ગાયક કિંજલ દવેને જોવા મોટી સંખ્યામાં જનમેદની માસ્ક વગર જોવા મળી
ભાજપના MLA પંડ્યાને મોટી સંખ્યામાં જનમેદની એકઠી કરવાની પરવાનગી કોણે આપી.?
આ સમગ્ર મામલામાં પોલીસ કેમ ચુંપ છે: કોંગ્રેસ
ડિસા : વડાપ્રધાન મોદી બૂમો પાડીને કહી રહ્યાં છે કે કોરોનાનું સંક્રમણ અટકાવવા માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવો અને જાહેર કાર્યક્રમો ન કરો. પણ દેશમાં અત્યાર સુધી 1 લાખ લોકોના કોરોનાએ જીવ લઇ લીધા છે તેમ છંતા ભાજપના નેતાઓને તેની કંઇ પડી નથી. પહેલા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે યાત્રા કરીને અનેક નેતાઓને અને કાર્યકર્તાઓને કોરોના સંક્રમણની ભેટ આપી અને હવે ડિસાના ભાજપના ધારાસભ્ય શશિકાંત પંડ્યાએ પણ બુદ્ધીનું પ્રદર્શન કરીને કોરોનાનું સંક્રમણ થાય તેવું કામ કર્યું છે.
https://youtu.be/nruZwH9KwoA
સોશિયલ ડિસ્ટન્સિંગના ઉડ્યા ધજાગરા
બનાસકાંઠાના ડીસાના એક ગામમાં એક રોડના ખાતમુહર્તમાં ભાજપના ધારાસભ્ય શશિકાંત પંડ્યા અને જાણીતા લોકગાયક કિંજલ દવેનો ઘોડા પર વરઘોડો કાઢવામાં આવ્યો હતો, જ્યાં મોટી સંખ્યામાં લોકો માસ્ક વગર ફરી રહ્યાં હતા, અહીં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાડવામાં આવ્યાં, રાજ્યમાં કોરોનાનું સંક્રમણ હજુ સુધી કાબૂમાં નથી આવ્યું અને ભાજપના નેતાઓ હવે તેમના પીએમ મોદીનું માનતા નથી, આવા તાઇફા કરી રહ્યાં છે. આજના આ દ્રશ્યો જોયા પછી એ નક્કિ છે કે આ બધા નેતાઓ બેદરકાર છે, શશિકાંત પંડ્યા અને ગાયક કિંજલ દવે સામે કાયદાકીય કાર્યવાહી થવી જોઇએ, આવી રીતે કોરોનાનાં વરઘોડા કાઢીને આ લોકોએ કોરોનાનું સંક્રમણ વધે તેવી સ્થિતી ઉભી કરી દીધી છે. કોંગ્રેસે પણ આ પંડ્યાં સામે કાર્યવાહીની માંગ કરી છે.
આટલી મોટી સંખ્યામાં લોકો એકઠા કરવાની પરવાનગી કોણે આપી?
એક તરફ જાહેર મેળાવડા અને સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમોમાં સિમિત લોકોને આમંત્રિત કરવાનો નિયમ છે ત્યારે સવાલ એ ઉઠે છે કે આ કાર્યક્રમમાં આટલી મોટી સંખ્યામાં લોકોને એકઠા કરવાની પરવાનગી કોણે આપી? વીડિયોમાં જોઇ શકાય છે કે કિંજલ દવે આ ધારાસભ્ય સાથે સેલ્ફી લઇ રહી છે. વીડિયો જોઇને લાગી રહ્યું છે કે ગાઇડલાઇન ફક્ત સામાન્ય લોકો માટે જ છે. નેતાઓ અને સેલેબ્રિટીઝને કોઇ કાયદા નડતાં નથી.
- ગાયક કિંજલ દવેને જોવા મોટી સંખ્યામાં જનમેદની માસ્ક વગર જોવા મળી
- ભાજપના MLA પંડ્યાને મોટી સંખ્યામાં જનમેદની એકઠી કરવાની પરવાનગી કોણે આપી.?
- આ સમગ્ર મામલામાં પોલીસ કેમ ચુંપ છે: કોંગ્રેસ
ડિસા : વડાપ્રધાન મોદી બૂમો પાડીને કહી રહ્યાં છે કે કોરોનાનું સંક્રમણ અટકાવવા માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવો અને જાહેર કાર્યક્રમો ન કરો. પણ દેશમાં અત્યાર સુધી 1 લાખ લોકોના કોરોનાએ જીવ લઇ લીધા છે તેમ છંતા ભાજપના નેતાઓને તેની કંઇ પડી નથી. પહેલા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે યાત્રા કરીને અનેક નેતાઓને અને કાર્યકર્તાઓને કોરોના સંક્રમણની ભેટ આપી અને હવે ડિસાના ભાજપના ધારાસભ્ય શશિકાંત પંડ્યાએ પણ બુદ્ધીનું પ્રદર્શન કરીને કોરોનાનું સંક્રમણ થાય તેવું કામ કર્યું છે.
સોશિયલ ડિસ્ટન્સિંગના ઉડ્યા ધજાગરા
બનાસકાંઠાના ડીસાના એક ગામમાં એક રોડના ખાતમુહર્તમાં ભાજપના ધારાસભ્ય શશિકાંત પંડ્યા અને જાણીતા લોકગાયક કિંજલ દવેનો ઘોડા પર વરઘોડો કાઢવામાં આવ્યો હતો, જ્યાં મોટી સંખ્યામાં લોકો માસ્ક વગર ફરી રહ્યાં હતા, અહીં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાડવામાં આવ્યાં, રાજ્યમાં કોરોનાનું સંક્રમણ હજુ સુધી કાબૂમાં નથી આવ્યું અને ભાજપના નેતાઓ હવે તેમના પીએમ મોદીનું માનતા નથી, આવા તાઇફા કરી રહ્યાં છે. આજના આ દ્રશ્યો જોયા પછી એ નક્કિ છે કે આ બધા નેતાઓ બેદરકાર છે, શશિકાંત પંડ્યા અને ગાયક કિંજલ દવે સામે કાયદાકીય કાર્યવાહી થવી જોઇએ, આવી રીતે કોરોનાનાં વરઘોડા કાઢીને આ લોકોએ કોરોનાનું સંક્રમણ વધે તેવી સ્થિતી ઉભી કરી દીધી છે. કોંગ્રેસે પણ આ પંડ્યાં સામે કાર્યવાહીની માંગ કરી છે.
આટલી મોટી સંખ્યામાં લોકો એકઠા કરવાની પરવાનગી કોણે આપી?
એક તરફ જાહેર મેળાવડા અને સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમોમાં સિમિત લોકોને આમંત્રિત કરવાનો નિયમ છે ત્યારે સવાલ એ ઉઠે છે કે આ કાર્યક્રમમાં આટલી મોટી સંખ્યામાં લોકોને એકઠા કરવાની પરવાનગી કોણે આપી? વીડિયોમાં જોઇ શકાય છે કે કિંજલ દવે આ ધારાસભ્ય સાથે સેલ્ફી લઇ રહી છે. વીડિયો જોઇને લાગી રહ્યું છે કે ગાઇડલાઇન ફક્ત સામાન્ય લોકો માટે જ છે. નેતાઓ અને સેલેબ્રિટીઝને કોઇ કાયદા નડતાં નથી.