બાપુનગરમાં આવેલી કાકડીયા હોસ્પિટલથી નિકોલમાં આવેલી કોઠીયા હોસ્પિટલનું અંતર 2.6 કિલોમીટર છે અને 8 થી 10 મિનિટમાં પહોંચી શકાય
નિકોલના કોઠીયા હોસ્પિટલમાં પહોંચ્યા ત્યારે જનકભાઇને આંચકો લાગ્યો હતો કારણ કે એમ્બ્યુલન્સના ડ્રાઇવરે રુપિયા 11 હજાર માંગ્યા
સામાન્ય માણસને આટલુ ભાડુ ન પોસાય અને એવુ પણ બને કે પૈસાના અભાવે દર્દીને અન્ય હોસ્પિટલમાં લઇ જઇ પણ ન શકાય
સરકારે ખાનગી એમ્બ્યુલન્સના દરો પર પણ નિયમન કરવાની તાતી જરૂરીયાત
અમદાવાદ. બાપુનગરમાં આવેલી કાકડીયા હોસ્પિટલથી નિકોલમાં આવેલી કોઠીયા હોસ્પિટલનું અંતર 2.6 કિલોમીટર છે અને 8 થી 10 મિનિટમાં પહોંચી શકાય છે. નિકોલમાં રહેતા જનકભાઇ પાંચાણીના માતા ચંપાબહેનની તબિયત નાદુરસ્ત હોવાથી તેમને કાકડીયા હોસ્પિટલમાં તા. 28ના રોજ દાખલ કરાયા હતા. તેમની તબિયતમાં સુધારો ન થતા તેમનો કોવિડ ટેસ્ટ કરાયો હતો. જે પોઝીટીવ આવતા તેમને તાત્કાલિક કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવા માટે જણાવવામાં આવ્યુ હતુ.
નિકોલમાં આવેલી કોઠીયા હોસ્પિટલમાં દાખલ કરવાનું નક્કી કરાયુ આ માટે ચંપાબહેનને પરિવારજનોએ હોસ્પિટલના સંચાલકોને જ એમ્બ્યુલન્સ શોધી આપવાનું કહેતા હોસ્પિટલના સ્ટાફે એમ્બ્યુલન્સ મંગાવી આપી હતી. જ્યારે નિકોલના કોઠીયા હોસ્પિટલમાં પહોંચ્યા ત્યારે જનકભાઇને આંચકો લાગ્યો હતો કારણ કે એમ્બ્યુલન્સના ડ્રાઇવરે રુપિયા 11 હજાર માંગ્યા હતા. જો કે માતાની તબિયતની પ્રાથમિકતા હોવાને કારણે જનકભાઇ રુપિયા 11 હજાર આપી દીધા હતા.
બાદમાં એમ્બ્લુયલન્સનુ બિલ લેવા માટે હોસ્પિટલ ગયા તો ત્યાં તેમને એમ કહેવામાં આવ્યુ કે એમ્બ્યુલન્સ ખાનગી હતી અને હોસ્પિટલને તેની સાથે કનેકશન નથી. બાદમાં એમ્બ્યુલન્સના ડ્રાઇવરનો સંપર્ક કર્યો તો તેણે પણ બિલ આપવાની આનાકાની કરી. જેથી આ અંગે ધારાસભ્ય વલ્લભભાઇ કાકડીયાને કહેડાવ્યુ તો તેમણે પણ કહી દીધુ કે એમ્બ્યુલન્સ ખાનગી હતી જેથી હોસ્પિટલ તંત્રની જવાબદારી નથી.
આમ, માત્ર અઢી કિલોમીટરના 11 હજારનો ચાર્જ લઇને કાયદેસરની લૂંટ ચલાવવામાં આવી હતી. ત્યારે જનકભાઇનું કહેવુ છે કે એક સામાન્ય માણસને આટલુ ભાડુ ન પોસાય અને એવુ પણ બને કે પૈસાના અભાવે દર્દીને અન્ય હોસ્પિટલમાં લઇ જઇ પણ ન શકાય. તેવામાં સરકારે ખાનગી એમ્બ્યુલન્સના દરો પર પણ નિયમન રાખવું જોઇએ.
- બાપુનગરમાં આવેલી કાકડીયા હોસ્પિટલથી નિકોલમાં આવેલી કોઠીયા હોસ્પિટલનું અંતર 2.6 કિલોમીટર છે અને 8 થી 10 મિનિટમાં પહોંચી શકાય
- નિકોલના કોઠીયા હોસ્પિટલમાં પહોંચ્યા ત્યારે જનકભાઇને આંચકો લાગ્યો હતો કારણ કે એમ્બ્યુલન્સના ડ્રાઇવરે રુપિયા 11 હજાર માંગ્યા
- સામાન્ય માણસને આટલુ ભાડુ ન પોસાય અને એવુ પણ બને કે પૈસાના અભાવે દર્દીને અન્ય હોસ્પિટલમાં લઇ જઇ પણ ન શકાય
- સરકારે ખાનગી એમ્બ્યુલન્સના દરો પર પણ નિયમન કરવાની તાતી જરૂરીયાત
અમદાવાદ. બાપુનગરમાં આવેલી કાકડીયા હોસ્પિટલથી નિકોલમાં આવેલી કોઠીયા હોસ્પિટલનું અંતર 2.6 કિલોમીટર છે અને 8 થી 10 મિનિટમાં પહોંચી શકાય છે. નિકોલમાં રહેતા જનકભાઇ પાંચાણીના માતા ચંપાબહેનની તબિયત નાદુરસ્ત હોવાથી તેમને કાકડીયા હોસ્પિટલમાં તા. 28ના રોજ દાખલ કરાયા હતા. તેમની તબિયતમાં સુધારો ન થતા તેમનો કોવિડ ટેસ્ટ કરાયો હતો. જે પોઝીટીવ આવતા તેમને તાત્કાલિક કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવા માટે જણાવવામાં આવ્યુ હતુ.
નિકોલમાં આવેલી કોઠીયા હોસ્પિટલમાં દાખલ કરવાનું નક્કી કરાયુ આ માટે ચંપાબહેનને પરિવારજનોએ હોસ્પિટલના સંચાલકોને જ એમ્બ્યુલન્સ શોધી આપવાનું કહેતા હોસ્પિટલના સ્ટાફે એમ્બ્યુલન્સ મંગાવી આપી હતી. જ્યારે નિકોલના કોઠીયા હોસ્પિટલમાં પહોંચ્યા ત્યારે જનકભાઇને આંચકો લાગ્યો હતો કારણ કે એમ્બ્યુલન્સના ડ્રાઇવરે રુપિયા 11 હજાર માંગ્યા હતા. જો કે માતાની તબિયતની પ્રાથમિકતા હોવાને કારણે જનકભાઇ રુપિયા 11 હજાર આપી દીધા હતા.
બાદમાં એમ્બ્લુયલન્સનુ બિલ લેવા માટે હોસ્પિટલ ગયા તો ત્યાં તેમને એમ કહેવામાં આવ્યુ કે એમ્બ્યુલન્સ ખાનગી હતી અને હોસ્પિટલને તેની સાથે કનેકશન નથી. બાદમાં એમ્બ્યુલન્સના ડ્રાઇવરનો સંપર્ક કર્યો તો તેણે પણ બિલ આપવાની આનાકાની કરી. જેથી આ અંગે ધારાસભ્ય વલ્લભભાઇ કાકડીયાને કહેડાવ્યુ તો તેમણે પણ કહી દીધુ કે એમ્બ્યુલન્સ ખાનગી હતી જેથી હોસ્પિટલ તંત્રની જવાબદારી નથી.
આમ, માત્ર અઢી કિલોમીટરના 11 હજારનો ચાર્જ લઇને કાયદેસરની લૂંટ ચલાવવામાં આવી હતી. ત્યારે જનકભાઇનું કહેવુ છે કે એક સામાન્ય માણસને આટલુ ભાડુ ન પોસાય અને એવુ પણ બને કે પૈસાના અભાવે દર્દીને અન્ય હોસ્પિટલમાં લઇ જઇ પણ ન શકાય. તેવામાં સરકારે ખાનગી એમ્બ્યુલન્સના દરો પર પણ નિયમન રાખવું જોઇએ.