શહેર બહાર એનીમલ હોસ્ટેલ બનાવી એમાં રખડતા પશુઓને રાખવા દરખાસ્ત કરી હતી. જેમાં ૨૪ ઓકટોબર-૨૦૧૮ના રોજ દરખાસ્ત મંજુર કરી સાણંદ વિસ્તારમાં ૨૨ હજાર ચોરસ મીટર જગ્યા એનીમલ હોસ્ટેલ માટે ફાળવી આપવા અમદાવાદ કલેકટરને વિનંતી પત્ર મોકલવામાં આવી હતી. એટલું જ નહીં ૨ જુલાઈ-૨૦૧૯ના રોજ આ મામલે એક રીમાઈન્ડર મનપા તંત્રએ કલેકટરને મોકલ્યુ હતું. નોંધનીય છે કે ૨૭ જુલાઈ-૨૦૨૧ના રોજ પણ કલેકટર દ્વારા આ દરખાસ્ત દફતરે કરતા ૧૪ સપ્ટેમ્બરે અમદાવાદ મનપાએ ફરી એક વખત જગ્યા ફાળવવા દરખાસ્ત મોકલી છે.
સતત ત્રણ વર્ષ સુધી દરખાસ્ત કરી હોવા છતાં આ મામલે હજી કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. નવરંગપુરા વોર્ડમાં ટ્રાફિકની ગીચતા ધરાવતા વિસ્તારને નો કેટલ ઝોન જાહેર કરવા મ્યુનિ.તરફથી ૧૪ સપ્ટેમ્બરે સંયુકત પોલીસ કમિશનર ટ્રાફિકને લેખિત રજુઆત કરવામાં આવી છે. જોકે અમદાવાદ મહાનગરપાલિકા પાસે હાલ ૩૫૦૦થી વધુ પશુધન રાખવાની સુવિધા છે. જેમાં દાણીલીમડા ખાતે ૧૫૦૦ અને બાકરોલ ખાતે ૨૫૦૦ પશુઓ રાખવામાં આવે છે. જોકે જાણવા મળી રહ્યું છે કે આગામી સમયમાં ૮૫ લાખના ખર્ચે દાણીલીમડા કેટલ પોઈન્ટનું નવીનીકરણ કરવામાં આવશે. પરંતુ રખડતાં પશુઓની સમસ્યાનો કાયમી નિકાલ આવવો જરૂરી છે. તંત્ર દ્વારા આ રખડતાં પશુઓને પકડવાની કામગીરી ગોકળગતીએ ચાલી રહી છે. જેના વચ્ચે સામાન્ય નાગરિકને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
- રાજ્યના અમદાવાદ સહિત અનેક મોટા શહેરોમાં રખડતા પશુઓની સમસ્યા દિવસે ને દિવસે વધી રહી છે
- સાણંદ વિસ્તારમાં 22 હજાર ચોરસ મીટર જગ્યા ફાળવવા મહાનગર પાલિકા દ્વારા કલેક્ટર સમક્ષ માંગણી કરાઈ રહી છે
- અમદાવાદ શહેરની બહાર એનીમલ હોસ્ટેલ બનાવવા ત્રણ વર્ષથી તંત્ર વચ્ચે ટલ્લે ચઢતી દરખાસ્ત
- એનીમલ હોસ્ટેલ બનાવતા શહેરમાંથી રખડતા પશુઓની સમસ્યાનો કાયમી નિકાલ આવી શકશે- અમદાવાદ મનપા
WatchGujarat. વડોદરા અને અમદાવાદ સહિત રાજ્યભરમાં રસ્તે રખડતાં પશુઓના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્ર દ્વારા રખડતાં ઢોરને પકડવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે. પરંતુ આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવો પણ ખૂબ જરૂરી છે. જે માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી રહી છે. પરંતુ આ દરખાસ્ત અભરાઈએ ચઢાવી હોય તેમ લાગી રહ્યું છે.
શહેરમાં રસ્તા ઉપર રખડતા પશુઓને પકડવા માટે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ આ કામગીરીની વચ્ચે શહેરમાંથી રખડતા પશુઓની સમસ્યાના કાયમી નિકાલ માટે અમદાવાદ બહાર સાણંદ વિસ્તારમાં એનીમલ હોસ્ટેલ બનાવવા મહાનગરપાલિકા દ્વારા કલેકટર પાસે ૨૨ હજાર ચોરસ મીટર જગ્યાની દરખાસ્ત કરવામાં આવી હતી. પરંતુ આ દરખાસ્ત સરકારી તંત્ર વચ્ચે ત્રણ વર્ષથી ટલ્લે ચઢી રહી છે. મળતી વિગતો અનુસાર અમદાવાદ મનપના વિસ્તારમાં નવા સમાવવામાં આવેલા વિસ્તારો સાથે હાલમાં અંદાજે ૭૦ હજાર જેટલુ પશુધન છે. પૂર્વ મ્યુનિસિપલ કમિશનરે શહેર બહાર એનીમલ હોસ્ટેલ બનાવી એમાં રખડતા પશુઓને રાખવા દરખાસ્ત કરી હતી. જેમાં ૨૪ ઓકટોબર-૨૦૧૮ના રોજ દરખાસ્ત મંજુર કરી સાણંદ વિસ્તારમાં ૨૨ હજાર ચોરસ મીટર જગ્યા એનીમલ હોસ્ટેલ માટે ફાળવી આપવા અમદાવાદ કલેકટરને વિનંતી પત્ર મોકલવામાં આવી હતી. એટલું જ નહીં ૨ જુલાઈ-૨૦૧૯ના રોજ આ મામલે એક રીમાઈન્ડર મનપા તંત્રએ કલેકટરને મોકલ્યુ હતું. નોંધનીય છે કે ૨૭ જુલાઈ-૨૦૨૧ના રોજ પણ કલેકટર દ્વારા આ દરખાસ્ત દફતરે કરતા ૧૪ સપ્ટેમ્બરે અમદાવાદ મનપાએ ફરી એક વખત જગ્યા ફાળવવા દરખાસ્ત મોકલી છે.
સતત ત્રણ વર્ષ સુધી દરખાસ્ત કરી હોવા છતાં આ મામલે હજી કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. નવરંગપુરા વોર્ડમાં ટ્રાફિકની ગીચતા ધરાવતા વિસ્તારને નો કેટલ ઝોન જાહેર કરવા મ્યુનિ.તરફથી ૧૪ સપ્ટેમ્બરે સંયુકત પોલીસ કમિશનર ટ્રાફિકને લેખિત રજુઆત કરવામાં આવી છે. જોકે અમદાવાદ મહાનગરપાલિકા પાસે હાલ ૩૫૦૦થી વધુ પશુધન રાખવાની સુવિધા છે. જેમાં દાણીલીમડા ખાતે ૧૫૦૦ અને બાકરોલ ખાતે ૨૫૦૦ પશુઓ રાખવામાં આવે છે. જોકે જાણવા મળી રહ્યું છે કે આગામી સમયમાં ૮૫ લાખના ખર્ચે દાણીલીમડા કેટલ પોઈન્ટનું નવીનીકરણ કરવામાં આવશે. પરંતુ રખડતાં પશુઓની સમસ્યાનો કાયમી નિકાલ આવવો જરૂરી છે. તંત્ર દ્વારા આ રખડતાં પશુઓને પકડવાની કામગીરી ગોકળગતીએ ચાલી રહી છે. જેના વચ્ચે સામાન્ય નાગરિકને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.