હાર્દિકે 1 મહિના પહેલા 12 સપ્તાહ સધી રાજ્ય બહાર જવાની અરજી કરી હતી.
રાજ્ય સરકારે હાર્દિકની અરજીનો કર્યો વિરોધ.
અમદાવાદ. હાર્દિક પટેલને વર્ષ 2015 માં રાજદ્રોહના કેસમાં ગુજરાત બહાર ન જવાની શરતે જામીન મંજુર કર્યા હતા. પણ હવે તેમાં ફેરફાર કરાવવા માટે હાર્દિક પટેલે અમદાવાદ સેશન્સ કોર્ટમાં અરજી કરી છે. હાર્દિક પટેલ તરફથી માંગ કરવામાં આવી છે કે તેને 12 સપ્તાહ સુધી ગુજરાત બહાર જવાની પરવાનગી આપવામાં આવે. મહત્વનું છે કે લગભગ એક મહિના પહેલા પણ હાર્દિક પટેલ દ્વારા આ પ્રકારની અરજી કરવામાં આવી હતી. આ અરજીને કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી હતી.
હાર્દિક પટેલની અરજી પર રાજ્ય સરકારનો ભારે વિરોધ
હાર્દિક પટેલ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી મુદ્દે રાજ્ય સરકારે ભારે વિરોધ કર્યો છે. રાજ્ય સરકાર તરફથી દલીલ કરવામાં આવી છે કે હાર્દિક નિયમોનું પાલન કરતો નથી અને ઘણીવાર મુદ્દો દરમિયાન પણ હાજર રહેતો નથી. જેથી તેને ગુજરાત બહાર જવાની પરવાનગી આપવામાં ન આવે. આ રજૂઆતને લગતી એફિડેવિટ પણ રાજ્ય સરકાર દ્વારા કોર્ટમાં રજૂ કરાઈ હતી.
વર્ષ 2015માં પાટીદાર અનામત આંદોલન દરમિયાન અમદાવાદ અને સમગ્ર રાજ્યમાં જે હિંસાની ઘટના બની હતી તેના બદલે રાજ્ય સરકાર દ્વારા હાર્દિક પટેલ પર રાજદ્રોહનો કેસ લાદવામાં આવ્યો હતો.
હાર્દિકે 1 મહિના પહેલા 12 સપ્તાહ સધી રાજ્ય બહાર જવાની અરજી કરી હતી.
રાજ્ય સરકારે હાર્દિકની અરજીનો કર્યો વિરોધ.
અમદાવાદ. હાર્દિક પટેલને વર્ષ 2015 માં રાજદ્રોહના કેસમાં ગુજરાત બહાર ન જવાની શરતે જામીન મંજુર કર્યા હતા. પણ હવે તેમાં ફેરફાર કરાવવા માટે હાર્દિક પટેલે અમદાવાદ સેશન્સ કોર્ટમાં અરજી કરી છે. હાર્દિક પટેલ તરફથી માંગ કરવામાં આવી છે કે તેને 12 સપ્તાહ સુધી ગુજરાત બહાર જવાની પરવાનગી આપવામાં આવે. મહત્વનું છે કે લગભગ એક મહિના પહેલા પણ હાર્દિક પટેલ દ્વારા આ પ્રકારની અરજી કરવામાં આવી હતી. આ અરજીને કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી હતી.
હાર્દિક પટેલની અરજી પર રાજ્ય સરકારનો ભારે વિરોધ
હાર્દિક પટેલ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી મુદ્દે રાજ્ય સરકારે ભારે વિરોધ કર્યો છે. રાજ્ય સરકાર તરફથી દલીલ કરવામાં આવી છે કે હાર્દિક નિયમોનું પાલન કરતો નથી અને ઘણીવાર મુદ્દો દરમિયાન પણ હાજર રહેતો નથી. જેથી તેને ગુજરાત બહાર જવાની પરવાનગી આપવામાં ન આવે. આ રજૂઆતને લગતી એફિડેવિટ પણ રાજ્ય સરકાર દ્વારા કોર્ટમાં રજૂ કરાઈ હતી.
વર્ષ 2015માં પાટીદાર અનામત આંદોલન દરમિયાન અમદાવાદ અને સમગ્ર રાજ્યમાં જે હિંસાની ઘટના બની હતી તેના બદલે રાજ્ય સરકાર દ્વારા હાર્દિક પટેલ પર રાજદ્રોહનો કેસ લાદવામાં આવ્યો હતો.