કોઈ પણ કામ નાનું નથી અમદાવાદની મહિલાએ પંક્તિ સાર્થક કરી
અમદાવાદના ગીતાબેન 15 વર્ષથી ચલાવી રહ્યાં એમ્બુલન્સ છે
ડેડબોડી અટેન્ડ કરીને નિયત સ્થળ પર પહોંચાડે છે, કોરોનાના કાળમાં પણ એમ્બુલન્સ ચાલુ
WatchGujarat. તાજેતરમાં જ દેશ અને દુનિયામાં 8 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. પ્રત્યેક દેશ, રાજ્ય, શહેર, ટાઉન, અને ગામમાં સશક્ત મહિલાના ઉદાહરણ મળી આવે છે. અમદાવાદમાં પણ એક એવી મહિલા છે. જે કામમાં સામાન્ય રીતે પુરૂષો જોડાયેલા હોય તેઓ તેવા કામમાં જોડાયેલા છે. કેન્સર જેવા જીવલેણ રોગને હરાવીને મહિલા આજે છેલ્લા 15 વર્ષથી ખાનગી એમ્બ્યુલન્સ ચલાવી રહી છે. અને દર્દીઓને સારવાર માટે લઇ જવાના કામથી લઇને મૃતદેહોનો તેમના સરનામે પહોંચાડવાનું કામ કરી રહી છે.
અમદાવાદના ગીતાબેન પુરોહિત એમ્બ્યુલન્સ હાંકીને સારથીની ભૂમિકા અદા કરી રહ્યા છે. 49 વર્ષના ગીતાબેન દર્દીઓને ત્વરિત સારવાર અર્થે પહોંચાડવાથી લઈને મૃત દર્દીના સ્વજનને સ્મશાન સુધી લઈ જવાની સેવા મક્કમ મનથી નિભાવી રહ્યા છે. 15 વર્ષ પહેલા ગીતાબેનને કેન્સર થયું હતું. અને આ કેન્સરની બીમારીના કારણે તેમને અનેક વેદના અને તકલીફો સહન કરી હતી. તે તકલીફ કોઈ ને ના પડે તે માટે તેમણે એમ્બ્યુલન્સ ચલાવવાનું નક્કી કર્યું હતું.
ગીતાબેન કોરોના દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવાથી લઈને દર્દીની ડેડબોડી પણ એટેન્ડ કરે છે. 15 વર્ષથી એમ્બ્યુલન્સ ચલાવતી મહિલાએ અત્યાર સુધી 5 હજારથી વધુ દર્દી તેમજ ડેડ બોડીને નિયત સ્થળે પહોંચાડી છે. આમ તો મહિલાને કેટલાક લોકો દ્વારા સમાજમાં કેટલીક જગ્યાએ સંકુચિત નજરે જોવામાં આવે છે. અને ખાસ કરીને એમ્બ્યુલન્સ ચલાવવા માટેના કામમાં પુરૂષો વધારે જોવા મળતા હોય છે. પરંતુ ગીતાબેન ગુજરાતમાં ઉત્તરથી લઈને દક્ષિણ પૂર્વથી લઈને પશ્ચિમ સુધી તમામ જગ્યા તેમની એમ્બ્યુલન્સ લઈને દોડે છે. રાત્રે પણ તેમનો ફોન રણકતો રહે છે.
શરૂઆતમાં ગીતાબેને દર્દીઓને હોસ્પિટલમાં લઈ જતા હતા. ત્યારબાદ મૃતદેહોને પણ સ્માશાને કે નિવાસ્થાને લઈ જવાનું કામ શરૂ કર્યું. કોરોનાના કપરા કાળમાં સમયમાં પણ દર્દીઓ કે પછી મૃતકોના પાર્થિવદેહને એમ્બ્યુલન્સ મારફત નિયત સ્થળ પર પહોંચડ્યાં છે. જોકે આ સેવાકીય કાર્ય કરતા સમયે તેમને કોઈ જાતનો ડર નથી. શરૂઆતમાં પરિવારે તેમના આ કામની ટીકા કરી હતી. એટલું જ નહીં, આ કામ છોડી દેવા પણ સલાહ આપી હતી. પરંતુ ટીકાથી ડર્યા વિના ગીતાબેન આ કાર્યને સેવાનું કામ માનીને આગળ વધ્યા હતા. અત્યારે ગીતાબેન અને તેમના પતિ નજીવો ચાર્જ લઈને આ સેવાકીય કાર્યને આગળ વધારી રહ્યા છે.
કોઈ પણ કામ નાનું નથી અમદાવાદની મહિલાએ પંક્તિ સાર્થક કરી
અમદાવાદના ગીતાબેન 15 વર્ષથી ચલાવી રહ્યાં એમ્બુલન્સ છે
ડેડબોડી અટેન્ડ કરીને નિયત સ્થળ પર પહોંચાડે છે, કોરોનાના કાળમાં પણ એમ્બુલન્સ ચાલુ
WatchGujarat. તાજેતરમાં જ દેશ અને દુનિયામાં 8 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. પ્રત્યેક દેશ, રાજ્ય, શહેર, ટાઉન, અને ગામમાં સશક્ત મહિલાના ઉદાહરણ મળી આવે છે. અમદાવાદમાં પણ એક એવી મહિલા છે. જે કામમાં સામાન્ય રીતે પુરૂષો જોડાયેલા હોય તેઓ તેવા કામમાં જોડાયેલા છે. કેન્સર જેવા જીવલેણ રોગને હરાવીને મહિલા આજે છેલ્લા 15 વર્ષથી ખાનગી એમ્બ્યુલન્સ ચલાવી રહી છે. અને દર્દીઓને સારવાર માટે લઇ જવાના કામથી લઇને મૃતદેહોનો તેમના સરનામે પહોંચાડવાનું કામ કરી રહી છે.
અમદાવાદના ગીતાબેન પુરોહિત એમ્બ્યુલન્સ હાંકીને સારથીની ભૂમિકા અદા કરી રહ્યા છે. 49 વર્ષના ગીતાબેન દર્દીઓને ત્વરિત સારવાર અર્થે પહોંચાડવાથી લઈને મૃત દર્દીના સ્વજનને સ્મશાન સુધી લઈ જવાની સેવા મક્કમ મનથી નિભાવી રહ્યા છે. 15 વર્ષ પહેલા ગીતાબેનને કેન્સર થયું હતું. અને આ કેન્સરની બીમારીના કારણે તેમને અનેક વેદના અને તકલીફો સહન કરી હતી. તે તકલીફ કોઈ ને ના પડે તે માટે તેમણે એમ્બ્યુલન્સ ચલાવવાનું નક્કી કર્યું હતું.
ગીતાબેન કોરોના દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવાથી લઈને દર્દીની ડેડબોડી પણ એટેન્ડ કરે છે. 15 વર્ષથી એમ્બ્યુલન્સ ચલાવતી મહિલાએ અત્યાર સુધી 5 હજારથી વધુ દર્દી તેમજ ડેડ બોડીને નિયત સ્થળે પહોંચાડી છે. આમ તો મહિલાને કેટલાક લોકો દ્વારા સમાજમાં કેટલીક જગ્યાએ સંકુચિત નજરે જોવામાં આવે છે. અને ખાસ કરીને એમ્બ્યુલન્સ ચલાવવા માટેના કામમાં પુરૂષો વધારે જોવા મળતા હોય છે. પરંતુ ગીતાબેન ગુજરાતમાં ઉત્તરથી લઈને દક્ષિણ પૂર્વથી લઈને પશ્ચિમ સુધી તમામ જગ્યા તેમની એમ્બ્યુલન્સ લઈને દોડે છે. રાત્રે પણ તેમનો ફોન રણકતો રહે છે.
શરૂઆતમાં ગીતાબેને દર્દીઓને હોસ્પિટલમાં લઈ જતા હતા. ત્યારબાદ મૃતદેહોને પણ સ્માશાને કે નિવાસ્થાને લઈ જવાનું કામ શરૂ કર્યું. કોરોનાના કપરા કાળમાં સમયમાં પણ દર્દીઓ કે પછી મૃતકોના પાર્થિવદેહને એમ્બ્યુલન્સ મારફત નિયત સ્થળ પર પહોંચડ્યાં છે. જોકે આ સેવાકીય કાર્ય કરતા સમયે તેમને કોઈ જાતનો ડર નથી. શરૂઆતમાં પરિવારે તેમના આ કામની ટીકા કરી હતી. એટલું જ નહીં, આ કામ છોડી દેવા પણ સલાહ આપી હતી. પરંતુ ટીકાથી ડર્યા વિના ગીતાબેન આ કાર્યને સેવાનું કામ માનીને આગળ વધ્યા હતા. અત્યારે ગીતાબેન અને તેમના પતિ નજીવો ચાર્જ લઈને આ સેવાકીય કાર્યને આગળ વધારી રહ્યા છે.