ગાંધીનગર મનપાની ચૂંટણી મોકૂફ રાખવા કરાયો નિર્ણય
મુખ્યમંત્રી રૂપાણીએ પણ પત્ર લખી કરી હતી રજૂઆત
WatchGujarat. રાજ્યમાં કોરોનાની વકરતી પરિસ્થિતિના કારણે ગાંધીનગર મનપાની ચૂંટણી મોકૂફ રાખવાનો નિર્ણય ઈલેક્શન કમિશન દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો. અગાઉ મુખ્યમંત્રીએ પત્ર લખી કરી હતી રજૂઆત કરી હતી. ત્યાર બાદ ચુંટણી તંત્ર દ્વારા નિયમો જાહેર કરવામાં આવ્યો હતો.
ગાંધીનગર ચૂંટણીને લઈ મુખ્યમંત્રી CM રૂપાણીએ ચૂંટણી પંચને પત્ર લખ્યો હતો. કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા હાલના સમયમાં ચૂંટણી મોકૂફ રાખવાની રજૂઆત કરી હતી. જો કે, ગાંધીનગર ચૂંટણી માટે ઉમેદવારી પણ નોંધાઈ ચૂકી છે. અને 18 એપ્રિલના દિવસે ચૂંટણી યોજાવવાની હતી. તે પહેલા મુખ્યમંત્રીએ ચૂંટણી પંચને આ રજૂઆત કરી હતી. જેને પગલે ચુંટણી તંત્ર દ્વારા આખરે કોરોનાની સ્થિતીને ધ્યાને રાખીને ગાંધીનગર મહાનગર પાલિકાની ચુંટણી રદ કરવાનો નિર્ણય લીધો હતો.
AAP અને કોંગ્રેસ પણ કરી ચૂક્યું છે રજૂઆત
આ અગાઉ આપ અને કોંગ્રેસ દ્વારા પર ગાંધીનગર મનપાની ચૂંટણી મોકૂફ રાખવા માટે રજૂઆત થઈ ચૂકી છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમતિ ચાવડાએ ચીફ જસ્ટિસને પત્ર લખીને આ મુદ્દે રજૂઆત કરી હતી.
ગાંધીનગર મનપાની ચૂંટણી મોકૂફ રાખવા કરાયો નિર્ણય
મુખ્યમંત્રી રૂપાણીએ પણ પત્ર લખી કરી હતી રજૂઆત
WatchGujarat. રાજ્યમાં કોરોનાની વકરતી પરિસ્થિતિના કારણે ગાંધીનગર મનપાની ચૂંટણી મોકૂફ રાખવાનો નિર્ણય ઈલેક્શન કમિશન દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો. અગાઉ મુખ્યમંત્રીએ પત્ર લખી કરી હતી રજૂઆત કરી હતી. ત્યાર બાદ ચુંટણી તંત્ર દ્વારા નિયમો જાહેર કરવામાં આવ્યો હતો.
ગાંધીનગર ચૂંટણીને લઈ મુખ્યમંત્રી CM રૂપાણીએ ચૂંટણી પંચને પત્ર લખ્યો હતો. કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા હાલના સમયમાં ચૂંટણી મોકૂફ રાખવાની રજૂઆત કરી હતી. જો કે, ગાંધીનગર ચૂંટણી માટે ઉમેદવારી પણ નોંધાઈ ચૂકી છે. અને 18 એપ્રિલના દિવસે ચૂંટણી યોજાવવાની હતી. તે પહેલા મુખ્યમંત્રીએ ચૂંટણી પંચને આ રજૂઆત કરી હતી. જેને પગલે ચુંટણી તંત્ર દ્વારા આખરે કોરોનાની સ્થિતીને ધ્યાને રાખીને ગાંધીનગર મહાનગર પાલિકાની ચુંટણી રદ કરવાનો નિર્ણય લીધો હતો.
AAP અને કોંગ્રેસ પણ કરી ચૂક્યું છે રજૂઆત
આ અગાઉ આપ અને કોંગ્રેસ દ્વારા પર ગાંધીનગર મનપાની ચૂંટણી મોકૂફ રાખવા માટે રજૂઆત થઈ ચૂકી છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમતિ ચાવડાએ ચીફ જસ્ટિસને પત્ર લખીને આ મુદ્દે રજૂઆત કરી હતી.