WatchGujarat. ગુજરાતમાં કોરોનાના વધતા જતા સંક્રમણને લઈને, રાજ્ય સરકારે હોળી ધૂળેટી રંગથી રમવા સામે મનાઈ ફરમાવી છે. નાયબ મુખ્ય પ્રધાન નિતીન પટેલે આજે મિડીયા સાથે વાત કરતા જણાવ્યુ હતું કે, ધાર્મિક માન્યતા મુજબ હોળી પ્રગટાવવા દેવાશે. પરંતુ એક બીજા ઉપર રંગ નાખીને હોળી અને ધૂળેટીમાં રંગોત્સવ મનાવે છે તે નહી મનાવવા દેવાય. હોળી દહન માટે પણ મર્યાદીત લોકોને એકત્ર થવા દેવાશે.
નિતીન પટેલે ઉમેર્યું હતું જણાવ્યુ કે, સામાન્ય રીતે જે પ્રકારે દેખરેખ રખાય છે તે રીતે જ દેખરેખ રખાશે. કોરોનાને વધતો અટકાવવા માટે ગુજરાતમાં યુવા યુવતીઓ જાગૃત છે. તેથી તેઓ સરકારે જે કોઈ ગાઈડલાઈન બહાર પાડી છે તેને નિયમ અનુસરશે. તથા તેમણે આશા પ્રગટ કરી હતી કે, યુવાનો અને નાગરીકો સરકારના નિયમોનું પાલન કરશે.
નિતીન પટેલે એમ વધુમાં જણાવ્યુ હતું કે કે, ગઈકાલે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલ બેઠકમાં હોળી ઉજવવા માટે નિર્ણય કર્યા છે. આ નિર્ણય મુજબ ગુજરાતભરમાં લોકો ધાર્મિક માન્યતા, રીત રીવાજ મુજબ હોળી દહન કરીને પ્રગટાવેલી હોળીની પ્રદક્ષિણા ફરી શકશે પણ તેના માટે ભીડ એકઠી નહી કરી શકાય. એક બીજા ઉપર રંગ છાટીને હોળી ધૂળેટીનો તહેવાર નહી ઉજવી શકાય. આ અંગે વિધિવત્ત રીતે જાહેરનામુ હવે પછી બહાર પડાશે. ગયા વર્ષે પણ કોરોનાનો વ્યાપ વધતો અટકાવવા માટે ગુજરાત સરકારે હોળી ધુળેટીનો તહેવાર ઉજવવા સામે પ્રતિબંધ ફરમાવ્યો હતો.
WatchGujarat. ગુજરાતમાં કોરોનાના વધતા જતા સંક્રમણને લઈને, રાજ્ય સરકારે હોળી ધૂળેટી રંગથી રમવા સામે મનાઈ ફરમાવી છે. નાયબ મુખ્ય પ્રધાન નિતીન પટેલે આજે મિડીયા સાથે વાત કરતા જણાવ્યુ હતું કે, ધાર્મિક માન્યતા મુજબ હોળી પ્રગટાવવા દેવાશે. પરંતુ એક બીજા ઉપર રંગ નાખીને હોળી અને ધૂળેટીમાં રંગોત્સવ મનાવે છે તે નહી મનાવવા દેવાય. હોળી દહન માટે પણ મર્યાદીત લોકોને એકત્ર થવા દેવાશે.
નિતીન પટેલે ઉમેર્યું હતું જણાવ્યુ કે, સામાન્ય રીતે જે પ્રકારે દેખરેખ રખાય છે તે રીતે જ દેખરેખ રખાશે. કોરોનાને વધતો અટકાવવા માટે ગુજરાતમાં યુવા યુવતીઓ જાગૃત છે. તેથી તેઓ સરકારે જે કોઈ ગાઈડલાઈન બહાર પાડી છે તેને નિયમ અનુસરશે. તથા તેમણે આશા પ્રગટ કરી હતી કે, યુવાનો અને નાગરીકો સરકારના નિયમોનું પાલન કરશે.
નિતીન પટેલે એમ વધુમાં જણાવ્યુ હતું કે કે, ગઈકાલે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલ બેઠકમાં હોળી ઉજવવા માટે નિર્ણય કર્યા છે. આ નિર્ણય મુજબ ગુજરાતભરમાં લોકો ધાર્મિક માન્યતા, રીત રીવાજ મુજબ હોળી દહન કરીને પ્રગટાવેલી હોળીની પ્રદક્ષિણા ફરી શકશે પણ તેના માટે ભીડ એકઠી નહી કરી શકાય. એક બીજા ઉપર રંગ છાટીને હોળી ધૂળેટીનો તહેવાર નહી ઉજવી શકાય. આ અંગે વિધિવત્ત રીતે જાહેરનામુ હવે પછી બહાર પડાશે. ગયા વર્ષે પણ કોરોનાનો વ્યાપ વધતો અટકાવવા માટે ગુજરાત સરકારે હોળી ધુળેટીનો તહેવાર ઉજવવા સામે પ્રતિબંધ ફરમાવ્યો હતો.