અમદાવાદ કોર્પોરેશનના ચોપડે નોંધાયેલા આકડા પ્રમાણે 30 ઓગસ્ટ સુધી શહેરમાં કુલ 17 હજારથી વધુ ખાડા થઇ ગયા છે
ખાડા પુરવાના કામમાં હવે ગતી પકડી છે. તેની પાછળનું કારણ ચુંટણી નજીક આવી રહી છે
અમદાવાદ :છેલ્લા ઘણા સમયથી અમદાવાદ શહેરના લોકો ખાડાવાળા રસ્તાઓથી ઘણા પરેશાન છે. ત્યારે મળતી માહિતી મુજબ અમદાવાદ શહેરમાં કુલ 17 હજારથી પણ વધુ ખાડા થઇ ગયા છે. અમદાવાદ કોર્પોરેશનના માર્ગ મકાન વિભાગના જણાવ્યા પ્રમાણે ‘તેમની ઇજનેર વિભાભ દરરોજ 600 થી 700 જેટલા ખાડા ભરે છે.’ પણ જે ખાડા પુરવામાં આવે છે તે સમયમાં જો વરસાદનું મોટુ ઝાપટું પડે છે તો તે ખાડા ફરી ખુલ્લા થઇ જાય છે.
અમદાવાદ કોર્પોરેશનના ચોપડે નોંધાયેલા આકડા પ્રમાણે 30 ઓગસ્ટ સુધી શહેરમાં કુલ 17 હજારથી વધુ ખાડા થઇ ગયા છે. તો તેમાં વિગત વાર વાત કરીએ તો કોર્પોરેશનના અધિકારીએ કહ્યું કે 23 ઓગસ્ટ સુધી શહેરમાં ખાડા પુરવા માટેની ફરીયાદ મળી છે તેના આકડો 6,097 હતો. પરંતુ તે સમય જતાં આ આકડા વધી રહ્યા હતા. રાજ્યમાં વરસાદનું જોર વધ્યું છે અને તેના કારણે અનેક શહેરોમાં કોર્પોરેશનની પોલ ખુલી ગઇ હતી. 30 ઓગસ્ટ સુધી શહેરમાં 17 હજારથી વધુ ખાડા પુરવા માટેની ફરીયાદ મળી છે અને તેના માટે કોર્પોરેશન કામ કરી રહ્યું છે.
જોકે તમને જણાવી દઇએ કે ખાડા પુરવાના કામમાં હવે ગતી પકડી છે. તેની પાછળનું કારણ ચુંટણી નજીક આવી રહી છે. આ કારણથી ધારાસભ્યો પોત પોતાના વિસ્તારમાં ખાડાની ફરીયાદનું તત્કાલ નિવારણ કરી રહ્યા છે. પણ વરસાદે જાણે તેમની મહેનત પર પાણી ફેરવી દીધા હોય તેમ તે ખાડા વરસાદના એક ઝાપટામાં ખુલ્લા પડી જાય છે. એટલે રસ્તામાં ખાડા હતા ત્યાને ત્યા પાછા જોવા મળે છે અને લોકોને હેરાનગતી અને પરેશાનીનો સતત સામનો કરવો પડે છે
અમદાવાદ કોર્પોરેશનના ચોપડે નોંધાયેલા આકડા પ્રમાણે 30 ઓગસ્ટ સુધી શહેરમાં કુલ 17 હજારથી વધુ ખાડા થઇ ગયા છે
ખાડા પુરવાના કામમાં હવે ગતી પકડી છે. તેની પાછળનું કારણ ચુંટણી નજીક આવી રહી છે
અમદાવાદ:છેલ્લા ઘણા સમયથી અમદાવાદ શહેરના લોકો ખાડાવાળા રસ્તાઓથી ઘણા પરેશાન છે. ત્યારે મળતી માહિતી મુજબ અમદાવાદ શહેરમાં કુલ 17 હજારથી પણ વધુ ખાડા થઇ ગયા છે. અમદાવાદ કોર્પોરેશનના માર્ગ મકાન વિભાગના જણાવ્યા પ્રમાણે ‘તેમની ઇજનેર વિભાભ દરરોજ 600 થી 700 જેટલા ખાડા ભરે છે.’ પણ જે ખાડા પુરવામાં આવે છે તે સમયમાં જો વરસાદનું મોટુ ઝાપટું પડે છે તો તે ખાડા ફરી ખુલ્લા થઇ જાય છે.
અમદાવાદ કોર્પોરેશનના ચોપડે નોંધાયેલા આકડા પ્રમાણે 30 ઓગસ્ટ સુધી શહેરમાં કુલ 17 હજારથી વધુ ખાડા થઇ ગયા છે. તો તેમાં વિગત વાર વાત કરીએ તો કોર્પોરેશનના અધિકારીએ કહ્યું કે 23 ઓગસ્ટ સુધી શહેરમાં ખાડા પુરવા માટેની ફરીયાદ મળી છે તેના આકડો 6,097 હતો. પરંતુ તે સમય જતાં આ આકડા વધી રહ્યા હતા. રાજ્યમાં વરસાદનું જોર વધ્યું છે અને તેના કારણે અનેક શહેરોમાં કોર્પોરેશનની પોલ ખુલી ગઇ હતી. 30 ઓગસ્ટ સુધી શહેરમાં 17 હજારથી વધુ ખાડા પુરવા માટેની ફરીયાદ મળી છે અને તેના માટે કોર્પોરેશન કામ કરી રહ્યું છે.
જોકે તમને જણાવી દઇએ કે ખાડા પુરવાના કામમાં હવે ગતી પકડી છે. તેની પાછળનું કારણ ચુંટણી નજીક આવી રહી છે. આ કારણથી ધારાસભ્યો પોત પોતાના વિસ્તારમાં ખાડાની ફરીયાદનું તત્કાલ નિવારણ કરી રહ્યા છે. પણ વરસાદે જાણે તેમની મહેનત પર પાણી ફેરવી દીધા હોય તેમ તે ખાડા વરસાદના એક ઝાપટામાં ખુલ્લા પડી જાય છે. એટલે રસ્તામાં ખાડા હતા ત્યાને ત્યા પાછા જોવા મળે છે અને લોકોને હેરાનગતી અને પરેશાનીનો સતત સામનો કરવો પડે છે