[caption id="attachment_14847" align="aligncenter" width="1280"] આરોગ્ય મંત્રી કિશોર કાનાની[/caption]
અમદાવાદ. ગુજરાતમાં છેલ્લા બે દિવસથી આરોગ્યમંત્રી કિશોર કાનાનીના નામે વધી રહેલા કોરોના કેસ સામે સાવચેતી રાખવાનો મેસેજ સોશિયલ મીડિયા પર ફરી રહ્યો છે. જેના કારણે લોકોમાં ચિંતાની સાથે અટકળો થવા માંડી છે કે શું ખરેખર રાજ્યમાં કોરોનાનો ફરી વિસ્ફોટ થઇ રહ્યો છે. જો કે છેલ્લા બે દિવસમાં દિવાળીના તહેવારોમાં અમદાવાદ સહિત ગુજરાતના ઘણા શહેરોમાં કોરોનાના કેસોની સંખ્યામાં ચોંકાવનારો વધારો નોંધાયો છે. તેને પગલે ડેપ્યુટી સીએમ નીતીન પટેલે સિવિલ હોસ્પિટલની મુલાકાત લઇ સમીક્ષા પણ કરી હતી.
[caption id="attachment_14848" align="aligncenter" width="467"] વાઇરલ મેસેજ[/caption]
ત્યારે સોશિયલ મીડિયા પર સોસાયટીના ચેરમેન, સેક્રેટરી, આગેવાનોને સંબોધીને એક મેસેઝ ફરી રહ્યો હતો. આરોગ્યમંત્રી કિશોર કાનાનીના નામે ફરી રહેલા આ મેસેજમાં સોસાયટીને જવાબદારોને સ્વૈચ્છિક લોકડાઉન કરવાની અપીલ કરવામાં આવી હતી. જેના પગલે લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો. જેના પગલે આરોગ્યમંત્રી કિશોર કાનાનીએ વીડિયો મારફતે સ્પષ્ટતા કરી હતી. અને આ તદન ખોટો મેસેજ છે. તેમ જણાવ્યું હતું.
https://youtu.be/lRbQ79YZmz8
“જય શ્રી ક્રિષ્ના ભાઈઓ તથા બેહનો હમણાં સોશ્યિલ મીડિયા દ્વારા મારા નામનો એક મેસેજ વાયરલ કરવામાં આવ્યો છે. સોસાયટીના પ્રમુખો સેક્રેટરીને સંબોધીને આ મેસેજ આપવામાં આવ્યો છે. તેમાં જણાવાયું છે કે સોસાયટીએ પોતાએ સ્વેછાએ લોકડાઉન કરવું અને લોકડાઉનનો અમલ કરવો.આ મેસેજ બિલકુલ વાહિયાત અને બોગસ છે.મારા નામથી કોઈ વિઘ્નસંતોષી દ્વારા આ મેસેજ વાયરલ કરવામાં આવ્યો છે.કોઈ વિઘ્નસંતોષી દ્વારા વાતવરણમાં ભય પેદા કરવાનો પ્રયાસ કર્યો છે.અત્યારે પરિસ્થિતિ બિલકુલ સારી છે. આપણે કોઈ લોકડાઉનની વાત જ નથી.એટલા માટે મારા નામથી થયેલો આ મેસેજ બિલકુલ ખોટો છે.તો આપણે આ મેસેજથી કોઈ ગભરાવાની જરૂર નથી.આપણી પરિસ્થિતિ ખુબ જ સારી છે.અને આપણે સૌ શાંતિ પૂર્વક સાવચેતી પૂર્વક આ કોરોનાનો જંગ લડીએ અને આવા ખોટા મેસેજથી પ્રભાવિત ન થયે તે જ આપણે પ્રાર્થના કરું છું.”
અમદાવાદ.ગુજરાતમાં છેલ્લા બે દિવસથી આરોગ્યમંત્રી કિશોર કાનાનીના નામે વધી રહેલા કોરોના કેસ સામે સાવચેતી રાખવાનો મેસેજ સોશિયલ મીડિયા પર ફરી રહ્યો છે. જેના કારણે લોકોમાં ચિંતાની સાથે અટકળો થવા માંડી છે કે શું ખરેખર રાજ્યમાં કોરોનાનો ફરી વિસ્ફોટ થઇ રહ્યો છે. જો કે છેલ્લા બે દિવસમાં દિવાળીના તહેવારોમાં અમદાવાદ સહિત ગુજરાતના ઘણા શહેરોમાં કોરોનાના કેસોની સંખ્યામાં ચોંકાવનારો વધારો નોંધાયો છે. તેને પગલે ડેપ્યુટી સીએમ નીતીન પટેલે સિવિલ હોસ્પિટલની મુલાકાત લઇ સમીક્ષા પણ કરી હતી.
ત્યારે સોશિયલ મીડિયા પર સોસાયટીના ચેરમેન, સેક્રેટરી, આગેવાનોને સંબોધીને એક મેસેઝ ફરી રહ્યો હતો. આરોગ્યમંત્રી કિશોર કાનાનીના નામે ફરી રહેલા આ મેસેજમાં સોસાયટીને જવાબદારોને સ્વૈચ્છિક લોકડાઉન કરવાની અપીલ કરવામાં આવી હતી. જેના પગલે લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો. જેના પગલે આરોગ્યમંત્રી કિશોર કાનાનીએ વીડિયો મારફતે સ્પષ્ટતા કરી હતી. અને આ તદન ખોટો મેસેજ છે. તેમ જણાવ્યું હતું.
“જય શ્રી ક્રિષ્ના ભાઈઓ તથા બેહનો હમણાં સોશ્યિલ મીડિયા દ્વારા મારા નામનો એક મેસેજ વાયરલ કરવામાં આવ્યો છે. સોસાયટીના પ્રમુખો સેક્રેટરીને સંબોધીને આ મેસેજ આપવામાં આવ્યો છે. તેમાં જણાવાયું છે કે સોસાયટીએ પોતાએ સ્વેછાએ લોકડાઉન કરવું અને લોકડાઉનનો અમલ કરવો.આ મેસેજ બિલકુલ વાહિયાત અને બોગસ છે.મારા નામથી કોઈ વિઘ્નસંતોષી દ્વારા આ મેસેજ વાયરલ કરવામાં આવ્યો છે.કોઈ વિઘ્નસંતોષી દ્વારા વાતવરણમાં ભય પેદા કરવાનો પ્રયાસ કર્યો છે.અત્યારે પરિસ્થિતિ બિલકુલ સારી છે. આપણે કોઈ લોકડાઉનની વાત જ નથી.એટલા માટે મારા નામથી થયેલો આ મેસેજ બિલકુલ ખોટો છે.તો આપણે આ મેસેજથી કોઈ ગભરાવાની જરૂર નથી.આપણી પરિસ્થિતિ ખુબ જ સારી છે.અને આપણે સૌ શાંતિ પૂર્વક સાવચેતી પૂર્વક આ કોરોનાનો જંગ લડીએ અને આવા ખોટા મેસેજથી પ્રભાવિત ન થયે તે જ આપણે પ્રાર્થના કરું છું.”