પોલીસે હોર્ન વગાડ્યા વગર શાંતિથી જવાનું કહેતા જાનૈયાઓ ઉશ્કેરાઈ ગયા
પોલીસકર્મીઓને જાહેરમાં માર મારવાનું શરૂ કર્યું
વેજલપુર પોલીસે મહિલાઓ સહિત 11 લોકો સામે ગુનો નોંધી વધુ તાપસ હાથ ધરી
WatchGujarat. જુહાપુરા વિસ્તારમાં ગત રાત્રે રીક્ષા અને બે એક્ટિવા પર હોર્ન વગાડી નીકળતા લોકોને પોલીસે અટકાવ્યા હતા. ત્યારે રિક્ષામાં બેઠેલા લોકોએ વહુને તેડીને ઘરે જઈએ છીએ તેમ જણાવ્યું હતું. પોલીસે હોર્ન વગાડ્યા વગર શાંતિથી જવાનું કહેતા જાનૈયાઓ ઉશ્કેરાઈ ગયા હતા અને પોલીસ સાથે બોલાચાલી કરી હતી. એટલું જ નહિ પણ પોલીસકર્મીઓને જાહેરમાં માર મારવાનું શરૂ કર્યું હતું. જેને પગલે વેજલપુર પોલીસે મહિલાઓ સહિત 11 લોકો સામે ગુનો નોંધી વધુ તાપસ હાથ ધરી છે. #રાત્રી કર્ફ્યુ
https://twitter.com/WatchGujarat/status/1338020436139917312?s=08
શહેરમાં રાત્રી કરફ્યુ લાગુ હોવા છતાં લોકો રાતે ઘરની બહાર નીકળતાં હોય છે. જો પોલીસ તેમને સમજાવી ઘરે જવા કહે તો કેટલાક લોકો પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરે છે. ગત રોજ બનેલા બનાવમાં પોલીસ સાથે બોલાચાલી અને ઝપાઝપી કરી હતી. દરમિયાન વધુ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ત્યારે 10 લોકોએ ભેગા મળી પોલીસકર્મીઓ પર હુમલો કર્યો હતો અને મારામારી શરૂ કરી દીધી હતી. બે પોલીસકર્મીઓને લાકડી મારતા તેઓને ઇજા થઇ હતી. પોલીસે મહિલાઓ સહિત 11 લોકો સામે પોલીસ પર હુમલો અને રાયોટિંગનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
આમ, કોરોના અટકાવવા માટે લાગુ કરવામાં વેળા રાત્રી કર્ફ્યુનું પાલન કરાવવા જતા પોલીસ કર્મીઓ પર લોકોએ હુમલો કર્યો હોવાનું ઘટના અમદાવાદમાં સામે આવી હતી.
આરોપીઓ ના નામ -
મોહંમદ ઝહીર અબ્દુલ રસીદ શેખમોહંમદ અયાઝ મોહંમદ ઝહીરમોહંમદ અનસ મોહંમદ ઝહીર શેખમોહંમદ અલમાસમોહંમદ જૈદસમીમબાનુફરઝાના (જૈદ ની પત્ની)ફરઝાના બાનું (પાડોશી)અફસરા (અયાઝ ની પત્ની)આબિદભાઈ મોહંમદભાઈ મન્સૂરીઇમરાન ઐયુબભાઈ શેખ (અયાઝ નો સાળો)
More #રાત્રી કર્ફ્યુ #Juhapura #Marriage #Procession #Attack #Police #Ahmedabad News
પોલીસે હોર્ન વગાડ્યા વગર શાંતિથી જવાનું કહેતા જાનૈયાઓ ઉશ્કેરાઈ ગયા
પોલીસકર્મીઓને જાહેરમાં માર મારવાનું શરૂ કર્યું
વેજલપુર પોલીસે મહિલાઓ સહિત 11 લોકો સામે ગુનો નોંધી વધુ તાપસ હાથ ધરી
WatchGujarat. જુહાપુરા વિસ્તારમાં ગત રાત્રે રીક્ષા અને બે એક્ટિવા પર હોર્ન વગાડી નીકળતા લોકોને પોલીસે અટકાવ્યા હતા. ત્યારે રિક્ષામાં બેઠેલા લોકોએ વહુને તેડીને ઘરે જઈએ છીએ તેમ જણાવ્યું હતું. પોલીસે હોર્ન વગાડ્યા વગર શાંતિથી જવાનું કહેતા જાનૈયાઓ ઉશ્કેરાઈ ગયા હતા અને પોલીસ સાથે બોલાચાલી કરી હતી. એટલું જ નહિ પણ પોલીસકર્મીઓને જાહેરમાં માર મારવાનું શરૂ કર્યું હતું. જેને પગલે વેજલપુર પોલીસે મહિલાઓ સહિત 11 લોકો સામે ગુનો નોંધી વધુ તાપસ હાથ ધરી છે. #રાત્રી કર્ફ્યુ
શહેરમાં રાત્રી કરફ્યુ લાગુ હોવા છતાં લોકો રાતે ઘરની બહાર નીકળતાં હોય છે. જો પોલીસ તેમને સમજાવી ઘરે જવા કહે તો કેટલાક લોકો પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરે છે. ગત રોજ બનેલા બનાવમાં પોલીસ સાથે બોલાચાલી અને ઝપાઝપી કરી હતી. દરમિયાન વધુ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ત્યારે 10 લોકોએ ભેગા મળી પોલીસકર્મીઓ પર હુમલો કર્યો હતો અને મારામારી શરૂ કરી દીધી હતી. બે પોલીસકર્મીઓને લાકડી મારતા તેઓને ઇજા થઇ હતી. પોલીસે મહિલાઓ સહિત 11 લોકો સામે પોલીસ પર હુમલો અને રાયોટિંગનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
આમ, કોરોના અટકાવવા માટે લાગુ કરવામાં વેળા રાત્રી કર્ફ્યુનું પાલન કરાવવા જતા પોલીસ કર્મીઓ પર લોકોએ હુમલો કર્યો હોવાનું ઘટના અમદાવાદમાં સામે આવી હતી.