કૉંગ્રેસની પ્રતિકાર રેલીમાં જોડાય તે પહેલા જ પોલીસે હાર્દિકની તેના ઘરેથી અટકાયત કરી
હાર્દિકને ધાંગધ્રા શહેરનું વોરંટ આપી અટકાયત કરાઇ
અમદાવાદ: યુ.પી.ના હાથરસની ઘટના બાદ ગુજરાતમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો થઇ રહ્યા છે. ત્યારે ગુજરાત કૉંગ્રેસ દ્વારા તેની સમર્થન રેલી યોજાવાની હતી. કોચરબ આશ્રમથી ગાંધી આશ્રમ સુધી યોજાનારી આ રેલીમાં કૉંગ્રેસ સહિતના અન્ય પક્ષના કાર્યકર્તાઓ જોડાવાના હતા. પરંતુ આ રેલી શરૂ થાય તે પહેલા જ પોલીસે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલને તેના નિવાસ સ્થાનેથી જ અટકાયત કરી લીધી છે. તો ઇમરાન ખેડાવાળાને તેમના ઘરમાં જ નજરકેદ કરવામાં આવ્યા છે. જ્યારે જિગ્નેશ ખેડાવાળાને એનેક્સીમાં નજરકેદ કરવામાં આવ્યા છે.
હાર્દિક પટેલને ધાંગધ્રા શહેરનું વોરંટ આપી અટકાયત કરાઇ
રેલી થતા પહેલાં જ કૉંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ હાર્દિક પટેલની અટકાયત કરી લેવામાં આવી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને યુવા નેતા હાર્દિક પટેલને સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરનું વોરંટ બતાવી અને સાંતેજ પોલીસ દ્વારા અટકાયત કરીને સાંતેજ પોલીસ સ્ટેશને લઇ જવામાં આવ્યાં છે.
રેલીને મંજુરી આપવામાં નથી આવી JCP રાજેન્દ્ર અસારી
આ ઘટનાને લઇને સેક્ટર 1 ના JCP રાજેન્દ્ર અસારીએ જણાવ્યું કે રેલીને મંજૂરી આપવામાં આવી નથી અને તમામ જગ્યાઓ પર પૂરતો પોલીસ બંદોબસ્ત રહેશે. વર્તમાન સમયમાં કોરોનાના વધુ કેસ હોવાથી અને સોશિયલ ડિસ્ટન્સ જળવાય નહીં તે માટે મંજૂરી આપવામાં આવી નથી. પ્રતિકાર રેલી ન યોજાય તે માટે 3 ડીસીપી સહિત સેકટર 1 ના તમામ PSI-PIને બંદોબસ્તમાં ગાઠવવામાં આવ્યાં છે.
અમદાવાદમાં કોંગ્રેસની નીકળનાર પ્રતિકાર રેલી માં ભારે સંખ્યામાં લોકો ઉમટી પડશે તેને ધ્યાનમાં લઇ શહેર ટ્રાફિક વિભાગ દ્વારા અમુક વિસ્તારો પર ટ્રાફિક બંધ કરી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. આ રૂટ પર વાહન વ્યવહાર હાલ બંધ રખાયો છે. અમદાવાદમાં સુભાષ બ્રિજ સર્કલથી વાડજ સર્કલ, બુટાસિહ ચાર રસ્તા, ડિલાઇટ સર્કલ, ઉસ્માનપુરા ચાર રસ્તા, નહેરુબ્રિજ ચાર રસ્તા, ટાઉનહોલ, પાલડી ચાર રસ્તા થી લઈ એન આઈ ડી થી વાડજ સ્મશાનગૃહ, રિવરફ્રન્ટ સુધીનો રૂટ બપોર 12 વાઞેથી રાત્રી ના 7 વાગ્યા સુધી વાહન વ્યવહાર માટે બંધ રહેશે.
નૌષાંદ સોલંકીએ નિવેદન આપ્યું છે કે, ગુજરાત પોલીસને હું અપીલ કરૂં છું કે રેલીમા ભાગ લેનાર લોકોની અટકાયત ન કરે. પોલીસ રેલીને સરકાર આપે , બિન જરૂરી ઉશ્કેરાટ ન થાય તે જરૂરી છે. આ રેલી દેશની દીકરીઓની ઇજ્જત બચવા માટે ગરીમાંપૂર્ણ યાત્રા છે. રાજ્ય સરકારને સંદેશો આપવા આ યાત્રા યોજી રહ્યા છીએ. બિન જરૂરી કોઇ અવરોધ ઉભો ન કરે.
કૉંગ્રેસની પ્રતિકાર રેલીમાં જોડાય તે પહેલા જ પોલીસે હાર્દિકની તેના ઘરેથી અટકાયત કરી
હાર્દિકને ધાંગધ્રા શહેરનું વોરંટ આપી અટકાયત કરાઇ
અમદાવાદ: યુ.પી.ના હાથરસની ઘટના બાદ ગુજરાતમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો થઇ રહ્યા છે. ત્યારે ગુજરાત કૉંગ્રેસ દ્વારા તેની સમર્થન રેલી યોજાવાની હતી. કોચરબ આશ્રમથી ગાંધી આશ્રમ સુધી યોજાનારી આ રેલીમાં કૉંગ્રેસ સહિતના અન્ય પક્ષના કાર્યકર્તાઓ જોડાવાના હતા. પરંતુ આ રેલી શરૂ થાય તે પહેલા જ પોલીસે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલને તેના નિવાસ સ્થાનેથી જ અટકાયત કરી લીધી છે. તો ઇમરાન ખેડાવાળાને તેમના ઘરમાં જ નજરકેદ કરવામાં આવ્યા છે. જ્યારે જિગ્નેશ ખેડાવાળાને એનેક્સીમાં નજરકેદ કરવામાં આવ્યા છે.
હાર્દિક પટેલને ધાંગધ્રા શહેરનું વોરંટ આપી અટકાયત કરાઇ
રેલી થતા પહેલાં જ કૉંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ હાર્દિક પટેલની અટકાયત કરી લેવામાં આવી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને યુવા નેતા હાર્દિક પટેલને સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરનું વોરંટ બતાવી અને સાંતેજ પોલીસ દ્વારા અટકાયત કરીને સાંતેજ પોલીસ સ્ટેશને લઇ જવામાં આવ્યાં છે.
રેલીને મંજુરી આપવામાં નથી આવી JCP રાજેન્દ્ર અસારી
આ ઘટનાને લઇને સેક્ટર 1 ના JCP રાજેન્દ્ર અસારીએ જણાવ્યું કે રેલીને મંજૂરી આપવામાં આવી નથી અને તમામ જગ્યાઓ પર પૂરતો પોલીસ બંદોબસ્ત રહેશે. વર્તમાન સમયમાં કોરોનાના વધુ કેસ હોવાથી અને સોશિયલ ડિસ્ટન્સ જળવાય નહીં તે માટે મંજૂરી આપવામાં આવી નથી. પ્રતિકાર રેલી ન યોજાય તે માટે 3 ડીસીપી સહિત સેકટર 1 ના તમામ PSI-PIને બંદોબસ્તમાં ગાઠવવામાં આવ્યાં છે.
અમદાવાદમાં કોંગ્રેસની નીકળનાર પ્રતિકાર રેલી માં ભારે સંખ્યામાં લોકો ઉમટી પડશે તેને ધ્યાનમાં લઇ શહેર ટ્રાફિક વિભાગ દ્વારા અમુક વિસ્તારો પર ટ્રાફિક બંધ કરી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. આ રૂટ પર વાહન વ્યવહાર હાલ બંધ રખાયો છે. અમદાવાદમાં સુભાષ બ્રિજ સર્કલથી વાડજ સર્કલ, બુટાસિહ ચાર રસ્તા, ડિલાઇટ સર્કલ, ઉસ્માનપુરા ચાર રસ્તા, નહેરુબ્રિજ ચાર રસ્તા, ટાઉનહોલ, પાલડી ચાર રસ્તા થી લઈ એન આઈ ડી થી વાડજ સ્મશાનગૃહ, રિવરફ્રન્ટ સુધીનો રૂટ બપોર 12 વાઞેથી રાત્રી ના 7 વાગ્યા સુધી વાહન વ્યવહાર માટે બંધ રહેશે.
નૌષાંદ સોલંકીએ નિવેદન આપ્યું છે કે, ગુજરાત પોલીસને હું અપીલ કરૂં છું કે રેલીમા ભાગ લેનાર લોકોની અટકાયત ન કરે. પોલીસ રેલીને સરકાર આપે , બિન જરૂરી ઉશ્કેરાટ ન થાય તે જરૂરી છે. આ રેલી દેશની દીકરીઓની ઇજ્જત બચવા માટે ગરીમાંપૂર્ણ યાત્રા છે. રાજ્ય સરકારને સંદેશો આપવા આ યાત્રા યોજી રહ્યા છીએ. બિન જરૂરી કોઇ અવરોધ ઉભો ન કરે.