સંજય રાઉત ભડક્યો, મુંબઇને મીની પાકિસ્તાન કહેનાર કંગનાને આવું અમદાવાદ માટે કહેવાની હિંમત છે.?
શિવસેનાના પ્રવક્તાએ મહારાષ્ટ્રના વિવાદનો કાદવ ગુજરાત પર ઉછાળવાનો પ્રયાસ કર્યો.
અમદાવાદ. મુંબઈ – મહારાષ્ટ્ર મામલે કંગના રણોત સાથે સર્જાયેલા વિવાદમાં શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે આજે અમદાવાદને ઢસડ્યું છે. એક રીતે મહારાષ્ટ્રના વિવાદનો કાદવ ગુજરાત પર ઉછાળવાનો પ્રયાસ કરાયો હોવાનું જણાઈ રહ્યું છે.
શિવસેનાના પ્રવક્તા સંજય રાઉત અને બોલીવુડ અભિનેત્રી કંગના રણોત વચ્ચે હાલ ફરી યુદ્ધ છેડાયું છે. જોકે આ નવી વાત નથી. અવાર નવાર આ બંને વચ્ચે યુદ્ધ થતા રહેતા હોય છે. પણ આ વખતે સંજય રાઉતે આ યુદ્ધમાં અમદાવાદને વચ્ચે લાવ્યા છે. કંગનાએ મુંબઇને મીની પાકિસ્તાન કહેતા શિવસેનાના સંજય રાઉત ઉકળી ઉઠ્યા હતા. કંગનાના આ નિવેદન બાદથી શિવસેના સતત તેના પર પ્રહાર કરી રહ્યું છે. જેમાં સંયજ રાઉતે આજે નિવેદન આપતા મામલો ફરી ગરમ થયો છે.
શું તેનામાં અમદાવાદને આવું કહેવાની હિંમત છે : સંજય રાઉત
સંજય રાઉતના એક નિવેદનમાં કંગના પર આક્રોસ ઠાલવતા કહ્યું કે, જો તે છોકરી (કંગના રણોત) મહારાષ્ટ્રની માફી માંગે તો અમે વિચારી શકીએ છીએ. તેણે મુંબઇને મીની પાકિસ્તાન કહ્યું છે. શું તેનામાં અમદાવાદને આવું કહેવાની હિંમત છે.?
https://twitter.com/ANI/status/1302469860849405953
સંજય રાઉતે કંગના માટે અપશબ્દનો ઉપયોદ કરતા તેનો વિરોધ થયો હતો
તમને જણાવી દઇએ કે થોડા સમય પહેલા એક નિવેદનમાં શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે કંગના રણોત માટે અપશબ્દનો ઉપયોગ કર્યો હતો અને તેની આ વાતનો વિરોધ થઇ રહ્યો હતો અને અભિનેત્રી માફી માંગવામાં આવે તેવી વાતો થઇ રહી છે. જોકે સંજય રાઉત ઇચ્છે છે કે કંગના પહેલા પોતાના નિવેદન માટે માફી માંગે.
[caption id="attachment_1490" align="aligncenter" width="864"] (વોચ ગુજરાતના સમાચારોની લિન્ક તાત્કાલિક મેળવવા વોટ્સએપ ગ્રૂપમાં જોડાવો)[/caption]
કંગનાએ 9 સપ્ટેમ્બરના રોજ મુંબઈ આવવાની વાત કહી હતી અને તેણે પડકાર આપ્યો હતો કે કોઈના બાપમાં હિંમત હોય તો તેને મુંબઇમાં આવતા રોકે. ન્યુઝ ચેનલે કંગનાના આ નિવદન પર સંજય રાઉતનું રીએક્શન માંગ્યું હતું. જેમાં સંજય રાઉથે કહ્યું કે, મહારાષ્ટ્ર માત્ર શિવસેનાની જાગીર નથી. બધી પાર્ટી તેમાં છે. અમે બધા સાથે મળીને નક્કી કરીશું.’
સંજય રાઉત ભડક્યો, મુંબઇને મીની પાકિસ્તાન કહેનાર કંગનાને આવું અમદાવાદ માટે કહેવાની હિંમત છે.?
શિવસેનાના પ્રવક્તાએ મહારાષ્ટ્રના વિવાદનો કાદવ ગુજરાત પર ઉછાળવાનો પ્રયાસ કર્યો.
અમદાવાદ. મુંબઈ – મહારાષ્ટ્ર મામલે કંગના રણોત સાથે સર્જાયેલા વિવાદમાં શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે આજે અમદાવાદને ઢસડ્યું છે. એક રીતે મહારાષ્ટ્રના વિવાદનો કાદવ ગુજરાત પર ઉછાળવાનો પ્રયાસ કરાયો હોવાનું જણાઈ રહ્યું છે.
શિવસેનાના પ્રવક્તા સંજય રાઉત અને બોલીવુડ અભિનેત્રી કંગના રણોત વચ્ચે હાલ ફરી યુદ્ધ છેડાયું છે. જોકે આ નવી વાત નથી. અવાર નવાર આ બંને વચ્ચે યુદ્ધ થતા રહેતા હોય છે. પણ આ વખતે સંજય રાઉતે આ યુદ્ધમાં અમદાવાદને વચ્ચે લાવ્યા છે. કંગનાએ મુંબઇને મીની પાકિસ્તાન કહેતા શિવસેનાના સંજય રાઉત ઉકળી ઉઠ્યા હતા. કંગનાના આ નિવેદન બાદથી શિવસેના સતત તેના પર પ્રહાર કરી રહ્યું છે. જેમાં સંયજ રાઉતે આજે નિવેદન આપતા મામલો ફરી ગરમ થયો છે.
શું તેનામાં અમદાવાદને આવું કહેવાની હિંમત છે : સંજય રાઉત
સંજય રાઉતના એક નિવેદનમાં કંગના પર આક્રોસ ઠાલવતા કહ્યું કે, જો તે છોકરી (કંગના રણોત) મહારાષ્ટ્રની માફી માંગે તો અમે વિચારી શકીએ છીએ. તેણે મુંબઇને મીની પાકિસ્તાન કહ્યું છે. શું તેનામાં અમદાવાદને આવું કહેવાની હિંમત છે.?
સંજય રાઉતે કંગના માટે અપશબ્દનો ઉપયોદ કરતા તેનો વિરોધ થયો હતો
તમને જણાવી દઇએ કે થોડા સમય પહેલા એક નિવેદનમાં શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે કંગના રણોત માટે અપશબ્દનો ઉપયોગ કર્યો હતો અને તેની આ વાતનો વિરોધ થઇ રહ્યો હતો અને અભિનેત્રી માફી માંગવામાં આવે તેવી વાતો થઇ રહી છે. જોકે સંજય રાઉત ઇચ્છે છે કે કંગના પહેલા પોતાના નિવેદન માટે માફી માંગે.
કંગનાએ 9 સપ્ટેમ્બરના રોજ મુંબઈ આવવાની વાત કહી હતી અને તેણે પડકાર આપ્યો હતો કે કોઈના બાપમાં હિંમત હોય તો તેને મુંબઇમાં આવતા રોકે. ન્યુઝ ચેનલે કંગનાના આ નિવદન પર સંજય રાઉતનું રીએક્શન માંગ્યું હતું. જેમાં સંજય રાઉથે કહ્યું કે, મહારાષ્ટ્ર માત્ર શિવસેનાની જાગીર નથી. બધી પાર્ટી તેમાં છે. અમે બધા સાથે મળીને નક્કી કરીશું.’