અમદાવાદના જમાલપુર સરદાર બ્રિજથી વાસણા આંબેડકર બ્રિજ વચ્ચે સી-પ્લેન લેન્ડ કરશે
જેટી બનાવવા માટે આજે શનિવારે અમદાવાદમાં તોતીંગ સિમેન્ટના બ્લોક આવી ગયા છે. 20 ટનના કુલ 6 બ્લોક આવ્યા
અમદાવાદથી સ્ટેચ્યું ઓફ યુનિટી માટે રોજ 4 ઉડાણ ભરવામાં આવશે
અમદાવાદ.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સી-પ્લેન સેવાને ગુજરાતમાં શરૂ કરવા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. હાલ આ કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે. મહત્વનું છે કે વડાપ્રધાન મોદી 31 ઓક્ટોબરના રોજ ગુજરાત આવી રહ્યા છે અને ત્યારે તે સી-પ્લેનમાં બેસીને સાબરમતીથી કેવડિયા જઇ શકે છે.
તેના માટે અમદાવાદ રિવરફ્રન્ટ પર ફ્લોટિંગ જેટી બનાવવાનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. શહેરના જમાલપુર સરદાર બ્રિજથી વાસણા આંબેડકર બ્રિજ વચ્ચે સી-પ્લેન લેન્ડ કરશે. જેટી બનાવવા માટે આજે શનિવારે અમદાવાદમાં તોતીંગ સિમેન્ટના બ્લોક આવી ગયા છે. 20 ટનના કુલ 6 બ્લોક આવ્યા છે. આ બ્લોકને હવે રિવરફ્રન્ટમાં નક્કી કરેલી જગ્યા પર ગોઠવવામાં આવશે. આ બ્લોકના માધ્યમથી મુસાફરો સી-પ્લેન સુધી પહોંચશે.
સી-પ્લેનના એરોડ્રમ માટે આંહેડકર બ્રિજ પાસની જમીન ફાળવાઇ
સી-પ્લેનના એરોડ્રમ માટે આંબેડકર બ્રિજ પાસે જમીન ફાળવવામાં આવી
રીવરફ્રન્ટ પાસે સી-પ્લેનને લઇને ખાસ એરોડ્રમ તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ એરોડ્રમથી જ મુસાફરો સી-પ્લેન સુધી પહોંચી શકશે. જેના માટે સરકારે અને કોર્પોરેશને આંબેડકર બ્રિજ પાસે પાલડી બાજુની જમીન ફાળવવામાં આવી છે.
જાણો, સી-પ્લેન રોજ કેટલી ઉડના ભરશે અને કેટલો ચાર્જ રહેશે
કેન્દ્ર સરકારે સી-પ્લેન માટે 19 મુસાફરોની ક્ષમતા ધરાવતા પ્લેનની પસંદગી કરી લીધી છે. આ સી-પ્લેન અમદાવાદમાં સાબરમતીથી વિશ્વના સૌથી ઉચા સ્ટેચ્યું સરદાર પટેલના સ્ટેચ્યું ઓફ યુનિટી સુધી ઉડશે. આ અંતર 50 મીનીટનું રહેશે. તમને જણાવી દઇએ કે અમદાવાદથી સરદાર પટેલના સ્ટેચ્યું ઓફ યુનીટી રોડ મારફતે જાવ તો 3 કલાક જેટલો સમય લાગે છે.
અમદાવાદથી સ્ટેચ્યું ઓફ યુનિટી માટે રોજ 4 ઉડાણ ભરવામાં આવશે. તો સી-પ્લાનમાં 2 પાઇલટ અને 2 ઓન બોર્ડ ક્રુ મેમ્બર્સ રહેશે. આ રૂટનું ભાડુ 4 થી 5 હજાર હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે. જોકે તેના માટે ટુંક સમયમાં સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવશે.
જેટી બનાવવા માટે આજે શનિવારે અમદાવાદમાં તોતીંગ સિમેન્ટના બ્લોક આવી ગયા છે. 20 ટનના કુલ 6 બ્લોક આવ્યા
અમદાવાદથી સ્ટેચ્યું ઓફ યુનિટી માટે રોજ 4 ઉડાણ ભરવામાં આવશે
અમદાવાદ.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સી-પ્લેન સેવાને ગુજરાતમાં શરૂ કરવા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. હાલ આ કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે. મહત્વનું છે કે વડાપ્રધાન મોદી 31 ઓક્ટોબરના રોજ ગુજરાત આવી રહ્યા છે અને ત્યારે તે સી-પ્લેનમાં બેસીને સાબરમતીથી કેવડિયા જઇ શકે છે.
તેના માટે અમદાવાદ રિવરફ્રન્ટ પર ફ્લોટિંગ જેટી બનાવવાનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. શહેરના જમાલપુર સરદાર બ્રિજથી વાસણા આંબેડકર બ્રિજ વચ્ચે સી-પ્લેન લેન્ડ કરશે. જેટી બનાવવા માટે આજે શનિવારે અમદાવાદમાં તોતીંગ સિમેન્ટના બ્લોક આવી ગયા છે. 20 ટનના કુલ 6 બ્લોક આવ્યા છે. આ બ્લોકને હવે રિવરફ્રન્ટમાં નક્કી કરેલી જગ્યા પર ગોઠવવામાં આવશે. આ બ્લોકના માધ્યમથી મુસાફરો સી-પ્લેન સુધી પહોંચશે.
સી-પ્લેનના એરોડ્રમ માટે આંહેડકર બ્રિજ પાસની જમીન ફાળવાઇ
સી-પ્લેનના એરોડ્રમ માટે આંબેડકર બ્રિજ પાસે જમીન ફાળવવામાં આવી
રીવરફ્રન્ટ પાસે સી-પ્લેનને લઇને ખાસ એરોડ્રમ તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ એરોડ્રમથી જ મુસાફરો સી-પ્લેન સુધી પહોંચી શકશે. જેના માટે સરકારે અને કોર્પોરેશને આંબેડકર બ્રિજ પાસે પાલડી બાજુની જમીન ફાળવવામાં આવી છે.
જાણો, સી-પ્લેન રોજ કેટલી ઉડના ભરશે અને કેટલો ચાર્જ રહેશે
કેન્દ્ર સરકારે સી-પ્લેન માટે 19 મુસાફરોની ક્ષમતા ધરાવતા પ્લેનની પસંદગી કરી લીધી છે. આ સી-પ્લેન અમદાવાદમાં સાબરમતીથી વિશ્વના સૌથી ઉચા સ્ટેચ્યું સરદાર પટેલના સ્ટેચ્યું ઓફ યુનિટી સુધી ઉડશે. આ અંતર 50 મીનીટનું રહેશે. તમને જણાવી દઇએ કે અમદાવાદથી સરદાર પટેલના સ્ટેચ્યું ઓફ યુનીટી રોડ મારફતે જાવ તો 3 કલાક જેટલો સમય લાગે છે.
અમદાવાદથી સ્ટેચ્યું ઓફ યુનિટી માટે રોજ 4 ઉડાણ ભરવામાં આવશે. તો સી-પ્લાનમાં 2 પાઇલટ અને 2 ઓન બોર્ડ ક્રુ મેમ્બર્સ રહેશે. આ રૂટનું ભાડુ 4 થી 5 હજાર હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે. જોકે તેના માટે ટુંક સમયમાં સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવશે.