અમદાવાદ માફક રાજકોટ, સુરત અને વડોદરામાં 21 નવેમ્બર શનિવારે રાત્રે 9 વાગ્યાથી રાત્રી કર્ફ્યુનો અમલ શરૂ.
સમાજ સેવી સંસ્થાઓ, વિવિધ શહેરના અગ્રણીઓની માંગણીને પગલે સરકાર દ્વારા નિર્ણય લેવાયો.
બીજી જાહેરાત ના થાય ત્યાં સુધી ચારેય મહાનગરોમાં રાત્રી કર્ફ્યુનો અમલ કરાશે.
WatchGujarat. ચુસ્ત લોકડાઉનના 3 જેટલાં મહિના અને ત્યારબાદ વિવિધ 5 જેટલાં અનલોક જાહેર કર્યા બાદ પણ કોરોના સંક્રમણ પર કાબૂ મેળવી શકાયું નથી. ત્યારે રાજ્યની રૂપાણી સરકારે રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો કર્ફ્યુ લાદી કોરોના સંક્રમણને કાબૂમાં લેવાનો નિર્ણય લીધો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, અમદાવાદની માફક હવે રાજકોટ, સુરત અને વડોદરામાં પણ રાત્રી કર્ફ્યુ લાદવાનો નિર્ણય આજે મોડી સાંજે ઉપમુખ્યમંત્રી નિતીન પટેલ દ્વારા જાહેર કરાયો હતો.
લોકડાઉન ફરી લાગુ કરવામાં આવશે તેવી અફવાઓએ જોર પકડ્યું હતું. ત્યાંજ સરકાર દ્વારા ગઈકાલે અમદાવાદમાં 57 કલાકનો કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. સરકારના આ નિર્ણયને પગલે રાજ્યભરમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. ગઈકાલે રાતથી જ રાજકોટ, સુરત અને વડોદરાની પ્રજામાં ઉચાટ વ્યાપી ગયો હતો.
આ સંજોગોમાં આજે સાંજે ઉપમુખ્યમંત્રી નિતીન પટેલે પત્રકાર પરિષદમાં કોરોનીની સ્થિતિનો ચિતાર આપવા સાથે પ્રજાજનોએ ગભરાવાની જરૂર નથી એમ જણાવવા સાથે રાજ્ય સરકાર કોરોનાની પરિસ્થિતિને પહોંચી વળવા સક્ષમ છે તેવી વિગતો જણાવી હતી.
વિસ્તૃત લાંબી પૂર્વભૂમિકા બાંધ્યા બાદ નિતીન પટેલે જણાવ્યું હતું કે, વિવિધ સામાજીક સંસ્થાઓ, વેપારી એસોસિએશન, જાગૃત નાગરીકો દ્વારા મુખ્યમંત્રીને કોરોના સંક્રમણ રોકવા નિયંત્રણ લાગુ કરવા રજૂઆત કરવામાં આવી હતી. જેને પગલે તહેવારના દિવસો પૂરા થયા બાદ હવે કોરોના સંક્રમણ પર કાબૂ મેળવવા માટે અમદાવાદ ઉપરાંત, રાજકોટ, સુરત અને વડોદરામાં પણ રાત્રી કર્ફ્યુનો અમલ કરાશે. રાત્રે 9 થી સવારે 6 વાગ્યા સુધીના રાત્રી કર્ફ્યુનો અમલ નવી જાહેરાત કરાય નહીં ત્યાં સુધી અમલમાં રહેશે.
અમદાવાદ માફક રાજકોટ, સુરત અને વડોદરામાં 21 નવેમ્બર શનિવારે રાત્રે 9 વાગ્યાથી રાત્રી કર્ફ્યુનો અમલ શરૂ.
સમાજ સેવી સંસ્થાઓ, વિવિધ શહેરના અગ્રણીઓની માંગણીને પગલે સરકાર દ્વારા નિર્ણય લેવાયો.
બીજી જાહેરાત ના થાય ત્યાં સુધી ચારેય મહાનગરોમાં રાત્રી કર્ફ્યુનો અમલ કરાશે.
WatchGujarat. ચુસ્ત લોકડાઉનના 3 જેટલાં મહિના અને ત્યારબાદ વિવિધ 5 જેટલાં અનલોક જાહેર કર્યા બાદ પણ કોરોના સંક્રમણ પર કાબૂ મેળવી શકાયું નથી. ત્યારે રાજ્યની રૂપાણી સરકારે રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો કર્ફ્યુ લાદી કોરોના સંક્રમણને કાબૂમાં લેવાનો નિર્ણય લીધો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, અમદાવાદની માફક હવે રાજકોટ, સુરત અને વડોદરામાં પણ રાત્રી કર્ફ્યુ લાદવાનો નિર્ણય આજે મોડી સાંજે ઉપમુખ્યમંત્રી નિતીન પટેલ દ્વારા જાહેર કરાયો હતો.
લોકડાઉન ફરી લાગુ કરવામાં આવશે તેવી અફવાઓએ જોર પકડ્યું હતું. ત્યાંજ સરકાર દ્વારા ગઈકાલે અમદાવાદમાં 57 કલાકનો કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. સરકારના આ નિર્ણયને પગલે રાજ્યભરમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. ગઈકાલે રાતથી જ રાજકોટ, સુરત અને વડોદરાની પ્રજામાં ઉચાટ વ્યાપી ગયો હતો.
આ સંજોગોમાં આજે સાંજે ઉપમુખ્યમંત્રી નિતીન પટેલે પત્રકાર પરિષદમાં કોરોનીની સ્થિતિનો ચિતાર આપવા સાથે પ્રજાજનોએ ગભરાવાની જરૂર નથી એમ જણાવવા સાથે રાજ્ય સરકાર કોરોનાની પરિસ્થિતિને પહોંચી વળવા સક્ષમ છે તેવી વિગતો જણાવી હતી.
વિસ્તૃત લાંબી પૂર્વભૂમિકા બાંધ્યા બાદ નિતીન પટેલે જણાવ્યું હતું કે, વિવિધ સામાજીક સંસ્થાઓ, વેપારી એસોસિએશન, જાગૃત નાગરીકો દ્વારા મુખ્યમંત્રીને કોરોના સંક્રમણ રોકવા નિયંત્રણ લાગુ કરવા રજૂઆત કરવામાં આવી હતી. જેને પગલે તહેવારના દિવસો પૂરા થયા બાદ હવે કોરોના સંક્રમણ પર કાબૂ મેળવવા માટે અમદાવાદ ઉપરાંત, રાજકોટ, સુરત અને વડોદરામાં પણ રાત્રી કર્ફ્યુનો અમલ કરાશે. રાત્રે 9 થી સવારે 6 વાગ્યા સુધીના રાત્રી કર્ફ્યુનો અમલ નવી જાહેરાત કરાય નહીં ત્યાં સુધી અમલમાં રહેશે.