બે દિવસના સંપૂર્ણ કર્ફ્યુ બાદ અમદાવાદમાં સોમવારથી રાત્રી કર્ફ્યુનો અમલ શરૂ થયો હતો.
અમદાવાદ બાદ રાજ્યના અન્ય ત્રણ મહાનગરોમાં પણ રાત્રી કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો હતો.
અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રી કર્ફ્યુનો આજે ત્રીજો દિવસ
WatchGujarat. બે દિવસના સંપૂર્ણ કર્ફ્યુ બાદ અમદાવાદમાં સોમવારથી રાત્રી કર્ફ્યુનો અમલ કરવામાં આવ્યો હતો. અમદાવાદ સહીત રાજ્યના ત્રણ મહાનગર વડોદરા, સુરત અને રાજકોટમાં પણ રાત્રી કર્ફયુ લાદી દેવામાં આવ્યો છે. અમદાવાદમાં દિવાળી બાદ એકા એક કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો હતો. જેથી રાજ્ય સરકાર દ્વારા કોરોના સંક્રમણ રોકવા માટે તાત્કાલીક બે દિવસના સંપૂર્ણ કર્ફ્યુ સામે રાત્રી કર્ફયુ લાદી દેવામાં આવ્યો હતો. તેવામાં રાજ્યમાં લોકડાઉન ફરી એક વાર લોકડાઉન થશે તેવી ભારે અફવા ફેલાઇ હતી. જેના પરિણામે રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી. ત્યારે સોમવારે અમદવાદ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે રાત્રી કર્ફ્યુ અંગે જાહેરનામુ બહાર પાડી મહત્વની જાણકારી આપી હતી.
શહેરમાં દિવાળીના સમય ગાળા દરમિયાન બજોરોમાં ખુબ જ ભીડ જોવા મળી હતી. તહેવારમાં જાણે લોકો શહેરમાં કોરોના ખતમ થઇ ગયો હોય તેમ હરવા ફરવાની જગ્યાએ અને ખાણી પીણીની જગ્યાએ સરકારની ગાઇડલાઈનના ધજાગરા ઉડાડી જાહેરમાં નીકળી પડ્યા હતા. જેના કારણે કોરોનાના કેસોએ ફરી એકવાર ઉથલો મારતા શહેરમાં કોરોનાના કેસોમાં ધરખમ વધારો જોવા મળ્યો હતો. કરોનાને કાબુમાં લેવા માટે રાજ્ય સરકારે શુક્રવારે રાત્રે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી 57 કલાકનો અમદાવાદમાં સંપૂર્ણ કર્ફ્યુ લાગુ કર્યો હતો. પરંતુ તેમ છતાં કેસોની સંખ્યમાં કોઈ ઘટાડો જોવા મળ્યો ન હતો. તેમજ શિયાળાની ઋતુનું આગમન થવાથી પણ સામાન્ય રોગના કેસો જોવા મળ્યા હતા.
સંપૂર્ણ કર્ફ્યુ પુરો થયા બાદ રાજ્ય સરકાર દ્વારા રાજ્યના અન્ય મહાનગરોની જેમ અમદાવાદમાં પણ ફક્ત રાત્રે 9 થી સવારે 6 વાગય સુધી રાત્રી કર્ફ્યુ લાગુ કર્યો છે. જો કે કોરોનાનું સંક્ર્મણ વધુ ના ફેલાય તે હેતુસર અને લોકોના સ્વસ્થ અને સુરક્ષાને ધ્યાને લઇ અમદવાદ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે તા. 23 નવેમ્બરથી તા. 7 ડિસેમ્બર સુધી રાત્રીના 9 વાગ્યે થી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ અંગે જાહેર નામું બહાર પાડ્યું છે. અને શહેરીજનોને રાત્રી કર્ફ્યુ દરમિયાન ઘરની બહાર નહિ નીકળવા અપીલ કરી છે.
બે દિવસના સંપૂર્ણ કર્ફ્યુ બાદ અમદાવાદમાં સોમવારથી રાત્રી કર્ફ્યુનો અમલ શરૂ થયો હતો.
અમદાવાદ બાદ રાજ્યના અન્ય ત્રણ મહાનગરોમાં પણ રાત્રી કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો હતો.
અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રી કર્ફ્યુનો આજે ત્રીજો દિવસ
WatchGujarat. બે દિવસના સંપૂર્ણ કર્ફ્યુ બાદ અમદાવાદમાં સોમવારથી રાત્રી કર્ફ્યુનો અમલ કરવામાં આવ્યો હતો. અમદાવાદ સહીત રાજ્યના ત્રણ મહાનગર વડોદરા, સુરત અને રાજકોટમાં પણ રાત્રી કર્ફયુ લાદી દેવામાં આવ્યો છે. અમદાવાદમાં દિવાળી બાદ એકા એક કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો હતો. જેથી રાજ્ય સરકાર દ્વારા કોરોના સંક્રમણ રોકવા માટે તાત્કાલીક બે દિવસના સંપૂર્ણ કર્ફ્યુ સામે રાત્રી કર્ફયુ લાદી દેવામાં આવ્યો હતો. તેવામાં રાજ્યમાં લોકડાઉન ફરી એક વાર લોકડાઉન થશે તેવી ભારે અફવા ફેલાઇ હતી. જેના પરિણામે રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી. ત્યારે સોમવારે અમદવાદ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે રાત્રી કર્ફ્યુ અંગે જાહેરનામુ બહાર પાડી મહત્વની જાણકારી આપી હતી.
શહેરમાં દિવાળીના સમય ગાળા દરમિયાન બજોરોમાં ખુબ જ ભીડ જોવા મળી હતી. તહેવારમાં જાણે લોકો શહેરમાં કોરોના ખતમ થઇ ગયો હોય તેમ હરવા ફરવાની જગ્યાએ અને ખાણી પીણીની જગ્યાએ સરકારની ગાઇડલાઈનના ધજાગરા ઉડાડી જાહેરમાં નીકળી પડ્યા હતા. જેના કારણે કોરોનાના કેસોએ ફરી એકવાર ઉથલો મારતા શહેરમાં કોરોનાના કેસોમાં ધરખમ વધારો જોવા મળ્યો હતો. કરોનાને કાબુમાં લેવા માટે રાજ્ય સરકારે શુક્રવારે રાત્રે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી 57 કલાકનો અમદાવાદમાં સંપૂર્ણ કર્ફ્યુ લાગુ કર્યો હતો. પરંતુ તેમ છતાં કેસોની સંખ્યમાં કોઈ ઘટાડો જોવા મળ્યો ન હતો. તેમજ શિયાળાની ઋતુનું આગમન થવાથી પણ સામાન્ય રોગના કેસો જોવા મળ્યા હતા.
સંપૂર્ણ કર્ફ્યુ પુરો થયા બાદ રાજ્ય સરકાર દ્વારા રાજ્યના અન્ય મહાનગરોની જેમ અમદાવાદમાં પણ ફક્ત રાત્રે 9 થી સવારે 6 વાગય સુધી રાત્રી કર્ફ્યુ લાગુ કર્યો છે. જો કે કોરોનાનું સંક્ર્મણ વધુ ના ફેલાય તે હેતુસર અને લોકોના સ્વસ્થ અને સુરક્ષાને ધ્યાને લઇ અમદવાદ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે તા. 23 નવેમ્બરથી તા. 7 ડિસેમ્બર સુધી રાત્રીના 9 વાગ્યે થી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ અંગે જાહેર નામું બહાર પાડ્યું છે. અને શહેરીજનોને રાત્રી કર્ફ્યુ દરમિયાન ઘરની બહાર નહિ નીકળવા અપીલ કરી છે.