ઇતિહાસમાં પહેલીવાર ગાંધી બાપુની 151મી જન્મજયંતી સાદગીથી ઉજવણી કરવામાં આવી
કોરોનાની મહામારીના કારણે ગાંધી બાપુની જન્મજયંતી સાદગીથી ઉજવાઇ
સાદગી પુર્ણ રીતે પ્રાર્થના સભા કરવામાં આવી
અમદાવાદઃ કોરોના વાઇરસની શરૂઆત થઈ ત્યારથી જ દેશમાં તમામ તહેવારો સાદગીપૂર્ણ રીતે ઉજવવામાં આવી રહ્યા છે. ત્યારે ગાંધી જયંતિ પણ રાષ્ટ્રનો જ એક પર્વ છે. તે પણ કોરોના મહામારીના કારણે ઇતિહાસમાં પહેલીવાર ગાંધીજીની 151મી જન્મજયંતી સાદગી પુર્ણ રીતે ઉજવવામાં આવ્યો. ગાંધી જયંતિ નિમિતે સાબરમતી આશ્રમમાં માત્ર પ્રાર્થના સભા જ કરવામાં આવી હતી.
ગાંધી બાપુની કર્મ ભૂમિ એટલે સાબરમતી આશ્રમ. આ આશ્રમમાં દર વર્ષે ગાંધીજયંતિની ખૂબ જ ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે પરંતુ આ વર્ષે કોરોના વાઇરસના સંક્રમણના કારણે સાદગી પૂર્ણ રીતે પ્રાર્થના યોજીને જ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવી હતી અને તેમાં પણ આશ્રમના અમુક જ સભ્યોએ હાજર રહેવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
દર વર્ષે અનેક આગેવાનો સાથે મળીને પ્રાર્થના તો કરવામાં આવે છે ઉપરાંત ભજન તથા ગાંધીજી પર કાર્યક્રમ યોજવામાં આવે છે. પરંતુ સંક્રમણના ભયના કારણે પહેલીવાર કોઈની હાજરી વિના માત્ર પ્રાર્થના કરવામાં આવી અને આ પ્રાર્થનામાં કોઈ જોડાવવા માંગતું હોય તો તે આશ્રમની વેબસાઈટ પરથી જોડાવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
મહત્વનું છે કે કોરોનાની મહામારીના કારણે 6 માસથી ગાંધી આશ્રમ મુલાકાતીઓ માટે બંધ છે. આમ તો ગાંધી આશ્રમમાં રોજ અનેક લોકો મુલાકાત લેતા હોય છે. જેમાં ગુજરાત અને દેશ બહારના મુલાકાતીઓ વધુ હોય છે. ગાંધી આશ્રમની મુલાકાત અન્ય દેશોના રાષ્ટ્રપતિ અને અનેક નેતાઓ લઈ ચુક્યા છે.
બાપુના જન્મ સ્થળ પોરબંદરમાં પણ કીર્તિ મંદિરે સાદગીથી જન્મજયંતી ઉજવાઇ
પોરબંદરના કીર્તિ મંદિર ખાતે સવારે 8 વાગ્યે સર્વધર્મ પ્રાર્થના સભા આયોજિત કરાઈ હતી. કોરોના વાયરસને કારણે પહેલીવાર રાજ્યના મુખ્યમંત્રી ગાંધી જયંતી પર આવી શક્યા નહી. CM રૂપાણીએ ઓનલાઈન હાજરી આપીને બાપુને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ સમયે કીર્તિ મંદિર સંચાલન સમિતિના અધ્યક્ષ જવાહર ચાવડા પણ ઉપસ્થિત રહ્યા હતા.
ઇતિહાસમાં પહેલીવાર ગાંધી બાપુની 151મી જન્મજયંતી સાદગીથી ઉજવણી કરવામાં આવી
કોરોનાની મહામારીના કારણે ગાંધી બાપુની જન્મજયંતી સાદગીથી ઉજવાઇ
સાદગી પુર્ણ રીતે પ્રાર્થના સભા કરવામાં આવી
અમદાવાદઃ કોરોના વાઇરસની શરૂઆત થઈ ત્યારથી જ દેશમાં તમામ તહેવારો સાદગીપૂર્ણ રીતે ઉજવવામાં આવી રહ્યા છે. ત્યારે ગાંધી જયંતિ પણ રાષ્ટ્રનો જ એક પર્વ છે. તે પણ કોરોના મહામારીના કારણે ઇતિહાસમાં પહેલીવાર ગાંધીજીની 151મી જન્મજયંતી સાદગી પુર્ણ રીતે ઉજવવામાં આવ્યો. ગાંધી જયંતિ નિમિતે સાબરમતી આશ્રમમાં માત્ર પ્રાર્થના સભા જ કરવામાં આવી હતી.
ગાંધી બાપુની કર્મ ભૂમિ એટલે સાબરમતી આશ્રમ. આ આશ્રમમાં દર વર્ષે ગાંધીજયંતિની ખૂબ જ ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે પરંતુ આ વર્ષે કોરોના વાઇરસના સંક્રમણના કારણે સાદગી પૂર્ણ રીતે પ્રાર્થના યોજીને જ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવી હતી અને તેમાં પણ આશ્રમના અમુક જ સભ્યોએ હાજર રહેવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
દર વર્ષે અનેક આગેવાનો સાથે મળીને પ્રાર્થના તો કરવામાં આવે છે ઉપરાંત ભજન તથા ગાંધીજી પર કાર્યક્રમ યોજવામાં આવે છે. પરંતુ સંક્રમણના ભયના કારણે પહેલીવાર કોઈની હાજરી વિના માત્ર પ્રાર્થના કરવામાં આવી અને આ પ્રાર્થનામાં કોઈ જોડાવવા માંગતું હોય તો તે આશ્રમની વેબસાઈટ પરથી જોડાવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
મહત્વનું છે કે કોરોનાની મહામારીના કારણે 6 માસથી ગાંધી આશ્રમ મુલાકાતીઓ માટે બંધ છે. આમ તો ગાંધી આશ્રમમાં રોજ અનેક લોકો મુલાકાત લેતા હોય છે. જેમાં ગુજરાત અને દેશ બહારના મુલાકાતીઓ વધુ હોય છે. ગાંધી આશ્રમની મુલાકાત અન્ય દેશોના રાષ્ટ્રપતિ અને અનેક નેતાઓ લઈ ચુક્યા છે.
બાપુના જન્મ સ્થળ પોરબંદરમાં પણ કીર્તિ મંદિરે સાદગીથી જન્મજયંતી ઉજવાઇ
પોરબંદરના કીર્તિ મંદિર ખાતે સવારે 8 વાગ્યે સર્વધર્મ પ્રાર્થના સભા આયોજિત કરાઈ હતી. કોરોના વાયરસને કારણે પહેલીવાર રાજ્યના મુખ્યમંત્રી ગાંધી જયંતી પર આવી શક્યા નહી. CM રૂપાણીએ ઓનલાઈન હાજરી આપીને બાપુને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ સમયે કીર્તિ મંદિર સંચાલન સમિતિના અધ્યક્ષ જવાહર ચાવડા પણ ઉપસ્થિત રહ્યા હતા.