23 અને 24 સપ્ટેમ્બરા રોજ શહેરના તમામ કાઉન્સેલર અને અધિકારીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા
કુબેરનગર, સરદારનગર, વટવા અને સરખેજ વોર્ડનાં કોર્પોરેટર કોરોનાની ઝપટમાં આવી ગયા
અમદાવાદ. રાજ્યમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. સામાન્ય માણસથી લઇને નેતાઓ પણ આની ઝપટથી દૂર રહી શક્યા નથી. ત્યારે મળી રહેલી માહિતી પ્રમાણે અમદાવાદ ભાજપનાં 5 કાઉન્સિલરોનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તમને જણાવી દઇએ કે, કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે, ત્યારે રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે.
આજે શરૂ થયેલી અમદાવાદ કોર્પોરેશનની સામાન્ય સભા શરૂ થઇ છે. જેને પગલે 23 અને 24 સપ્ટેમ્બરા રોજ શહેરના તમામ કાઉન્સેલર અને અધિકારીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં ગઇકાલે 1 વ્યક્તિનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે ગઇકાલે રાત્રે આવેલા કોરોના રીપોર્ટમાં બીજા 4 કોર્પોરેટરના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
આ 4 વોર્ડના કોર્પોરેટરોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યા
શહેરના કુબેરનગર, સરદારનગર, વટવા અને સરખેજ વોર્ડનાં કોર્પોરેટર કોરોનાની ઝપટમાં આવી ગયા છે. કલાબેન યાદવ, બિપિન સિક્કા, ઉર્વશી ડાભી, પંકજસિંહ સોલંકી અને જેઠીબેન ડાંગર કે જેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે 20 થી વધુ કાઉન્સિલરો હોમ ક્વોરન્ટાઇન પણ થયા છે.
કોરોના પોઝિટિવ આવે તો પણ ઓનલાઇન સભામાં હાજર રહેવાનું રહેશે
23 અને 24 સપ્ટેમ્બરના રોજ સવારે 9 થી 5 વાગ્યા સુધી તમામ કાઉન્સિલરોએ ફરજિયાત કોરોના ટેસ્ટ કરાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જે કાઉન્સિરનો રિપોર્ટ પોઝિટિવ આવે તેઓએ ઓનલાઇન સભામાં હાજર રહેવાનું પણ કહેવામાં આવ્યું હતું.
- 23 અને 24 સપ્ટેમ્બરા રોજ શહેરના તમામ કાઉન્સેલર અને અધિકારીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા
- કુબેરનગર, સરદારનગર, વટવા અને સરખેજ વોર્ડનાં કોર્પોરેટર કોરોનાની ઝપટમાં આવી ગયા
અમદાવાદ. રાજ્યમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. સામાન્ય માણસથી લઇને નેતાઓ પણ આની ઝપટથી દૂર રહી શક્યા નથી. ત્યારે મળી રહેલી માહિતી પ્રમાણે અમદાવાદ ભાજપનાં 5 કાઉન્સિલરોનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તમને જણાવી દઇએ કે, કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે, ત્યારે રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે.
આજે શરૂ થયેલી અમદાવાદ કોર્પોરેશનની સામાન્ય સભા શરૂ થઇ છે. જેને પગલે 23 અને 24 સપ્ટેમ્બરા રોજ શહેરના તમામ કાઉન્સેલર અને અધિકારીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં ગઇકાલે 1 વ્યક્તિનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે ગઇકાલે રાત્રે આવેલા કોરોના રીપોર્ટમાં બીજા 4 કોર્પોરેટરના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
આ 4 વોર્ડના કોર્પોરેટરોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યા
શહેરના કુબેરનગર, સરદારનગર, વટવા અને સરખેજ વોર્ડનાં કોર્પોરેટર કોરોનાની ઝપટમાં આવી ગયા છે. કલાબેન યાદવ, બિપિન સિક્કા, ઉર્વશી ડાભી, પંકજસિંહ સોલંકી અને જેઠીબેન ડાંગર કે જેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે 20 થી વધુ કાઉન્સિલરો હોમ ક્વોરન્ટાઇન પણ થયા છે.
કોરોના પોઝિટિવ આવે તો પણ ઓનલાઇન સભામાં હાજર રહેવાનું રહેશે
23 અને 24 સપ્ટેમ્બરના રોજ સવારે 9 થી 5 વાગ્યા સુધી તમામ કાઉન્સિલરોએ ફરજિયાત કોરોના ટેસ્ટ કરાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જે કાઉન્સિરનો રિપોર્ટ પોઝિટિવ આવે તેઓએ ઓનલાઇન સભામાં હાજર રહેવાનું પણ કહેવામાં આવ્યું હતું.