અમદાવાદ. શિવસેનાના પ્રવક્તા સંજય રાઉત અને બોલીવુડ અભિનેત્રી કંગના રણોત વચ્ચેના યુદ્ધમાં ગુજરાત ભાજપના નેતા અલ્પેશ ઠાકોર (Alpesh Thakor) એ ઝંપલાવ્યું છે. કંગના રણોતે મુંબઇને મીની પાકિસ્તાન કહ્યા બાદ શિવસેના સતત તેના પર પ્રહારો કરી રહ્યું છે. ત્યારે આજે રવિવારે મીડિયાએ સંજય રાઉત પાસે પહોંચ્યા ત્યારે તે (Sanjay Raut)) ભાન ભુલ્યા હતા અને નિવેદનમાં કહ્યું કે, “તે છોકરી (Kangana Ranaut) માં અમદાવાદને આવું કહેવાની હિંમત છે.?” જેને પગલે વિવાદ વધુ વકર્યો છે. ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે કહ્યું કે “તેણે અમદાવાદનું નામ લઇને ભુલ કરી છે. તે અમદાવાદીઓની માફી માંગે.”
બોલીવુડ અભિનેત્રી કંગના રણોત અને શિવસેના પ્રવક્તા સંજય રાઉત વચ્ચે ઘણા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. અભિનેતા સુશાંત સિંહ રાજપુતની આત્મહત્યા બાદ કંગના રણોત સતત શિવસેના પર પ્રહાર કરી રહી છે. તમને જણાવી દઇએ કે થોડા દિવસ પહેલા જ અભિનેત્રી કંગના રણોતે મુંબઇને મીની પાકિસ્તાન કહ્યું હતું. કંગનાના આ નિવેદન બાદથી શિવસેના સતત તેના પર પ્રહાર કરી રહ્યું છે. જેમાં સંયજ રાઉતે આજે નિવેદન આપતા મામલો ફરી ગરમ થયો છે. સંજય રાઉતના એક નિવેદનમાં કંગના પર આક્રોસ ઠાલવતા કહ્યું કે, જો તે છોકરી (કંગના રણોત) મહારાષ્ટ્રની માફી માંગે તો અમે વિચારી શકીએ છીએ. તેણે મુંબઇને મીની પાકિસ્તાન કહ્યું છે. શું તેનામાં અમદાવાદને આવું કહેવાની હિંમત છે.?
https://twitter.com/AlpeshThakor_/status/1302497004476534784
શું કહ્યું અલ્પેશ ઠાકોરે....
સંજય રાઉતના નિવેદન બાદ ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે કહ્યું કે, “ગુજરાત એ ગાંધી અને સરદારની ભુમિ છે. અમદાવાદ પરાક્રમી અને દાનવીરોની ભુમિ છે. અમદાવાદ તો દધિચિ જેવા ત્રુષિમુનીઓની ભુમિ છે. સંજય જી તમારે આ શબ્દનો ઉપયોગ કરતા શરમ આવવી જોઇએ. તમારે અમદાવાદીઓની માફી માંગ પડશે.” અલ્પેશ ઠાકોરે વધુમાં કહ્યું કે, “તેમણે આ વિવાદમાં અમદાવાદને વચ્ચે લાવવાની જરૂરી ન હતી. જો તેમનાથી ભુલથી બોલાઈ ગયું હોય તો તે માફી માંગી લે. નહીં તો તે જ્યારે અમદાવાદમાં આવશે તો તેમનું મોઢું કાળું કરવામાં આવશે.”
કંગનાએ 9 સપ્ટેમ્બરના રોજ મુંબઈ આવવાની વાત કહી હતી અને તેણે પડકાર આપ્યો હતો કે કોઈના બાપમાં હિંમત હોય તો તેને મુંબઇમાં આવતા રોકે. ન્યુઝ ચેનલે કંગનાના આ નિવદન પર સંજય રાઉતનું રીએક્શન માંગ્યું હતું. જેમાં સંજય રાઉથે કહ્યું કે, મહારાષ્ટ્ર માત્ર શિવસેનાની જાગીર નથી. બધી પાર્ટી તેમાં છે. અમે બધા સાથે મળીને નક્કી કરીશું.’
અમદાવાદ. શિવસેનાના પ્રવક્તા સંજય રાઉત અને બોલીવુડ અભિનેત્રી કંગના રણોત વચ્ચેના યુદ્ધમાં ગુજરાત ભાજપના નેતા અલ્પેશ ઠાકોર (Alpesh Thakor) એ ઝંપલાવ્યું છે. કંગના રણોતે મુંબઇને મીની પાકિસ્તાન કહ્યા બાદ શિવસેના સતત તેના પર પ્રહારો કરી રહ્યું છે. ત્યારે આજે રવિવારે મીડિયાએ સંજય રાઉત પાસે પહોંચ્યા ત્યારે તે (Sanjay Raut)) ભાન ભુલ્યા હતા અને નિવેદનમાં કહ્યું કે, “તે છોકરી (Kangana Ranaut) માં અમદાવાદને આવું કહેવાની હિંમત છે.?” જેને પગલે વિવાદ વધુ વકર્યો છે. ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે કહ્યું કે “તેણે અમદાવાદનું નામ લઇને ભુલ કરી છે. તે અમદાવાદીઓની માફી માંગે.”
બોલીવુડ અભિનેત્રી કંગના રણોત અને શિવસેના પ્રવક્તા સંજય રાઉત વચ્ચે ઘણા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. અભિનેતા સુશાંત સિંહ રાજપુતની આત્મહત્યા બાદ કંગના રણોત સતત શિવસેના પર પ્રહાર કરી રહી છે. તમને જણાવી દઇએ કે થોડા દિવસ પહેલા જ અભિનેત્રી કંગના રણોતે મુંબઇને મીની પાકિસ્તાન કહ્યું હતું. કંગનાના આ નિવેદન બાદથી શિવસેના સતત તેના પર પ્રહાર કરી રહ્યું છે. જેમાં સંયજ રાઉતે આજે નિવેદન આપતા મામલો ફરી ગરમ થયો છે. સંજય રાઉતના એક નિવેદનમાં કંગના પર આક્રોસ ઠાલવતા કહ્યું કે, જો તે છોકરી (કંગના રણોત) મહારાષ્ટ્રની માફી માંગે તો અમે વિચારી શકીએ છીએ. તેણે મુંબઇને મીની પાકિસ્તાન કહ્યું છે. શું તેનામાં અમદાવાદને આવું કહેવાની હિંમત છે.?
સંજય રાઉતના નિવેદન બાદ ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે કહ્યું કે, “ગુજરાત એ ગાંધી અને સરદારની ભુમિ છે. અમદાવાદ પરાક્રમી અને દાનવીરોની ભુમિ છે. અમદાવાદ તો દધિચિ જેવા ત્રુષિમુનીઓની ભુમિ છે. સંજય જી તમારે આ શબ્દનો ઉપયોગ કરતા શરમ આવવી જોઇએ. તમારે અમદાવાદીઓની માફી માંગ પડશે.” અલ્પેશ ઠાકોરે વધુમાં કહ્યું કે, “તેમણે આ વિવાદમાં અમદાવાદને વચ્ચે લાવવાની જરૂરી ન હતી. જો તેમનાથી ભુલથી બોલાઈ ગયું હોય તો તે માફી માંગી લે. નહીં તો તે જ્યારે અમદાવાદમાં આવશે તો તેમનું મોઢું કાળું કરવામાં આવશે.”
કંગનાએ 9 સપ્ટેમ્બરના રોજ મુંબઈ આવવાની વાત કહી હતી અને તેણે પડકાર આપ્યો હતો કે કોઈના બાપમાં હિંમત હોય તો તેને મુંબઇમાં આવતા રોકે. ન્યુઝ ચેનલે કંગનાના આ નિવદન પર સંજય રાઉતનું રીએક્શન માંગ્યું હતું. જેમાં સંજય રાઉથે કહ્યું કે, મહારાષ્ટ્ર માત્ર શિવસેનાની જાગીર નથી. બધી પાર્ટી તેમાં છે. અમે બધા સાથે મળીને નક્કી કરીશું.’