WatchGujarat. અમદાવાદમાં આવેલા વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ એવા મોટેરામાં 24 ફેબ્રુઆરીએ રમાનારી ઇન્ડીયા-ઇંગ્લેન્ડની ટેસ્ટ મેચને લઈને તડામાર તૈયારીઓ ચાલુ છે. ત્યારે બંને ટીમના પ્લેયરો આજે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા છે. ટીમ ઈન્ડિયામાંથી કેપ્ટન વિરાટ કોહલી, રોહિત શર્મા, પત્ની નતાશા અને દીકરા અગત્સ્ય સાથે હાર્દિક પંડ્યા તથા ચેતેશ્વર પુજારા આવી પહોંચ્યા હતા. તેમની એક ઝલક જોવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
મોટેરા સ્ટેડીયમમાં 1,10,0000 પ્રેક્ષકોને બેસાડવાની ક્ષમતા છે, સ્ટેડિયમમાં 55,000 લોકોને પ્રવેશ આપવામાં આવશે. ખેલાડી અને પ્રેક્ષકો તથા VVIP મહેમાનોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સ્ટેડિયમમાં પોલીસ તરફથી પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. હાલ સ્ટેડિયમમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે તો સાથે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા પણ સ્ટેડિયમમાં ફૂટ પેટ્રોલિંગ સાથે ચેકિંગ કરવામાં આવ્યું હતું.
સ્ટેડિયમમાં ખાનગી ડ્રેસમાં પોલીસ ફરજ બજાવશે
મોટેરા ક્રિકેટ સ્ટેડિયમમાં 50 હજાર લોકો જ સ્ટેડિયમમાં બેસી મેચ જોઈ શકશે. નવનિર્મિત મોટેરા સ્ટેડિયમમાં મેચમાં સુરક્ષાને લઈ તૈયારી શરૂ કરી દેવાઈ છે. થ્રી લેયર સિક્યોરિટી ગોઠવવામાં આવશે. ગેટમાંથી પ્રવેશ વખતે મેટલ- ડિટેક્ટરથી ચેકિંગ કરવામાં આવશે. ટિકિટ ચેક કરતી વખતે પણ ચેક કરવામાં આવશે. સ્ટેડિયમમાં લોકોની વચ્ચે ખાનગી ડ્રેસમાં પોલીસ મૂકવામાં આવશે. મોબાઇલ અને પાકીટ સિવાય અન્ય કોઈ વસ્તુ સ્ટેડિયમમાં લાવવા પર મનાઈ ફરમાવવામાં આવશે.
ટીમ ઈન્ડિયા એક મહિનો અમદાવાદમાં ધામા નાખશે
BCCIએ કોરોના મહામારીને ધ્યાનમાં રાખતાં ઇંગ્લેન્ડ સામેની સિરીઝ માટે માત્ર ત્રણ સ્થળ જ રાખ્યાં છે. ચેન્નઈ ખાતે 17 ફેબ્રુઆરીએ બીજી ટેસ્ટ સમાપ્ત કર્યા પછી ટીમ 2 ટેસ્ટ અને 5 T-20 માટે અમદાવાદ આવશે. T-20 સિરીઝની અંતિમ મેચ 20 માર્ચે રમાશે, એટલે કે ઇન્ડિયન ટીમ 18 ફેબ્રુઆરીથી 20/21 માર્ચ સુધી અમદાવાદમાં જ બાયો-બબલમાં રોકાશે.
WatchGujarat. અમદાવાદમાં આવેલા વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ એવા મોટેરામાં 24 ફેબ્રુઆરીએ રમાનારી ઇન્ડીયા-ઇંગ્લેન્ડની ટેસ્ટ મેચને લઈને તડામાર તૈયારીઓ ચાલુ છે. ત્યારે બંને ટીમના પ્લેયરો આજે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા છે. ટીમ ઈન્ડિયામાંથી કેપ્ટન વિરાટ કોહલી, રોહિત શર્મા, પત્ની નતાશા અને દીકરા અગત્સ્ય સાથે હાર્દિક પંડ્યા તથા ચેતેશ્વર પુજારા આવી પહોંચ્યા હતા. તેમની એક ઝલક જોવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
મોટેરા સ્ટેડીયમમાં 1,10,0000 પ્રેક્ષકોને બેસાડવાની ક્ષમતા છે, સ્ટેડિયમમાં 55,000 લોકોને પ્રવેશ આપવામાં આવશે. ખેલાડી અને પ્રેક્ષકો તથા VVIP મહેમાનોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સ્ટેડિયમમાં પોલીસ તરફથી પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. હાલ સ્ટેડિયમમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે તો સાથે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા પણ સ્ટેડિયમમાં ફૂટ પેટ્રોલિંગ સાથે ચેકિંગ કરવામાં આવ્યું હતું.
સ્ટેડિયમમાં ખાનગી ડ્રેસમાં પોલીસ ફરજ બજાવશે
મોટેરા ક્રિકેટ સ્ટેડિયમમાં 50 હજાર લોકો જ સ્ટેડિયમમાં બેસી મેચ જોઈ શકશે. નવનિર્મિત મોટેરા સ્ટેડિયમમાં મેચમાં સુરક્ષાને લઈ તૈયારી શરૂ કરી દેવાઈ છે. થ્રી લેયર સિક્યોરિટી ગોઠવવામાં આવશે. ગેટમાંથી પ્રવેશ વખતે મેટલ- ડિટેક્ટરથી ચેકિંગ કરવામાં આવશે. ટિકિટ ચેક કરતી વખતે પણ ચેક કરવામાં આવશે. સ્ટેડિયમમાં લોકોની વચ્ચે ખાનગી ડ્રેસમાં પોલીસ મૂકવામાં આવશે. મોબાઇલ અને પાકીટ સિવાય અન્ય કોઈ વસ્તુ સ્ટેડિયમમાં લાવવા પર મનાઈ ફરમાવવામાં આવશે.
ટીમ ઈન્ડિયા એક મહિનો અમદાવાદમાં ધામા નાખશે
BCCIએ કોરોના મહામારીને ધ્યાનમાં રાખતાં ઇંગ્લેન્ડ સામેની સિરીઝ માટે માત્ર ત્રણ સ્થળ જ રાખ્યાં છે. ચેન્નઈ ખાતે 17 ફેબ્રુઆરીએ બીજી ટેસ્ટ સમાપ્ત કર્યા પછી ટીમ 2 ટેસ્ટ અને 5 T-20 માટે અમદાવાદ આવશે. T-20 સિરીઝની અંતિમ મેચ 20 માર્ચે રમાશે, એટલે કે ઇન્ડિયન ટીમ 18 ફેબ્રુઆરીથી 20/21 માર્ચ સુધી અમદાવાદમાં જ બાયો-બબલમાં રોકાશે.