સાળા બનેવી વચ્ચે કોઈ બાબતમાં અગાઉ ઝગડો થયેલો
ઘર કા ભૈદી લંકા ઢાયેની જેમ બનેવીએ જ સાળાને તલવારના ઘા ઝીંકીને પતાવી દીધો હોવાનું સામે આવ્યું
WatchGujarat. Ahmedabad - શહેરના સોલા, ચાંદલોડિયા સહિતના વિસ્તારોમાં અપહરણ, ખંડણી, હત્યાના પ્રયાસ સહિતના ગુનામાં સંડોવાયેલા ગુનેગાર પ્રદીપ ઉર્ફે માયા ડોનની પારિવારીક બનેવીએ અંગત અદાવતમાં હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે.સોલા પોલીસે સમગ્ર મામલે બે આરોપીઓની અટકાયત કરી છે.
પ્રાથમિક માહિતી પ્રમાણે. ચાંદલોડિયામાં અનેક ગુનામાં સંડોવાયેલા પ્રદીપ ઉર્ફે માયા ડોનની પારિવારીક બનેવી અગાઉના ઝઘડામાં સમાધાન બાદ હત્યા કરી નાખી છે. ઘર કા ભૈદી લંકા ઢાયેની જેમ બનેવીએ જ સાળાને તલવારના ઘા ઝીંકીને પતાવી દીધો હોવાનું સામે આવ્યું છે.
મળસ્કે માયા ડોનની તલવારોના ઘા ઝીંકીને કરપીણ હત્યા કરવામાં આવી છે. અગાઉના ઝઘડામાં સમાધાન બાદ અનિષ પાંડે નામના શખ્સે હત્યા કરી હોવાનો આરોપ છે. માયા ડોન અને અનિષ પાંડે સાળો બનેવી હતા. સાળા બનેવી વચ્ચે કોઈ બાબતમાં અગાઉ ઝગડો થયેલો, તેના અનુસંધાને સમાધાન કરવા ગતરોજ રાત્રે 2 વાગ્યે મળ્યા હતા. ત્યારે ફરીથી વધુ બોલાચાલી થતા અનિષ પાંડે ત્યાંથી નીકળી ગયેલો અને સવારે વહેલા 5 થી 6 વાગ્યાના અરસામાં આરોપીઓને સાથે લાવી હત્યાને અંજામ આપ્યો હતો. #Ahmedabad
[caption id="attachment_33664" align="aligncenter" width="731"] પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી[/caption]
માયા ડોન વિરુદ્ધ વટવામાં ફરિયાદ નોંધાઈ હતી. ખેડૂત પાસે રૂ.50 લાખની ખંડણી માંગી હતી. તેની સામે અપહરણ અને ખંડણીના અનેક ગુના નોંધાયા હતા. એ સિવાય પણ આસપાસના લોકોને માયાડોન દ્વારા ભારે પજવણી કરવામાં આવતી હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઇ રહ્યું છે.
More #Maya Don #Murder #Chandlodiya Area #Ahmedabad News
સાળા બનેવી વચ્ચે કોઈ બાબતમાં અગાઉ ઝગડો થયેલો
ઘર કા ભૈદી લંકા ઢાયેની જેમ બનેવીએ જ સાળાને તલવારના ઘા ઝીંકીને પતાવી દીધો હોવાનું સામે આવ્યું
WatchGujarat. Ahmedabad - શહેરના સોલા, ચાંદલોડિયા સહિતના વિસ્તારોમાં અપહરણ, ખંડણી, હત્યાના પ્રયાસ સહિતના ગુનામાં સંડોવાયેલા ગુનેગાર પ્રદીપ ઉર્ફે માયા ડોનની પારિવારીક બનેવીએ અંગત અદાવતમાં હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે.સોલા પોલીસે સમગ્ર મામલે બે આરોપીઓની અટકાયત કરી છે.
પ્રાથમિક માહિતી પ્રમાણે. ચાંદલોડિયામાં અનેક ગુનામાં સંડોવાયેલા પ્રદીપ ઉર્ફે માયા ડોનની પારિવારીક બનેવી અગાઉના ઝઘડામાં સમાધાન બાદ હત્યા કરી નાખી છે. ઘર કા ભૈદી લંકા ઢાયેની જેમ બનેવીએ જ સાળાને તલવારના ઘા ઝીંકીને પતાવી દીધો હોવાનું સામે આવ્યું છે.
મળસ્કે માયા ડોનની તલવારોના ઘા ઝીંકીને કરપીણ હત્યા કરવામાં આવી છે. અગાઉના ઝઘડામાં સમાધાન બાદ અનિષ પાંડે નામના શખ્સે હત્યા કરી હોવાનો આરોપ છે. માયા ડોન અને અનિષ પાંડે સાળો બનેવી હતા. સાળા બનેવી વચ્ચે કોઈ બાબતમાં અગાઉ ઝગડો થયેલો, તેના અનુસંધાને સમાધાન કરવા ગતરોજ રાત્રે 2 વાગ્યે મળ્યા હતા. ત્યારે ફરીથી વધુ બોલાચાલી થતા અનિષ પાંડે ત્યાંથી નીકળી ગયેલો અને સવારે વહેલા 5 થી 6 વાગ્યાના અરસામાં આરોપીઓને સાથે લાવી હત્યાને અંજામ આપ્યો હતો. #Ahmedabad
માયા ડોન વિરુદ્ધ વટવામાં ફરિયાદ નોંધાઈ હતી. ખેડૂત પાસે રૂ.50 લાખની ખંડણી માંગી હતી. તેની સામે અપહરણ અને ખંડણીના અનેક ગુના નોંધાયા હતા. એ સિવાય પણ આસપાસના લોકોને માયાડોન દ્વારા ભારે પજવણી કરવામાં આવતી હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઇ રહ્યું છે.
More #Maya Don #Murder #Chandlodiya Area #Ahmedabad News