BJP ના ચૂંટણી પ્રચારના બેનર પર જ પોસ્ટરો લગાવી વિરોધ નોંધાવ્યો
અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં મતદાન પહેલાં જ પોસ્ટરો લાગતાં BJPમાં ચિંતાનો પગપેસારો
LRD અને તલાટી સહિતની ભરતીના ઉમેદવારો રોષે ભરાયા
પોસ્ટરો લાગતાં BJP માં ચિંતાનો વધારો, ભાજપમાં પેનલો તૂટવાનો ભય
WatchGujarat રાજ્યમાં મહાનગરપાલિકાની અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. રાજ્યમાં રવિવારના રોજ 6 મહાનગર પાલિકાઓની ચૂંટણી યોજાશે. ત્યારે તમામ રાજકિય પક્ષો સહિત અન્ય પક્ષોએ ચૂંટણીમાં જીત મેળવવા માટે એડીચોડીનું જોર લગાવીને પ્રચાર કર્યો છે. આજે પ્રચારના છેલ્લો દિવસ હોવાથી સાંજે 5 વાગ્યા બાદ ચટણીનો પડધમ શાંત થઈ જશે.
રવિવારે યોજાનાર મતદાન પહેલાં જ BJP માં વધુ એક ચિંતાનો પગપેસારો થયો છે. સરકારી નોકરી માટેની ભરતીની રાહ જોઈને બેઠેલા ઉમેદવારોનો રોષ ફાટી નીકળ્યો છે. રોષે ભરાયેલા લોકોએ શહેરમાં વિવિધ જગ્યાએ પોસ્ટરો લગાવી વિરોધ નોંધાવ્યો છે. પોસ્ટરમાં ભરતી નહીં તો મત નહીં, ખોટી રીતે કરવામાં આવેલા કેસો પરત ખેંચવામાં આવે તેવા પોસ્ટરો લગાવવામાં આવ્યા છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં મતદાન પહેલાં જ પોસ્ટરો લાગતાં ભાજપમાં વધુ એક ભય ફેલાયો છે. LRD અને તલાટી સહિતની ભરતીના ઉમેદવારો રોષે ભરાયા છે. BJP એ મતદાન પહેલાં જ ઉમેદવારોના રોષનો ભોગ બનવું પડ્યું છે. શહેરમાં ભાજપના કાર્યલય પાસે જ પોસ્ટરો લગાવવામાં આવ્યાં છે. જેમાં લખવામાં આવ્યું છે કે ભરતી નહીં તો વોટ નહીં. તે ઉપરાંત LRD, SRPF અને GPSCના ઉમેદવારો પર ખોટી રીતે કરવામાં આવેલા કેસો પરત ખેંચવામાં આવે. આ પ્રકારની માંગ શહેરમાં લાગેલા પોસ્ટરોમાં કરવામાં આવી છે.
BJP હાઈકમાન્ડે સિનિયરોની ટિકિટ કાપીને માત્ર 38 જેટલા કોર્પોરેટરોને રિપીટ કર્યા છે. જેથી પક્ષના સિનિયર નેતાઓ પોતાની પ્રાંસગિકતા યથાવત રાખવા માટે પેનલો તોડી શકે છે. ભાજપે શહેરમાં ત્રણ ટર્મ કે તેથી વધુ જીતેલા, 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતાં અને નેતાપુત્રોને ટિકિટ આપવાની ચોખ્ખી ના પાડી હતી અને AMCમાં 142 પૈકી 100 થી વધુ સિનિયરોની ટિકિટ કાપી નાંખી હતી.
બીજી તરફ 38 જેટલા કોર્પોરેટરોને રિપીટ કર્યા હતા. જેના કારણે અંદરખાને કેટલાંક સિનિયરો નારાજ છે. અમદાવાદ શહેરના નવાવાડજ અને સ્ટેડિયમ વોર્ડમાં ભાજપના સ્થાનિક નેતાઓમાં જુથબંધી ચરમ ઉપર પહોંચી છે. અહીં, ભાજપને પેનલો તુટવાનો ડર સતાવી રહ્યાં છે. સ્ટેડિયમ વોર્ડની ભાજપની પેનલમાં એકપણ વણિક કે દલિતને ટિકિટ આપી નથી તેવો કાર્યકરોનો આરોપ છે. તો બીજી તરફ મતદાનના બે દિવસ પહેલા આ રીતે BJPના બેનરો ઉપર વિરોધના પોસ્ટર લગાવી BJPની ચિંતામાં વધારો દાખવ્યો છે. હવે જોવાનું એ રહ્યું કે શું, રોષે ભરાયેલા લોકોના આ પગલાંથી ચૂંટણીના રિઝલ્ટને અસર થશે. અને અસર થશે તો કેટલા મોટો પાયે થશે.
BJP ના ચૂંટણી પ્રચારના બેનર પર જ પોસ્ટરો લગાવી વિરોધ નોંધાવ્યો
અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં મતદાન પહેલાં જ પોસ્ટરો લાગતાં BJPમાં ચિંતાનો પગપેસારો
LRD અને તલાટી સહિતની ભરતીના ઉમેદવારો રોષે ભરાયા
પોસ્ટરો લાગતાં BJP માં ચિંતાનો વધારો, ભાજપમાં પેનલો તૂટવાનો ભય
WatchGujarat રાજ્યમાં મહાનગરપાલિકાની અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. રાજ્યમાં રવિવારના રોજ 6 મહાનગર પાલિકાઓની ચૂંટણી યોજાશે. ત્યારે તમામ રાજકિય પક્ષો સહિત અન્ય પક્ષોએ ચૂંટણીમાં જીત મેળવવા માટે એડીચોડીનું જોર લગાવીને પ્રચાર કર્યો છે. આજે પ્રચારના છેલ્લો દિવસ હોવાથી સાંજે 5 વાગ્યા બાદ ચટણીનો પડધમ શાંત થઈ જશે.
રવિવારે યોજાનાર મતદાન પહેલાં જ BJP માં વધુ એક ચિંતાનો પગપેસારો થયો છે. સરકારી નોકરી માટેની ભરતીની રાહ જોઈને બેઠેલા ઉમેદવારોનો રોષ ફાટી નીકળ્યો છે. રોષે ભરાયેલા લોકોએ શહેરમાં વિવિધ જગ્યાએ પોસ્ટરો લગાવી વિરોધ નોંધાવ્યો છે. પોસ્ટરમાં ભરતી નહીં તો મત નહીં, ખોટી રીતે કરવામાં આવેલા કેસો પરત ખેંચવામાં આવે તેવા પોસ્ટરો લગાવવામાં આવ્યા છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં મતદાન પહેલાં જ પોસ્ટરો લાગતાં ભાજપમાં વધુ એક ભય ફેલાયો છે. LRD અને તલાટી સહિતની ભરતીના ઉમેદવારો રોષે ભરાયા છે. BJP એ મતદાન પહેલાં જ ઉમેદવારોના રોષનો ભોગ બનવું પડ્યું છે. શહેરમાં ભાજપના કાર્યલય પાસે જ પોસ્ટરો લગાવવામાં આવ્યાં છે. જેમાં લખવામાં આવ્યું છે કે ભરતી નહીં તો વોટ નહીં. તે ઉપરાંત LRD, SRPF અને GPSCના ઉમેદવારો પર ખોટી રીતે કરવામાં આવેલા કેસો પરત ખેંચવામાં આવે. આ પ્રકારની માંગ શહેરમાં લાગેલા પોસ્ટરોમાં કરવામાં આવી છે.
BJP હાઈકમાન્ડે સિનિયરોની ટિકિટ કાપીને માત્ર 38 જેટલા કોર્પોરેટરોને રિપીટ કર્યા છે. જેથી પક્ષના સિનિયર નેતાઓ પોતાની પ્રાંસગિકતા યથાવત રાખવા માટે પેનલો તોડી શકે છે. ભાજપે શહેરમાં ત્રણ ટર્મ કે તેથી વધુ જીતેલા, 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતાં અને નેતાપુત્રોને ટિકિટ આપવાની ચોખ્ખી ના પાડી હતી અને AMCમાં 142 પૈકી 100 થી વધુ સિનિયરોની ટિકિટ કાપી નાંખી હતી.
બીજી તરફ 38 જેટલા કોર્પોરેટરોને રિપીટ કર્યા હતા. જેના કારણે અંદરખાને કેટલાંક સિનિયરો નારાજ છે. અમદાવાદ શહેરના નવાવાડજ અને સ્ટેડિયમ વોર્ડમાં ભાજપના સ્થાનિક નેતાઓમાં જુથબંધી ચરમ ઉપર પહોંચી છે. અહીં, ભાજપને પેનલો તુટવાનો ડર સતાવી રહ્યાં છે. સ્ટેડિયમ વોર્ડની ભાજપની પેનલમાં એકપણ વણિક કે દલિતને ટિકિટ આપી નથી તેવો કાર્યકરોનો આરોપ છે. તો બીજી તરફ મતદાનના બે દિવસ પહેલા આ રીતે BJPના બેનરો ઉપર વિરોધના પોસ્ટર લગાવી BJPની ચિંતામાં વધારો દાખવ્યો છે. હવે જોવાનું એ રહ્યું કે શું, રોષે ભરાયેલા લોકોના આ પગલાંથી ચૂંટણીના રિઝલ્ટને અસર થશે. અને અસર થશે તો કેટલા મોટો પાયે થશે.