અમદાવાદ. મ્યુનિશિપલ કોર્પોરેશન ફરી વિવાદમાં સપડાયું છે. કોર્પોરેશનને કોરોનાના ખોટા સમાચારને લઇને કરેલા એક ટ્વીટરથી આડકતરી રીતે મીડિયાને આડે હાથ લીધું છે. ત્યારે કોર્પોરેશનના ટ્વીટર પર લખવામાં આવ્યું છે કેકોરોના સંબંધિત આપવામાં આવતા સમાચારોને અફવા ગણવી. અધિકારીઓના નિવેદન વગર મીડિયા જે સમાચાર લોકો સુધી પહોંચાડે છે તે સમાચાર સાચા ન ગણવા.
COVID-19 ને લઇને અધિકારીઓ જવાબ નથી આપતા
કોર્પોરેશનના વિવાદીત ટ્વીટથી મીડિયામાં રોષના લાગણી જોવા મળી છે. મહત્વનું છે કે, જ્યારે પણ મીડિયાએ મ્યુનિસિપલ કમિશનર કે તેમના અધિકારીઓની સાથે સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો છે, ત્યારે અધિકારીઓ દ્વારા કોઇપણ ફોન ઉપાડવામાં આવ્યા નથી અને દરેક માહિતી ઓનલાઇન જ આપી દેવામાં આવે છે તેમ જણાવે છે. જ્યારે કોઈ પણ માહિતી અંગે અધિકારીનો ઓફિશિયલ કોટ લેવા માટે વિનંતી કરવા છતાં પણ કોઈ જ પ્રકારનો રિસ્પોન્સ મળતો નથી અને કોરોના મામલે મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાની બદલી બાદ નવા આવેલા મ્યુનિ.કમિશનર મુકેશકુમાર અને ખાસ અધિકારી ડૉ.રાજીવ ગુપ્તાએ મીડિયાકર્મીઓથી દૂર રહેવાનો જ પ્રયાસ કર્યો છે.
કોરોનાની સાચી સ્થિતિ મીડિયા બતાવી રહ્યું છે, ત્યારે આજે AMCના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી મીડિયાને ટાર્ગેટ કરી ટ્વિટ કરવામાં આવ્યું છે કે, કોરોનાના બિનસત્તાવાર સમાચારોથી દૂર રહેવું. સમાચારો જે અધિકારીના વર્ઝન વગરના હોય તેનો વિશ્વાસ ન કરવો. માત્ર ઓફિશિયલ વેબસાઈટ અને પેજનો જ વિશ્વાસ કરવો. આ વિવાદિત ટ્વિટથી મીડિયાકર્મીઓ અને માધ્યમોમાં રોષ ફેલાયો છે.
મેયર બિજલ પટેલ પણ મીડિયાને અવોઇડ કરી રહ્યા છે
મેયર બિજલ પટેલ પણ છેલ્લા કેટલાય સમયથી મીડિયાથી દૂર ભાગી રહ્યા છે. સ્ટેન્ડિંગ કમિટીમાં પ્રજાની જે વાત હોય છે તે પણ હવે ઓનલાઇન જ આપી દેવાય છે. જેથી સ્પષ્ટ જણાય છે કે, સત્તાધીશો અને અધિકારીઓ મીડિયાથી દૂર ભાગી રહ્યા છે. કોરોના મામલે અમદાવાદમાં સ્થિતિ બગડી રહી છે જેની વચ્ચે આ રીતે મીડિયાને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા હોવાનું જણાય છે.
અમદાવાદ. મ્યુનિશિપલ કોર્પોરેશન ફરી વિવાદમાં સપડાયું છે. કોર્પોરેશનને કોરોનાના ખોટા સમાચારને લઇને કરેલા એક ટ્વીટરથી આડકતરી રીતે મીડિયાને આડે હાથ લીધું છે. ત્યારે કોર્પોરેશનના ટ્વીટર પર લખવામાં આવ્યું છે કેકોરોના સંબંધિત આપવામાં આવતા સમાચારોને અફવા ગણવી. અધિકારીઓના નિવેદન વગર મીડિયા જે સમાચાર લોકો સુધી પહોંચાડે છે તે સમાચાર સાચા ન ગણવા.
COVID-19 ને લઇને અધિકારીઓ જવાબ નથી આપતા
કોર્પોરેશનના વિવાદીત ટ્વીટથી મીડિયામાં રોષના લાગણી જોવા મળી છે. મહત્વનું છે કે, જ્યારે પણ મીડિયાએ મ્યુનિસિપલ કમિશનર કે તેમના અધિકારીઓની સાથે સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો છે, ત્યારે અધિકારીઓ દ્વારા કોઇપણ ફોન ઉપાડવામાં આવ્યા નથી અને દરેક માહિતી ઓનલાઇન જ આપી દેવામાં આવે છે તેમ જણાવે છે. જ્યારે કોઈ પણ માહિતી અંગે અધિકારીનો ઓફિશિયલ કોટ લેવા માટે વિનંતી કરવા છતાં પણ કોઈ જ પ્રકારનો રિસ્પોન્સ મળતો નથી અને કોરોના મામલે મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાની બદલી બાદ નવા આવેલા મ્યુનિ.કમિશનર મુકેશકુમાર અને ખાસ અધિકારી ડૉ.રાજીવ ગુપ્તાએ મીડિયાકર્મીઓથી દૂર રહેવાનો જ પ્રયાસ કર્યો છે.
કોરોનાની સાચી સ્થિતિ મીડિયા બતાવી રહ્યું છે, ત્યારે આજે AMCના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી મીડિયાને ટાર્ગેટ કરી ટ્વિટ કરવામાં આવ્યું છે કે, કોરોનાના બિનસત્તાવાર સમાચારોથી દૂર રહેવું. સમાચારો જે અધિકારીના વર્ઝન વગરના હોય તેનો વિશ્વાસ ન કરવો. માત્ર ઓફિશિયલ વેબસાઈટ અને પેજનો જ વિશ્વાસ કરવો. આ વિવાદિત ટ્વિટથી મીડિયાકર્મીઓ અને માધ્યમોમાં રોષ ફેલાયો છે.
મેયર બિજલ પટેલ પણ મીડિયાને અવોઇડ કરી રહ્યા છેમેયર બિજલ પટેલ પણ છેલ્લા કેટલાય સમયથી મીડિયાથી દૂર ભાગી રહ્યા છે. સ્ટેન્ડિંગ કમિટીમાં પ્રજાની જે વાત હોય છે તે પણ હવે ઓનલાઇન જ આપી દેવાય છે. જેથી સ્પષ્ટ જણાય છે કે, સત્તાધીશો અને અધિકારીઓ મીડિયાથી દૂર ભાગી રહ્યા છે. કોરોના મામલે અમદાવાદમાં સ્થિતિ બગડી રહી છે જેની વચ્ચે આ રીતે મીડિયાને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા હોવાનું જણાય છે.