કોર્પોરેશને શાકભાજીની લારી જપ્ત કરી લીધી
ડોમમાં હવે ખાનગી સિક્યોરીટી ગાર્ડ મુકવામાં આવશે
અમદાવાદ: શહેરમાં કોરોનાનું સંક્રમણ નિરંતર વધી રહ્યુ છે ત્યારે અમદાવાદ કોર્પોરેશન દ્વારા દરેક વિસ્તારમાં કોરોના ટેસ્ટ માટે ડોમ શરૂ કરવામાં આવ્યા છે. જ્યાં હાજર ડોક્ટર દ્વારા તુરંત ટેસ્ટ કરીને તમને કોરોના પોઝિટિવ છે કે નેગેટિવ તેનો જવાબ આપવામાં આવે છે. શહેરનાં ઘણાં વિસ્તારોમાં બનાવવામાં આવેલા ડોમ પર ડોક્ટરોની ગેરહાજરી ઉડીને આંખે વળગે છે. ઘણી જગ્યાએ ફક્ત ડોમ જ દેખાતા હતાં.
કોરોના ટેસ્ટ માટે બનાવેલા ડોમમાં શાકભાજીના વેપારીઓએ વેચાણ શરૂ કર્યું
કોરોના ટેસ્ટ માટે નિર્ધારિત કરેલ સમય 9 થી 5 છે ત્યાં કોઈ પણ ડોક્ટર કે કર્મચારી હાજર રહેતા ન હોવાની ફરિયાદો ઉઠી છે. તેઓ કેમ હાજર નથી તે અંગે તે વિસ્તારના મેડિકલ ઓફિસરને ખબર હશે, પરંતુ અસારવા ખાતે કોરોના ટેસ્ટ માટે બનાવવામાં આવેલ ડોમમાં શાકભાજીના વેપારીઓએ શાકભાજી વેચવાનું ચાલુ કરી દીધું હતું.
અમદાવાદમાં કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો 34,749 અને મોતનો આંકડો 1775 પર પહોંચ્યો છે. પશ્ચિમ ઝોનમાં કોરોના એક્ટિવ કેસનો આંકડો 641, ઉત્તર પશ્ચિમ ઝોનમાં કોરોના એક્ટિવ કેસનો આંકડો 637, દક્ષિણ ઝોનમાં 530 અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં કોરોના એક્ટિવ કેસનો આંકડો 524 છે.
શાકભાજીની લારી જપ્ત કરાઈ, હવે ડોમમાં ખાનગી સિક્યોરીટી ગાર્ડ ઉભા રખાશે
ગત અઠવાડિયા સુધી અહીં કોરોના ટેસ્ટ ચાલતા હતા પરંતુ હાલમાં અહીં કોઈ હાજર ન રહેતા ફેરીયાઓએ તકનો લાભ લઈને ત્યાં શાકભાજી વેચવાનું ચાલુ કરી દીધું હતું. આ વાત જાહેર થતાં અ.મ્યુનિ.કોર્પો. હરકતમાં આવ્યું હતું, ડોમ નીચે વેપાર કરતા શાકભાજીના ફેરીયાઓને ત્યાંથી હટાવવામાં આવ્યાં હતા. ઉપરાંત અહીંથી તમામ લારી-ગલ્લાઓ જપ્ત કરવામાં આવ્યા હતા. હાલ અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે કોરોના ટેસ્ટ માટે નિર્ધારિત કરેલો સમય 9 થી 5 છે અને બાદમાં તમામ ડોમ પાસે ખાનગી સિક્યોરીટી ગાર્ડ ઉભા રાખવામાં આવશે.
- કોર્પોરેશને શાકભાજીની લારી જપ્ત કરી લીધી
- ડોમમાં હવે ખાનગી સિક્યોરીટી ગાર્ડ મુકવામાં આવશે
અમદાવાદ: શહેરમાં કોરોનાનું સંક્રમણ નિરંતર વધી રહ્યુ છે ત્યારે અમદાવાદ કોર્પોરેશન દ્વારા દરેક વિસ્તારમાં કોરોના ટેસ્ટ માટે ડોમ શરૂ કરવામાં આવ્યા છે. જ્યાં હાજર ડોક્ટર દ્વારા તુરંત ટેસ્ટ કરીને તમને કોરોના પોઝિટિવ છે કે નેગેટિવ તેનો જવાબ આપવામાં આવે છે. શહેરનાં ઘણાં વિસ્તારોમાં બનાવવામાં આવેલા ડોમ પર ડોક્ટરોની ગેરહાજરી ઉડીને આંખે વળગે છે. ઘણી જગ્યાએ ફક્ત ડોમ જ દેખાતા હતાં.
કોરોના ટેસ્ટ માટે બનાવેલા ડોમમાં શાકભાજીના વેપારીઓએ વેચાણ શરૂ કર્યું
કોરોના ટેસ્ટ માટે નિર્ધારિત કરેલ સમય 9 થી 5 છે ત્યાં કોઈ પણ ડોક્ટર કે કર્મચારી હાજર રહેતા ન હોવાની ફરિયાદો ઉઠી છે. તેઓ કેમ હાજર નથી તે અંગે તે વિસ્તારના મેડિકલ ઓફિસરને ખબર હશે, પરંતુ અસારવા ખાતે કોરોના ટેસ્ટ માટે બનાવવામાં આવેલ ડોમમાં શાકભાજીના વેપારીઓએ શાકભાજી વેચવાનું ચાલુ કરી દીધું હતું.
અમદાવાદમાં કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો 34,749 અને મોતનો આંકડો 1775 પર પહોંચ્યો છે. પશ્ચિમ ઝોનમાં કોરોના એક્ટિવ કેસનો આંકડો 641, ઉત્તર પશ્ચિમ ઝોનમાં કોરોના એક્ટિવ કેસનો આંકડો 637, દક્ષિણ ઝોનમાં 530 અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં કોરોના એક્ટિવ કેસનો આંકડો 524 છે.
શાકભાજીની લારી જપ્ત કરાઈ, હવે ડોમમાં ખાનગી સિક્યોરીટી ગાર્ડ ઉભા રખાશે
ગત અઠવાડિયા સુધી અહીં કોરોના ટેસ્ટ ચાલતા હતા પરંતુ હાલમાં અહીં કોઈ હાજર ન રહેતા ફેરીયાઓએ તકનો લાભ લઈને ત્યાં શાકભાજી વેચવાનું ચાલુ કરી દીધું હતું. આ વાત જાહેર થતાં અ.મ્યુનિ.કોર્પો. હરકતમાં આવ્યું હતું, ડોમ નીચે વેપાર કરતા શાકભાજીના ફેરીયાઓને ત્યાંથી હટાવવામાં આવ્યાં હતા. ઉપરાંત અહીંથી તમામ લારી-ગલ્લાઓ જપ્ત કરવામાં આવ્યા હતા. હાલ અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે કોરોના ટેસ્ટ માટે નિર્ધારિત કરેલો સમય 9 થી 5 છે અને બાદમાં તમામ ડોમ પાસે ખાનગી સિક્યોરીટી ગાર્ડ ઉભા રાખવામાં આવશે.