16 હજાર કિલોના ચોખા અને ઘઉંને સરકારી ગોડાઉનમાંથી ખાનગી ગોડાઉનમાં લઇ જવાયા
ગરીબોને આપવાને બદલે બારોબાર અન્ય વેપારીઓને આ સરકારી અનાજ વેચવાનો હતો પ્લાન
અમદાવાદ. ગરીબોને રેશન કાર્ડના આધારે સરકારી ચોખા અને ઘઉં આપવામાં આવતા હતા. આ સરકારી ચોખા અને ઘઉંને બારોબાર વેચી દેવાનું કૌંભાંડ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. મળતી માહિતી પ્રમાણે અમદાવાદ સેક્ટર 2 ના JCP ની ટીમે આ મોટું કૌભાંડ પકડી પાડ્યું છે. જેમાં પોલીસે અત્યાર સુધી 5 સામે ફરિયાદ નોંધાયા બાદ આજે બપોરે તમામ 5 આરોપીની ધરપકડ કરી છે. હાલ તમામના કોરોના ટેસ્ટ કરવા માટે લઇ જવાયા.
પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણએ શાહીબાગના સરકારી અનાજના ગોડાઉનમાંથી 16 હજાર કિલો ચોખા અને ઘઉંને નરોડા ખાતે આવેલ GIDC ફેઝ 3 માં આવેલ ગોડાઉનમાં લાવી સગેવગે કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં અમદાવાદ સેક્ટર 2 ની ટીમે મહિલા દુકારનદારની સાથે તેના વહીવટદાર અને જે ટ્રકથી માલની હેરફેર કરવામાં આવી હતી તે ટ્રકના માલિક સહીત 5 લોકો સામે ગુનો નોંધ્યો છે અને ગણતરીની કલાકોમાં પોલીસે મહિલા સહીત તમામ 5 આરોપીની ધરકપડ કરી લીધી છે.
અમદાવાદ સેક્ટર 2 JCP ના ગૌતમ પરમારના જણાવ્યા અનુસાર તેમને બાતમી મળી હતી કે ગરીબોને રાશન કાર્ડના આધારે આપવામાં આવતા ચોખા અને ઘઉંને નરોડાના જીઆઇડીસીના ફેઝ 3 માં આવેલ એક ગોડાઉનમાં રાખવામાં આવ્યો છે અને ત્યાથી આ અનાજને સગેવગે કરવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે સેક્ટર 2 JCP ની ટીમે નરોડા જીઆઇડીસી ખાતે આવેલ ગોડાઉનમાં દરોડા પાડ્યા હતા. જ્યા ગોડાઉનમાં તપાસ કરતા સરકારના રેશનીંગનો 16 હજાર કિલોના ચોખા અને ઘઉં ભરેલી ટ્રક મળી આવી હતી.
જોકે પુરી તૈયારી સાથે ગયેલી પોલીસે ત્યા હાજર લોકો છટકી ન જાય તે માટે પુરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. જેને પગલે પોલીસે ગોડાઉનમાં તે સમયે હાજર ટ્રક ડ્રાઇવર અને ટ્રકના માલિક તથા ગોડાઉનના માલિક મળી આવ્યા હતા.
પોલીસે આ ત્રણેયની પુછપરછ કરતા તેમને જાણવા મળ્યું કે શાહીબાગના ઘોડાકેમ્પ ખાતે આવેલ સરકારી ગોડાઉનમાંથી ચોરી કરેલ સરકારી અનાજને શાહીબાદમાં જ આવેલ સનરાઇઝ પાર્કમાં આવેલ સરકારી અનાજની દુકાનમાં લઇ જવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર આ સરકારી અનાજની દુકાન ગીતાબેન ચુનારા નામની મહિલા ચલાવી રહી હતી.
આ ઘટના અંગે પોલીસે પુરવઠા વિભાગના અધિકારીઓને જાણ કરી હતી અને સમગ્ર જથ્થો કબ્જે કર્યો હતો. પોલીસે આ કેસમાં ઘટના સમયે 3 આરોપીની ધરપકડ કરી લીધી હતી. જ્યારે અન્ય 2ની શોધખોળ કરી રહી હતી. આ લખાય છે ત્યારે પોલીસે ગણતરીની કલાકોમાં અન્ય 2 આરોપીઓની પણ ધરપકડ કરી લીધી છે. હવે આ તમામ 5 આરોપીઓને કોરોના ટેસ્ટ માટે લઇ જવામાં આવ્યા છે.
ગરીબોને આપવાને બદલે બારોબાર અન્ય વેપારીઓને આ સરકારી અનાજ વેચવાનો હતો પ્લાન
અમદાવાદ. ગરીબોને રેશન કાર્ડના આધારે સરકારી ચોખા અને ઘઉં આપવામાં આવતા હતા. આ સરકારી ચોખા અને ઘઉંને બારોબાર વેચી દેવાનું કૌંભાંડ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. મળતી માહિતી પ્રમાણે અમદાવાદ સેક્ટર 2 ના JCP ની ટીમે આ મોટું કૌભાંડ પકડી પાડ્યું છે. જેમાં પોલીસે અત્યાર સુધી 5 સામે ફરિયાદ નોંધાયા બાદ આજે બપોરે તમામ 5 આરોપીની ધરપકડ કરી છે. હાલ તમામના કોરોના ટેસ્ટ કરવા માટે લઇ જવાયા.
પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણએ શાહીબાગના સરકારી અનાજના ગોડાઉનમાંથી 16 હજાર કિલો ચોખા અને ઘઉંને નરોડા ખાતે આવેલ GIDC ફેઝ 3 માં આવેલ ગોડાઉનમાં લાવી સગેવગે કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં અમદાવાદ સેક્ટર 2 ની ટીમે મહિલા દુકારનદારની સાથે તેના વહીવટદાર અને જે ટ્રકથી માલની હેરફેર કરવામાં આવી હતી તે ટ્રકના માલિક સહીત 5 લોકો સામે ગુનો નોંધ્યો છે અને ગણતરીની કલાકોમાં પોલીસે મહિલા સહીત તમામ 5 આરોપીની ધરકપડ કરી લીધી છે.
અમદાવાદ સેક્ટર 2 JCP ના ગૌતમ પરમારના જણાવ્યા અનુસાર તેમને બાતમી મળી હતી કે ગરીબોને રાશન કાર્ડના આધારે આપવામાં આવતા ચોખા અને ઘઉંને નરોડાના જીઆઇડીસીના ફેઝ 3 માં આવેલ એક ગોડાઉનમાં રાખવામાં આવ્યો છે અને ત્યાથી આ અનાજને સગેવગે કરવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે સેક્ટર 2 JCP ની ટીમે નરોડા જીઆઇડીસી ખાતે આવેલ ગોડાઉનમાં દરોડા પાડ્યા હતા. જ્યા ગોડાઉનમાં તપાસ કરતા સરકારના રેશનીંગનો 16 હજાર કિલોના ચોખા અને ઘઉં ભરેલી ટ્રક મળી આવી હતી.
જોકે પુરી તૈયારી સાથે ગયેલી પોલીસે ત્યા હાજર લોકો છટકી ન જાય તે માટે પુરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. જેને પગલે પોલીસે ગોડાઉનમાં તે સમયે હાજર ટ્રક ડ્રાઇવર અને ટ્રકના માલિક તથા ગોડાઉનના માલિક મળી આવ્યા હતા.
પોલીસે આ ત્રણેયની પુછપરછ કરતા તેમને જાણવા મળ્યું કે શાહીબાગના ઘોડાકેમ્પ ખાતે આવેલ સરકારી ગોડાઉનમાંથી ચોરી કરેલ સરકારી અનાજને શાહીબાદમાં જ આવેલ સનરાઇઝ પાર્કમાં આવેલ સરકારી અનાજની દુકાનમાં લઇ જવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર આ સરકારી અનાજની દુકાન ગીતાબેન ચુનારા નામની મહિલા ચલાવી રહી હતી.
આ ઘટના અંગે પોલીસે પુરવઠા વિભાગના અધિકારીઓને જાણ કરી હતી અને સમગ્ર જથ્થો કબ્જે કર્યો હતો. પોલીસે આ કેસમાં ઘટના સમયે 3 આરોપીની ધરપકડ કરી લીધી હતી. જ્યારે અન્ય 2ની શોધખોળ કરી રહી હતી. આ લખાય છે ત્યારે પોલીસે ગણતરીની કલાકોમાં અન્ય 2 આરોપીઓની પણ ધરપકડ કરી લીધી છે. હવે આ તમામ 5 આરોપીઓને કોરોના ટેસ્ટ માટે લઇ જવામાં આવ્યા છે.