એક કિસ્સામાં પત્નીના પાડોશી સાથે આડા સબંધથી કંટાળી પતિએ ગળેફાસો ખાધો
બીજા એક કિસ્સામાં પતિના બે મહિલા સાથે આડા સબંધોની જાણ થતા પત્નીએ કેરોસીન છાટી જીવન ટુંકાવ્યું
અમદાવાદ. અનૈતિક સબંધ ના કારણે જીવ ટુંકાવી દેવાના એક જ દિવસમાં બે કિસ્સાઓ અમદાવાદમાં સામે આવ્યા છે. શહેરના સરખેજ વિસ્તારમાં પત્નીના આડા સબંધના કારણે પતિએ ગળે ફાંસો ખાઇને જીવન ટુંકાવી દીધું હતું તો વાસણા વિસ્તારમાં પતિના આડા સબંધના કારણે પત્નીએ પોતાના ઘરે કેરોસીન છાંટીને જીવન ટુંકાવી દીધું.
પત્નીના આડા સબંધના કારણે આત્મહત્યા કરનાર પતિની સ્યુસાઇટ નોટ મળી
અમદાવાદના સરખેજ વિસ્તારમાં 4 દિવસ પહેલા લિયાકત ફકીર નામના એક યુવકે પોતાન જ ઘરે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. પરિવારના સભ્યોને એક સ્યુસાઇટ નોટ મળી હતી. જેમાં લખ્યું હતું કે, “મૈં લિયાકત શા પુરે હોસ મેં લીખ રહા હું કે મેરી મોત કા જીમેદાર મહમદભાઈ કા છોકરા કાલુ હૈ મેરી ઓરત કે સાથ ગેર સબંધ હોને કે કારણ યે મેં કદમ ઉઠા રહા હું: લિયાકત”
સરખેજ પોલીસે આ સ્યુસાઇટ નોટના આધારે મૃતક લિયાકત ફકીરની પત્ની તસ્લીમબાનું ફકીર અને તેના પ્રેમી સલીમ ઉર્ફે કાલુ પર આત્મહત્યા દુષ્પ્રેરણા ફરિયાદ નોંધી આરોપી પત્નીની અટકાયત કરી છે. ફરાર આરોપી પ્રેમી સલીમ સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.
પતિના બે મહિલાઓ સાથે આડા સબંધી કંટાળી પત્નીએ જીવન ટુંકાવ્યું
તો બીજા કિસ્સાની વાત કરીએ તો શહેના વાસણા વિસ્તાર પણ અનૈતિક સબંધોના કારણે એક પત્નીએ જીવન ટુકાવી દીધું છે. ગત સોમવારે મમતા બહેને પોતાના પર કેરોસીન છાંટીને આગ લગાડી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. પણ જીવ બચી જતા હોસ્પિટલમાં સરવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. મોત બાદ મહિલાના પરિવારના સભ્યોએ કહ્યું હતું કે મોત પાછળ તેનો પતિ પ્રકાશચંદ્ર જોશી જવાબદાર છે. પતિ અને સાસરિયાના લોકો શારીરિક અને માનસિક ત્રાસ આપી રહ્યાં છે. પણ પતિને ચાંદા રાજપૂત અને પૂનમ નામની બે મહિલા સાથે આડા સબંધ હોવાના કારણે પણ પત્ની મમતાને પરેશાન કરી રહ્યાં છે. આ ઘટના બાદ વાસણા પોલીસે આત્મહત્યાની દુષ્પ્રેરણા ફરિયાદ નોંધી આરોપી પતિ પ્રકાશચંદ્ર જોષીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
એક કિસ્સામાં પત્નીના પાડોશી સાથે આડા સબંધથી કંટાળી પતિએ ગળેફાસો ખાધો
બીજા એક કિસ્સામાં પતિના બે મહિલા સાથે આડા સબંધોની જાણ થતા પત્નીએ કેરોસીન છાટી જીવન ટુંકાવ્યું
અમદાવાદ. અનૈતિક સબંધ ના કારણે જીવ ટુંકાવી દેવાના એક જ દિવસમાં બે કિસ્સાઓ અમદાવાદમાં સામે આવ્યા છે. શહેરના સરખેજ વિસ્તારમાં પત્નીના આડા સબંધના કારણે પતિએ ગળે ફાંસો ખાઇને જીવન ટુંકાવી દીધું હતું તો વાસણા વિસ્તારમાં પતિના આડા સબંધના કારણે પત્નીએ પોતાના ઘરે કેરોસીન છાંટીને જીવન ટુંકાવી દીધું.
પત્નીના આડા સબંધના કારણે આત્મહત્યા કરનાર પતિની સ્યુસાઇટ નોટ મળી
અમદાવાદના સરખેજ વિસ્તારમાં 4 દિવસ પહેલા લિયાકત ફકીર નામના એક યુવકે પોતાન જ ઘરે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. પરિવારના સભ્યોને એક સ્યુસાઇટ નોટ મળી હતી. જેમાં લખ્યું હતું કે, “મૈં લિયાકત શા પુરે હોસ મેં લીખ રહા હું કે મેરી મોત કા જીમેદાર મહમદભાઈ કા છોકરા કાલુ હૈ મેરી ઓરત કે સાથ ગેર સબંધ હોને કે કારણ યે મેં કદમ ઉઠા રહા હું: લિયાકત”
સરખેજ પોલીસે આ સ્યુસાઇટ નોટના આધારે મૃતક લિયાકત ફકીરની પત્ની તસ્લીમબાનું ફકીર અને તેના પ્રેમી સલીમ ઉર્ફે કાલુ પર આત્મહત્યા દુષ્પ્રેરણા ફરિયાદ નોંધી આરોપી પત્નીની અટકાયત કરી છે. ફરાર આરોપી પ્રેમી સલીમ સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.
પતિના બે મહિલાઓ સાથે આડા સબંધી કંટાળી પત્નીએ જીવન ટુંકાવ્યું
તો બીજા કિસ્સાની વાત કરીએ તો શહેના વાસણા વિસ્તાર પણ અનૈતિક સબંધોના કારણે એક પત્નીએ જીવન ટુકાવી દીધું છે. ગત સોમવારે મમતા બહેને પોતાના પર કેરોસીન છાંટીને આગ લગાડી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. પણ જીવ બચી જતા હોસ્પિટલમાં સરવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. મોત બાદ મહિલાના પરિવારના સભ્યોએ કહ્યું હતું કે મોત પાછળ તેનો પતિ પ્રકાશચંદ્ર જોશી જવાબદાર છે. પતિ અને સાસરિયાના લોકો શારીરિક અને માનસિક ત્રાસ આપી રહ્યાં છે. પણ પતિને ચાંદા રાજપૂત અને પૂનમ નામની બે મહિલા સાથે આડા સબંધ હોવાના કારણે પણ પત્ની મમતાને પરેશાન કરી રહ્યાં છે. આ ઘટના બાદ વાસણા પોલીસે આત્મહત્યાની દુષ્પ્રેરણા ફરિયાદ નોંધી આરોપી પતિ પ્રકાશચંદ્ર જોષીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.