સોલા સિવિલમાં પણ દર્દીઓનો આંકડો 100ને પાર થવાની તૈયારીમાં.
અમદાવાદમાં દિવાળી બાદ વધેલા કેસને જોતાં લોકોએ હવે સ્વયંભૂ સાવચેત થઈને ઘરમાં રહેવા લાગ્યા.
અમદાવાદ. દિવાળીના તહેવારો દરમિયાન બેફામ બનેલા અમદાવાદીઓએ કોરોના ભૂલીને ખરીદી કરવા નીકળી પડ્યાં હતાં. જેના કારણે છેલ્લા 48 કલાકમાં અમદાવાદમાં કોરોનાની ગંભીર સ્થિતિ સર્જાઈ રહી છે. રાજ્યમાં ફરીવાર એક હજાર કરતાં વધુ કેસ નોંધાવવાની શરૂઆત થઇ છે. કેસની સંખ્યા વધવાથી લોકોની ચિંતાઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં દિવાળી બાદ વધેલા કેસને જોતાં લોકોએ હવે સ્વયંભૂ સાવચેત થઈને ઘરમાં રહેવા લાગ્યા છે. શહેરની હોસ્પિટલોમાં પણ હવે દર્દીઓને દાખલ કરવા માટે બેડ ખૂટી પડ્યાં છે. તંત્ર દ્વારા રોજ નવા વોર્ડની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
શહેરમાં કોરોનાના કેસોમાં અવિરત ધોરણે વધારો થઈ રહ્યો છે. ત્યારે અસારવા સિવિલ હોસ્પિટલમાં જ દૈનિક કેસોની સંખ્યા 100ને વટાવવાની તૈયારીમાં છે. તેના પછી હવે સોલા સિવિલ હોસ્પિટલમાં પણ કોરોનાના કેસોના દર્દીઓમાં વધારો થયો છે. સોલા સિવિલ હોસ્પિટલમાં 108 એમ્બ્યુલન્સ અવિરત દોડી રહી છે. સોલા સિવિલમાં પણ દર્દીઓનો આંકડો 100ને પાર થવાની તૈયારીમાં છે. અમદાવાદમાં તહેવારો દરમિયાન શહેરમાં લોકો જાણે કોરોના જતાં રહ્યો હોય તેમ માની બેઠા હતા. અને બજારોમા ઉભરાયા હતા, હવે તેમને તહેવારની ખરીદીનો ઉત્સાહ મોંઘો પડી રહ્યો છે. કોરોનાના કેસમાં એક પછી એક વધારો થઈ રહ્યો છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, તહેવારો પછી કોરોનના કેસમાં વધારો થવો એ શું કોરોનાની રાજ્યમાં બીજી લહેર હોવાના સંકેત છે? અને તંત્ર તેના માટે તૈયાર છે?
એકબાજુ શહેરમાં કોરોના તહેવારો પછી ઝડપથી ફેલાઈ રહ્યો છે. ત્યારે હોસ્પિટલ તંત્રની અણઘડ નીતિઓએ દર્દીઓની સ્થિતિ બગાડી છે. અમદુપુરા ખાતે આવેલી જી.સી.એસ. હોસ્પિટલના તંત્રની અણઘડ નીતિઓના લીધે 70 જેટલા રેસિડેન્ટ ડોક્ટર્સ અચાનક અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતરી ગયા છે. બેફામ ફી ઉઘરાવતી જી.સી.એસ હોસ્પિટલ સામે રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળની માંગ છે કે તેમની અભ્યાસ ફીમાં ઘટાડો કરવામાં આવે અને સરકારી માર્ગદર્શિકા મુજબ કોવિડ ડ્યુટીનું ભથ્થું આપવામાં આવે. આ જોતા કોરોનાગ્રસ્ત દર્દીઓ ભગવાન ભરોસે હોય તેવી સ્થતિ સર્જાય છે.
સોલા સિવિલમાં પણ દર્દીઓનો આંકડો 100ને પાર થવાની તૈયારીમાં.
અમદાવાદમાં દિવાળી બાદ વધેલા કેસને જોતાં લોકોએ હવે સ્વયંભૂ સાવચેત થઈને ઘરમાં રહેવા લાગ્યા.
અમદાવાદ. દિવાળીના તહેવારો દરમિયાન બેફામ બનેલા અમદાવાદીઓએ કોરોના ભૂલીને ખરીદી કરવા નીકળી પડ્યાં હતાં. જેના કારણે છેલ્લા 48 કલાકમાં અમદાવાદમાં કોરોનાની ગંભીર સ્થિતિ સર્જાઈ રહી છે. રાજ્યમાં ફરીવાર એક હજાર કરતાં વધુ કેસ નોંધાવવાની શરૂઆત થઇ છે. કેસની સંખ્યા વધવાથી લોકોની ચિંતાઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં દિવાળી બાદ વધેલા કેસને જોતાં લોકોએ હવે સ્વયંભૂ સાવચેત થઈને ઘરમાં રહેવા લાગ્યા છે. શહેરની હોસ્પિટલોમાં પણ હવે દર્દીઓને દાખલ કરવા માટે બેડ ખૂટી પડ્યાં છે. તંત્ર દ્વારા રોજ નવા વોર્ડની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
શહેરમાં કોરોનાના કેસોમાં અવિરત ધોરણે વધારો થઈ રહ્યો છે. ત્યારે અસારવા સિવિલ હોસ્પિટલમાં જ દૈનિક કેસોની સંખ્યા 100ને વટાવવાની તૈયારીમાં છે. તેના પછી હવે સોલા સિવિલ હોસ્પિટલમાં પણ કોરોનાના કેસોના દર્દીઓમાં વધારો થયો છે. સોલા સિવિલ હોસ્પિટલમાં 108 એમ્બ્યુલન્સ અવિરત દોડી રહી છે. સોલા સિવિલમાં પણ દર્દીઓનો આંકડો 100ને પાર થવાની તૈયારીમાં છે. અમદાવાદમાં તહેવારો દરમિયાન શહેરમાં લોકો જાણે કોરોના જતાં રહ્યો હોય તેમ માની બેઠા હતા. અને બજારોમા ઉભરાયા હતા, હવે તેમને તહેવારની ખરીદીનો ઉત્સાહ મોંઘો પડી રહ્યો છે. કોરોનાના કેસમાં એક પછી એક વધારો થઈ રહ્યો છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, તહેવારો પછી કોરોનના કેસમાં વધારો થવો એ શું કોરોનાની રાજ્યમાં બીજી લહેર હોવાના સંકેત છે? અને તંત્ર તેના માટે તૈયાર છે?
એકબાજુ શહેરમાં કોરોના તહેવારો પછી ઝડપથી ફેલાઈ રહ્યો છે. ત્યારે હોસ્પિટલ તંત્રની અણઘડ નીતિઓએ દર્દીઓની સ્થિતિ બગાડી છે. અમદુપુરા ખાતે આવેલી જી.સી.એસ. હોસ્પિટલના તંત્રની અણઘડ નીતિઓના લીધે 70 જેટલા રેસિડેન્ટ ડોક્ટર્સ અચાનક અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતરી ગયા છે. બેફામ ફી ઉઘરાવતી જી.સી.એસ હોસ્પિટલ સામે રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળની માંગ છે કે તેમની અભ્યાસ ફીમાં ઘટાડો કરવામાં આવે અને સરકારી માર્ગદર્શિકા મુજબ કોવિડ ડ્યુટીનું ભથ્થું આપવામાં આવે. આ જોતા કોરોનાગ્રસ્ત દર્દીઓ ભગવાન ભરોસે હોય તેવી સ્થતિ સર્જાય છે.