31મી ડિસેમ્બરના રોજ મોટી સંખ્યામાં લોકો પાર્ટી કે ઉજવણી માટે બહાર આવતા હોય
આ વખતે કર્ફ્યૂને કારણે કોઈ ઉજવણી કરી શકાશે નહીં.
કોઈ કર્ફ્યૂ દરમિયાન બહાર નીકળશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે
ખાસ ટીમો સિવિલ ડ્રેસમાં પણ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરશે અને કાર્યવાહી કરશે
અગાઉ 23 નવેમ્બરે 4 શહેરમાં રાત્રિ કર્ફ્યૂ લાગુ કર્યો હતો,7 ડિસેમ્બરે DGPએ રાત્રિ કર્ફ્યૂ લંબાવ્યો હતો
WatchGujarat કોરોનાના વધતા જતા વ્યાપને પગલે રાજ્ય સરકાર દ્વારા 57 કલાકનું સંપૂર્ણ કર્ફ્યુ બાદ લગાવ્યું હતું. ત્યારબાદ રાત્રે 9 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યું હતું. ત્યારે અમદાવાદ શહેર પોલીસ દ્વારા રાત્રી કર્ફ્યુના પગલે ક્રિસમસ અને 31 ડિસેમ્બરની કોઈ જાહેર કે રાત્રિ ઉજવણી થઈ શકશે નહીં તેવી જાહેરાત કરવામાં આવી છે. પોલીસ દ્વારા રાતે 9 વાગ્યા બાદ કર્ફ્યૂનું કડક પાલન કરવામાં આવશે. કર્ફ્યૂ ભંગ કરનારા સામે પોલીસ કડક કાર્યવાહી કરશે.
રાજ્યમાં કોરોનાના કેસો વધે નહીં એટલા માટે અમદાવાદ સહિત રાજ્યનાં 4 મુખ્ય શહેરમાં રાત્રિ કર્ફ્યૂ લંબાવવામાં આવ્યો હતો. રાજ્યના પોલીસવડા આશિષ ભાટિયાએ અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રિ કર્ફ્યૂ લંબાવવાની જાહેરાત કરી હતી. આ ચારેય શહેરમાં નવો નિર્ણય ન થાય ત્યાં સુધી રાતના 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂ યથાવત્ રહેશે. ત્યારે અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલના ડીસીપી હર્ષદ પટેલ જણાવે છે કે, અમદાવાદ શહેરમાં જ્યારથી કર્ફ્યૂનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. ત્યારથી પોલીસ દ્વારા ખાસ ટીમો બનાવીને કર્ફ્યૂના નિયમ તોડનારા સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ડીસીપી હર્ષદ પટેલ વધુમાં જણાવે છે કે, આવનારી 31મી ડિસેમ્બરના રોજ મોટી સંખ્યામાં લોકો પાર્ટી કે ઉજવણી માટે બહાર આવતા હોય છે, પરંતુ આ વખતે કર્ફ્યૂને કારણે કોઈ ઉજવણી કરી શકાશે નહીં. જો કોઈ કર્ફ્યૂ દરમિયાન બહાર નીકળશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમજ દારૂડિયાઓને પકડવા પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ કરશે. આ ઉપરાંત ખાસ ટીમો સિવિલ ડ્રેસમાં પણ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરશે અને કાર્યવાહી કરશે. ગુજરાતમાં તહેવારો બાદ કોરોનાના કેસો વધતાં 23 નવેમ્બરે અમદાવાદની સાથે સાથે અન્ય ત્રણ શહેર સુરત, વડોદરા અને રાજકોટમાં પણ રાત્રિ કર્ફ્યૂ લાદવામાં આવ્યો હતો.
More #Night Curfew #31 #December #Special drive #Drunkards #Ahmedabad News
31મી ડિસેમ્બરના રોજ મોટી સંખ્યામાં લોકો પાર્ટી કે ઉજવણી માટે બહાર આવતા હોય
આ વખતે કર્ફ્યૂને કારણે કોઈ ઉજવણી કરી શકાશે નહીં.
કોઈ કર્ફ્યૂ દરમિયાન બહાર નીકળશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે
ખાસ ટીમો સિવિલ ડ્રેસમાં પણ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરશે અને કાર્યવાહી કરશે
અગાઉ 23 નવેમ્બરે 4 શહેરમાં રાત્રિ કર્ફ્યૂ લાગુ કર્યો હતો,7 ડિસેમ્બરે DGPએ રાત્રિ કર્ફ્યૂ લંબાવ્યો હતો
WatchGujarat કોરોનાના વધતા જતા વ્યાપને પગલે રાજ્ય સરકાર દ્વારા 57 કલાકનું સંપૂર્ણ કર્ફ્યુ બાદ લગાવ્યું હતું. ત્યારબાદ રાત્રે 9 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યું હતું. ત્યારે અમદાવાદ શહેર પોલીસ દ્વારા રાત્રી કર્ફ્યુના પગલે ક્રિસમસ અને 31 ડિસેમ્બરની કોઈ જાહેર કે રાત્રિ ઉજવણી થઈ શકશે નહીં તેવી જાહેરાત કરવામાં આવી છે. પોલીસ દ્વારા રાતે 9 વાગ્યા બાદ કર્ફ્યૂનું કડક પાલન કરવામાં આવશે. કર્ફ્યૂ ભંગ કરનારા સામે પોલીસ કડક કાર્યવાહી કરશે.
રાજ્યમાં કોરોનાના કેસો વધે નહીં એટલા માટે અમદાવાદ સહિત રાજ્યનાં 4 મુખ્ય શહેરમાં રાત્રિ કર્ફ્યૂ લંબાવવામાં આવ્યો હતો. રાજ્યના પોલીસવડા આશિષ ભાટિયાએ અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રિ કર્ફ્યૂ લંબાવવાની જાહેરાત કરી હતી. આ ચારેય શહેરમાં નવો નિર્ણય ન થાય ત્યાં સુધી રાતના 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂ યથાવત્ રહેશે. ત્યારે અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલના ડીસીપી હર્ષદ પટેલ જણાવે છે કે, અમદાવાદ શહેરમાં જ્યારથી કર્ફ્યૂનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. ત્યારથી પોલીસ દ્વારા ખાસ ટીમો બનાવીને કર્ફ્યૂના નિયમ તોડનારા સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ડીસીપી હર્ષદ પટેલ વધુમાં જણાવે છે કે, આવનારી 31મી ડિસેમ્બરના રોજ મોટી સંખ્યામાં લોકો પાર્ટી કે ઉજવણી માટે બહાર આવતા હોય છે, પરંતુ આ વખતે કર્ફ્યૂને કારણે કોઈ ઉજવણી કરી શકાશે નહીં. જો કોઈ કર્ફ્યૂ દરમિયાન બહાર નીકળશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમજ દારૂડિયાઓને પકડવા પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ કરશે. આ ઉપરાંત ખાસ ટીમો સિવિલ ડ્રેસમાં પણ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરશે અને કાર્યવાહી કરશે. ગુજરાતમાં તહેવારો બાદ કોરોનાના કેસો વધતાં 23 નવેમ્બરે અમદાવાદની સાથે સાથે અન્ય ત્રણ શહેર સુરત, વડોદરા અને રાજકોટમાં પણ રાત્રિ કર્ફ્યૂ લાદવામાં આવ્યો હતો.
More #Night Curfew #31 #December #Special drive #Drunkards #Ahmedabad News