અમદાવાદ :અનલોક-4 માં ટ્રેન સહિતની સેવા શરુ કરવામાં આવી છે. હવે અમદાવાદીઓ માટે પણ સારા સમાચાર છે કે શહેરમાં 10 સપ્ટેમ્બરથી AMTS અને BRTS ની સેવા સંપૂર્ણ રીતે શરૂ કરી દેવામાં આવશે.
પરંતુ માત્ર 50 ટકા બસો જ દોડાવવામાં આવતી હતી. પરંતુ અનલોક 4માં બસ સેવા પહેલાની જેમ કાર્યરત કરવાનો નિર્ણય લેવાયો છે. આવતીકાલથી ગુરુવારથી અમદાવાદભરમાં AMTS અને BRTS બસો દોડશે.
જાણો, ક્યારથી અને ક્યાં શરૂ થશે બસ સેવા
આવતીકાલે અમદાવાદમાં સવારે 6થી રાતે 11 વાગ્યા સુધી 149 રૂટ પર 700 બસો દોડશે. તેમજ BRTSના 13 રૂટ પર 222 બસો દોડતી થઈ જશે. પરંતુ આ માટે કેટલાક નિયમોનો અમલ કરવાનો રહેશે. કોરોના મહામારીમાં સોશિયલ ડિસ્ટન્સિંગથી લઈને સેનેટાઈઝેશન સુધીની તમામ કાળજી રાખવામાં આવશે.
મુસાફરોએ ધ્યાનમાં રાખવાના નિયમો
1) AMTSની બસ જ્યાંથી ઉપડશે ત્યાંથી જ બસમાં મુસાફરોને લેવામાં આવશે. વચ્ચે ક્યાંય બસ ઉભી નહિ રહે, તેમજ વચ્ચેથી કોઈ મુસાફરને બસમાં નહિ બેસાડાય.
2) બસ સ્ટેન્ડ પર મુસાફરોએ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહેશે
3) બસમાં ફરજિયાત માસ્ક પહેરવાનું રહેશે
4) બસમાં 50 ટકા મુસાફરોએ જ બેસવાનું રહેશે
5) અન્ય બસ સ્ટેન્ડ પરથી મુસાફરોને લેવાશે નહીં
6) મુસાફરી કરતી વખતે હાથ સેનેટાઇઝ કરવાના રહેશે
7) AMTSમાં કન્ડક્ટર અને BRTSમાં ગાર્ડની સૂચનાનું પાલન કરવાનું રહેશે
8) વેલિડેટરનો મહત્તમ ઉપયોગ કરવાનો રહેશે
9) 2 મહિના બાદ AMTS અને BRTS સેવાઓ પૂર્વવત થઈ હતી.
અમદાવાદ :અનલોક-4 માં ટ્રેન સહિતની સેવા શરુ કરવામાં આવી છે. હવે અમદાવાદીઓ માટે પણ સારા સમાચાર છે કે શહેરમાં 10 સપ્ટેમ્બરથી AMTS અને BRTS ની સેવા સંપૂર્ણ રીતે શરૂ કરી દેવામાં આવશે.
પરંતુ માત્ર 50 ટકા બસો જ દોડાવવામાં આવતી હતી. પરંતુ અનલોક 4માં બસ સેવા પહેલાની જેમ કાર્યરત કરવાનો નિર્ણય લેવાયો છે. આવતીકાલથી ગુરુવારથી અમદાવાદભરમાં AMTS અને BRTS બસો દોડશે.
જાણો, ક્યારથી અને ક્યાં શરૂ થશે બસ સેવા
આવતીકાલે અમદાવાદમાં સવારે 6થી રાતે 11 વાગ્યા સુધી 149 રૂટ પર 700 બસો દોડશે. તેમજ BRTSના 13 રૂટ પર 222 બસો દોડતી થઈ જશે. પરંતુ આ માટે કેટલાક નિયમોનો અમલ કરવાનો રહેશે. કોરોના મહામારીમાં સોશિયલ ડિસ્ટન્સિંગથી લઈને સેનેટાઈઝેશન સુધીની તમામ કાળજી રાખવામાં આવશે.
મુસાફરોએ ધ્યાનમાં રાખવાના નિયમો
1) AMTSની બસ જ્યાંથી ઉપડશે ત્યાંથી જ બસમાં મુસાફરોને લેવામાં આવશે. વચ્ચે ક્યાંય બસ ઉભી નહિ રહે, તેમજ વચ્ચેથી કોઈ મુસાફરને બસમાં નહિ બેસાડાય.
2) બસ સ્ટેન્ડ પર મુસાફરોએ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહેશે
3) બસમાં ફરજિયાત માસ્ક પહેરવાનું રહેશે
4) બસમાં 50 ટકા મુસાફરોએ જ બેસવાનું રહેશે
5) અન્ય બસ સ્ટેન્ડ પરથી મુસાફરોને લેવાશે નહીં
6) મુસાફરી કરતી વખતે હાથ સેનેટાઇઝ કરવાના રહેશે
7) AMTSમાં કન્ડક્ટર અને BRTSમાં ગાર્ડની સૂચનાનું પાલન કરવાનું રહેશે
8) વેલિડેટરનો મહત્તમ ઉપયોગ કરવાનો રહેશે
9) 2 મહિના બાદ AMTS અને BRTS સેવાઓ પૂર્વવત થઈ હતી.