વરસાદના કારણે અમદાવાદના મોટાભાગના બિસમાર હાલતમાં જોવા મળી રહ્યાં છે.
અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશનની બેદરકારીના પરિણામે આજે અકસ્માત સર્જાયો
ઉજાલા સર્કલથી વૈષ્ણોદેવી રૂટની એએમટીએસની બસ અચાનક ઊંડા ખાડામાં ખાબકી હતી.
અકસ્માતને પગલે લોકોની ચીચીયારીઓ સાંભળી આસપાસના લોકો મદદ માટે પહોંચી ગયા હતા.
અકસમાતના બનાવમાં ચાર મુસાફરોને ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા
અમદાવાદ. છેલ્લા ઘણા દિવસોથી શહેરમાં ભારે વરસી રહેલા ભારે વરસાદને કારણે મ્યુનિસીપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલી નબળી કામગીરીની પોલ ઉઘાળી પડીં છે. ત્યારે આજે સવારે ઉજાલા સર્કલથી વૈષ્ણોદેવી રૂટની બસ અચાનક પાણી ભરેલા ઊંડા ખાડામાં ખાબકતા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. બસમાં સવાર મુસાફરોની ચીચીયારીઓ સાંભળી આસપાસના લોકો તાત્કાલીક મદદ માટે પહોંચી ગયા હતા. અકસ્માતના આ બનાવમાં બસમાં સવાર ચાર મુસાફરોને અજા પહોંચતા તેઓને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા.
વૈષ્ણોદેવી સર્કલ AMTS બસ પાણી ભરેલા ખાડામાં ઉતરી જતા મુસાફરોના જીવ પડીકે બંધાયા હતા. બનાવના પગલે સ્થાનિકો અને ટ્રાફિક પોલીસના જવાનો બચાવ કામગીરી માટે પહોંચી ગયા હતા. બસમાં સવાર તમામ મુસાફરોને સલામત રીતે બસમાંથી બહાર કાઢી લેવામાં આવ્યાં હતા. 501 નંબર આ બસ ઉજાલા સર્કલથી વૈષ્ણોદેવી રૂટની હતી. જોકે પાણી ભરેલા ખાડામાં બસ ખાબકતા જેસીબી દ્વારા માટી હટાવી બસને ખાડામાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરાવમાં આવી હતી. જોકે ભારે જહેમત બાદ બસને ખાડામાં બહાર કાઢી લેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ શહેરના મેઘાણીનગર આશીર્વાદ હોસ્પિટલ પાસે વરસાદના કારણે રોડ બેસી જતા અનાજ ભેરલી ટ્રક પલટી ગઇ હતી. તથા થોડા દિવસો પહેલા મલાવ તળાવ પાસે પણ રોડની માટી બેસી જતા એક AMTS બસ ફસાઈ ગઈ હતી.
વરસાદના કારણે અમદાવાદના મોટાભાગના બિસમાર હાલતમાં જોવા મળી રહ્યાં છે.
અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશનની બેદરકારીના પરિણામે આજે અકસ્માત સર્જાયો
અકસ્માતને પગલે લોકોની ચીચીયારીઓ સાંભળી આસપાસના લોકો મદદ માટે પહોંચી ગયા હતા.
અકસમાતના બનાવમાં ચાર મુસાફરોને ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા
અમદાવાદ. છેલ્લા ઘણા દિવસોથી શહેરમાં ભારે વરસી રહેલા ભારે વરસાદને કારણે મ્યુનિસીપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલી નબળી કામગીરીની પોલ ઉઘાળી પડીં છે. ત્યારે આજે સવારે ઉજાલા સર્કલથી વૈષ્ણોદેવી રૂટની બસ અચાનક પાણી ભરેલા ઊંડા ખાડામાં ખાબકતા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. બસમાં સવાર મુસાફરોની ચીચીયારીઓ સાંભળી આસપાસના લોકો તાત્કાલીક મદદ માટે પહોંચી ગયા હતા. અકસ્માતના આ બનાવમાં બસમાં સવાર ચાર મુસાફરોને અજા પહોંચતા તેઓને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા.
વૈષ્ણોદેવી સર્કલ AMTS બસ પાણી ભરેલા ખાડામાં ઉતરી જતા મુસાફરોના જીવ પડીકે બંધાયા હતા. બનાવના પગલે સ્થાનિકો અને ટ્રાફિક પોલીસના જવાનો બચાવ કામગીરી માટે પહોંચી ગયા હતા. બસમાં સવાર તમામ મુસાફરોને સલામત રીતે બસમાંથી બહાર કાઢી લેવામાં આવ્યાં હતા. 501 નંબર આ બસ ઉજાલા સર્કલથી વૈષ્ણોદેવી રૂટની હતી. જોકે પાણી ભરેલા ખાડામાં બસ ખાબકતા જેસીબી દ્વારા માટી હટાવી બસને ખાડામાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરાવમાં આવી હતી. જોકે ભારે જહેમત બાદ બસને ખાડામાં બહાર કાઢી લેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ શહેરના મેઘાણીનગર આશીર્વાદ હોસ્પિટલ પાસે વરસાદના કારણે રોડ બેસી જતા અનાજ ભેરલી ટ્રક પલટી ગઇ હતી. તથા થોડા દિવસો પહેલા મલાવ તળાવ પાસે પણ રોડની માટી બેસી જતા એક AMTS બસ ફસાઈ ગઈ હતી.